AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election 2022: કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવા આપ્યુ આમંત્રણ, કહ્યુ ગુજરાતનાં ખેડુત અને યુવાનોને ફાયદો

લલિત વસોયાએ કહ્યું કે, નરેશ પટેલ ધોરાજીથી ચૂંટણી લડે તો હું ખભે બેસાડીને જીતાડવા માટે ફરીશ. લલિત વસોયાએ દાવો કર્યો કે નરેશ પટેલ સાથે અનેકવાર વાતચીત થઈ છે અને આગામી થોડા જ દિવસોમાં નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

Gujarat Election 2022: કોંગ્રેસના બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવા આપ્યુ આમંત્રણ, કહ્યુ ગુજરાતનાં ખેડુત અને યુવાનોને ફાયદો
Lalit Vasoya and Lalit Kagathara (File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 02, 2022 | 5:14 PM
Share

ગુજરાતની(Gujarat) વિધાનસભા ચૂંટણી(Gujarat Assembly Election) પહેલા મોટી રાજકીય હલચલ થઈ શકે છે. સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ (Naresh Patel) ગમે ત્યારે રાજકારણમાં જોડાય તેવી સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્રના કોંગ્રેસના (Congress) બે પાટીદાર ધારાસભ્યોએ નરેશ પટેલને પક્ષમાં જોડાવવા ફરી એકવાર આમંત્રણ પાઠવ્યું છે. લલિત કગથરાએ કહ્યું કે નરેશ પટેલની વિચારધારા કોંગ્રેસી છે. જો નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો ગુજરાતના ખેડૂતો, યુવાનોને ફાયદો મળશે. તો લલિત વસોયાએ કહ્યું કે, નરેશ પટેલ ધોરાજીથી ચૂંટણી લડે તો હું ખભે બેસાડીને જીતાડવા માટે ફરીશ. લલિત વસોયાએ દાવો કર્યો કે નરેશ પટેલ સાથે અનેકવાર વાતચીત થઈ છે અને આગામી થોડા જ દિવસોમાં નરેશ પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાઈ શકે છે.

મહત્વનું છે કે અગાઉ પણ સૌરાષ્ટ્રના દિગ્ગજ પાટીદાર આગેવાન નરેશ પટેલ(Naresh Patel) કોંગ્રેસમાં જોડાય તેવી પ્રબળ ચર્ચાઓ વહેતી થઇ હતી. નરેશ પટેલની વિધિવત કોંગ્રેસમાં જોડવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યુ હતુ. માહિતી હતી કે નરેશ પટેલને કોંગ્રેસમાં લાવવાની સંપૂર્ણ જવાબદારી, થિન્ક ટેન્ક ગણાતા પ્રશાંત કિશોરને સોંપવામાં આવી છે. વાત એવી પણ સામે આવી કે કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં નરેશ પટેલને CM પદનો ચહેરો પણ જાહેર કરી શકે છે. પ્રશાંત કિશોરે રાહુલ ગાંધીને સલાહ આપી છે કે મોટા ચહેરા સાથે કોંગ્રેસે મેદાનમાં ઉતરવું જોઈએ પ્રશાંત કિશોરની આજ સલાહ કોંગ્રેસે માની છે.

જો કે આ સમગ્ર ચર્ચાઓ પર હજુ પણ કોઇ સત્તાવાર જાહેરાત થઇ નથી. કારણકે બીજી તરફ આમ આદમી પાર્ટી અને ભાજપ દ્વારા પણ અગાઉ નરેશ પટેલને તેમના પક્ષમાં જોડાવાનું આમંત્રણ આપવામાં આવેલુ છે. જો કે નરેશ પટેલે અત્યાર સુધી યોગ્ય સમય આવ્યે રાજકારણમાં જોડાવાનો જ રાગ આલાપ્યો છે.

આ પણ વાંચો-

વડાપ્રધાન મોદી સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરીની સમીક્ષા કરશે, એક રૂટની કામગીરી જૂન 2024 સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન

આ પણ વાંચો-

Ahmedabad: અરવિંદ કેજરીવાલે કર્યો મિશન ગુજરાતનો પ્રારંભ, ભગવત માન સાથે કરી ગાંધી આશ્રમની મુલાકાત, કહ્યું ”આશ્રમમાં આવીને શાંતિનો અનુભવ થયો”

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">