Gujarat Election 2022: સોનિયા ગાંધીના ‘મોત ના સોદાગર’ બાદ હવે ખડગેના ‘રાવણ’ નિવેદનને ભાજપ અવસરમાં પલટાવી નાખે તો નવાઈ નહી !

Gujarat assembly election 2022: કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ફરી એક વખત ગુજરાતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાવણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે

Gujarat Election 2022: સોનિયા ગાંધીના 'મોત ના સોદાગર' બાદ હવે ખડગેના 'રાવણ' નિવેદનને ભાજપ અવસરમાં પલટાવી નાખે તો નવાઈ નહી !
ભાજપની આફતને અવસરમાં પરિણમવાની નીતિ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2022 | 5:38 PM

ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતી જઇ રહી છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરતા નેતાઓ વચ્ચે વાક યુદ્ધ પણ છેડાઇ રહ્યુ છે. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગેએ 28 નવેમ્બરે વડાપ્રધાન મોદીને લઇને નિવેદન આપ્યુ હતુ. જેને લઇને રાજકારણ ગરમાયુ છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે. જો કે કોંગ્રેસના નિવેદનની સામે ભાજપના નેતાઓ તેમને ઘેરી રહ્યા છે અને કોંગ્રેસના વાણી વિલાસને જાણે ગુજરાતની ચૂંટણીમાં વધુ મતો મેળવવાના અવસરમાં પરિણમી રહ્યા છે. પહેલા પણ કોંગ્રેસના વાણી વિલાસને ભાજપે અવસરમાં પરિણમી હતી.

કોંગ્રેસના બફાટથી ભાજપની તરફેણમાં માહોલ બનાવવાની રીત

કોંગ્રેસના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરખામણી રાવણ સાથે કરતાં ફરી એક વખત ગુજરાતની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવ્યો છે રાવણ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે ફરી વાકયુદ્ધ છેડાયું છે અને એકબીજા પર કાદવ ઉછાળવામાં આવી રહ્યો છે. જો કે આ પહેલી વખત નથી કે વડાપ્રધાન મોદી પર કોંગ્રેસના કોઇ નેતાએ ટિપ્પણી કરી હોય અને ભાજપે તે મુદ્દાને ઉઠાવી પોતાની તરફેણમાં માહોલ બનાવ્યો હોય. આ અગાઉ પણ ભાજપે કોંગ્રેસની ટિપ્પણીઓની સામે પ્રતિક્રિયાઓ આપી મતોના સમીકરણોને પોતાની તરફેણમાં લઇ લીધા હતા.

2007ની ચૂંટણીમાં મોતના સોદાગર, 2014ની ચૂંટણીમાં પીએમને ચા વેચવાવાળા કહેવાનો મુદ્દો, કે પછી 2017માં નીચ અને નીચી જાતિનો મુદ્દો હોય. દરેક વખતે ભાજપે આવા મુદ્દાઓને ઉઠાવી મતોનું આખું સમીકરણ જ ફેરવી નાંખ્યું છે. ખુદ વડાપ્રધાન મોદીએ પણ પોતાના પર થતી વિવાદિત ટિપ્પણીઓ અને અપશબ્દોનો ઉલ્લેખ કર્યો હતો. તેલંગાણામાં આયોજીત એક સભામાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેમને દરરોજ 2-3 કિલો અપશબ્દો મળે છે, પરંતુ તેમનું શરીર આ અપશબ્દોને પોષણમાં ફેરવી દે છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

મહત્વનું છે કે, મહત્વનું છે કે ગઈકાલે અમદાવાદમાં કોંગ્રેસના પ્રચાર દરમિયાન મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે- મોદી નાગરિકોને પોતાનો ચહેરો જોઈ મત કરવા અપીલ કરે છે.. શું રાવણની જેમ 100 માથા છે કે અલગ-અલગ મતની માગણી કરો છો? મલ્લિકાર્જુનના આ નિવેદન પર ભાજપ ચારેબાજુથી શાબ્દિક પ્રહાર કરીને કોંગ્રેસને ઘેરી રહ્યું છે. ભાજપના અલગ અલગ નેતા ખડગેના નિવેદન સામે જવાબ આપી રહ્યા છે

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">