ગણદેવી વિધાનસભા બેઠક પરિણામ 2022 LIVE Updates: : ગણદેવી વિધાનસભા બેઠક પર ભાજપની જીત થઈ છે. Gujarat Election Result ગણદેવી બેઠકની વાત કરીએ તો આ બેઠક પર 63 વર્ષીય ભાજપ ઉમેદવાર અશોકભાઇ પટેલે SSC સુધીનો અભ્યાસ કર્યો છે. તેમની પાસે 12 લાખ 64 હજાર 324 રુપિયાની જંગમ મિલકત છે. તો આ બેઠક પર ભાજપે નરેશભાઇ પટેલની ટિકિટ આપી છે. તેમની પાસે 1 કરોડ 75 લાખ 60 હજાર 653 રુપિયા જંગમ મિલકત છે. તેમની પાસે બેંકમાં 83 લાખ 45 હજાર 399 રુપિયા છે. તો આમ આદમી પાર્ટીના આ બેઠકના ઉમેદવાર પંકજ પટેલે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે ફોર્મ ભરતી વખતે કરેલી એફિડેવીટમાં મિલકત જાહેર કરી નથી. તેમના બેંક ખાતમાં તેમણે 3 હજાર 40 રુપિયા હોવાનું જણાવ્યુ છે.
ગણદેવી વિધાનસભા બેઠક નવસારી જિલ્લામાં આવેલી છે તો ગણદેવી બેઠક પર વર્ષ 2017 સુધીની વાત કરીએ તો સતત 30 વર્ષથી ભાજપનો ભગવો લહેરાઈ રહ્યો છે. 2008ના સીમાંકન બાદ આ બેઠકને ST અનામત બેઠક તરીકે જાહેર કરવામાં આવી છે. ગણદેવી વિધાનસભા બેઠકના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો 1962થી 2017 સુધી અહીં 13 વખત વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. જેમાં પાંચ ટર્મ કોંગ્રેસ અને 6 ટર્મ ભાજપને જીત મળી. 1985 સુધી આ બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો. પરંતુ 1995માં પ્રથમવાર ભાજપે કોંગ્રેસને હારનો સ્વાદ ચખાડ્યો. જે આજ સુધી બરકરાર છે. 2017 સુધીની છેલ્લી 6 ટર્મથી ભાજપે જીતની હેટ્રિક મારી છે.
વર્ષ 2017માં ભાજપના નરેશ પટેલને 1,24,010 મત મળ્યા હતા. આ સાથે જ ગણદેવી બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો હતો. તો કોંગ્રેસના સુરેશ હળપતિને 66,749 મત મળ્યા હતા. ભાજપના નરેશ પટેલ કોંગ્રેસના ઉમેદવારથી 57,261 મતે જીત્યા હતા.
અહીંના રાજકીય ઇતિહાસની વાત કરીએ તો અહીં 1962થી 2017 સુધી 13 વખત વિધાનસભા ચૂંટણી થઈ છે. 1985 સુધી બેઠક પર કોંગ્રેસનો દબદબો રહ્યો છે. 1995માં પ્રથમવાર ભાજપ ચૂંટણી જીત્યું હતુ. 1995માં ભાજપના કરસન પટેલ ચૂંટાયા હતા. 1995થી 2002 સુધી સતત 3 ટર્મ કરસન પટેલ ચૂંટાયા હતા. 2012માં ભાજપના મંગુ પટેલ ચૂંટણી જીત્યા હતા. 2017માં ભાજપના નરેશ પટેલ ચૂંટણી જીત્યા હતા. 2017 સુધીની 6 ટર્મથી અહીં ભાજપ સત્તા સ્થાને હતી.
ગણદેવીમાં વર્ષ 2022ના આંકડા પ્રમાણે કુલ 288889 મતદારો છે. જેમાં 144848 પુરુષ મતદારો અને 144031 મહિલા મતદારો છે. ગુજરાતમાં એસટી વર્ગની વસ્તી 15 ટકાની જેટલી છે. ગુજરાત વિધાનસભામાં એસટી વર્ગ માટે કુલ 24 બેઠકોને અનામત રાખવામાં આવી છે. જેમાં ગણદેવી બેઠકનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પર આદિવાસી સમાજને પકડ હોવાના કારણે ભાજપ – કોંગ્રેસ સહિતના પક્ષો તેમને રીઝવવા પ્રયાસ કરતા જોવા મળે છે. જેના કારણે જ ટોચના નેતાઓ આ પંથકની અવારનવાર મુલાકાત લેતા હોય છે.
આ પણ વાંચો:
Published On - 11:59 am, Thu, 8 December 22