Gujarat Election 2022 : સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો સરભર કરવા અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, 2017ની નુકશાની વાળી બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવાની યોજના

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મતદારોને પોતાના તરફ કરવા હાલ ભાજપે સ્ટાર પ્રચારકોની ફૌજ ઉતારી છે, અને એમાં પણ 2017 માં જ્યાં ફટકો પડ્યો હતો ત્યાં સુધી વધુ ફોકસ કરવામાં આવી રહ્યું છે.

Gujarat Election 2022 : સૌરાષ્ટ્રના રાજકીય સમીકરણો સરભર કરવા અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, 2017ની નુકશાની વાળી બેઠક પર ભાજપનો ભગવો લહેરાવવાની યોજના
BJP Election Campaign
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 26, 2022 | 7:32 AM

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022: સૌરાષ્ટ્રનો ગઢ સર કરવા કેન્દ્રીય ગૃહપ્રધાન ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યાં છે, ત્યારે આજે અમિત શાહ અમરેલીના જાફરાબાદમાં GHCL ગ્રાઉન્ડ ખાતે જંગી સભા સંબોધશે. અમિત શાહ 5 વિધાનસભા બેઠકના મતદારોને ભાજપ તરફી કરવાનો પ્રયાસ કરશે. આ સભામાં રાજુલા, જાફરાબાદ, ખાંભા, પીપાવાવના લોકો ઉપસ્થિત રહેશે. આ સિવાય ભાવનગર જિલ્લામાં તળાજા અને મહુવામાં બે સભાઓ સંબોધશે. તો વડોદરા અને અમદાવાદના AMC પાર્કિંગ પ્લોટમાં પણ તેઓ સભા ગજવશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નના જોડામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ભાજપનું મિશન સૌરાષ્ટ્ર !

તો બીજી તરફ અમિત શાહની મુલાકાતને લઇ તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. મોટી સંખ્યામાં લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાથે જ પોલીસ બંદોબસ્ત પણ સઘન બનાવાયો છે. મહત્વનું છે કે 2017માં અમરેલીની પાંચ બેઠકો પર ભાજપને ફટકો પડ્યો હતો. અનામત આંદોલનને કારણે પાંચેય બેઠકો કોંગ્રેસે કબજે કરી હતી, ત્યારે આ વખતે અમરેલી જિલ્લામાં મતદારોને રીઝવવા ભાજપે કેન્દ્રીય નેતાઓની ફોજ મોકલી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજ નેતાઓ અહીં પ્રચાર કરી ચૂક્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">