AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને મોટા સમાચાર, 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર

Gujarat Election 2022 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો 3 નવેમ્બરે જાહેર થઈ શકે છે. ઈલેક્શન કમિશન ઓફ ઈન્ડિયા ત્રીજી નવેમ્બરે બપોર બાદ ગુજરાતની ચૂંટણીની તારીખોની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેમા સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખોને લઈને મોટા સમાચાર, 3 નવેમ્બરે ચૂંટણીની તારીખો થઈ શકે છે જાહેર
ગુજરાત વિધાનસભા ચૂંટણી
Kinjal Mishra
| Edited By: | Updated on: Nov 01, 2022 | 9:46 PM
Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની ત્રીજી નવેમ્બરે તારીખો જાહેર થઈ શકે છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી અનુસાર ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. 3 નવેમ્બરે બપોરના સમયે ચૂંટણી પંચ ગુજરાત ચૂંટણીની તારીખો જાહેર કરે તેવી શક્યતા છે. જેમા પ્રથમ તબક્કાની ચૂંટણી ડિસેમ્બરની 1લી અથવા 2જી તારીખે યોજાઈ શકે છે. જ્યારે બીજા ફેઝની ચૂંટણી 5 ડિસેમ્બરે અથવા 6 ડિસેમ્બરે યોજાઈ શકે છે. જેમા 8 ડિસેમ્બરે હિમાચલના પરિણામો સાથે જ ગુજરાત ચૂંટણીના પણ પરિણામો જાહેર થઈ શકે છે.

ગુજરાતમાં બે તબક્કામાં યોજાઈ શકે છે ચૂંટણી

રાજ્યમાં હાલ વિધાનસભા ચૂંટણીનો ધમધમાટ ચાલી રહ્યો છે. માત્ર તારીખો જાહેર થાય એટલી જ વાર છે. તમામ રાજકીય પાર્ટીઓ એક્શન મોડમાં આવી ગઈ છે અને જોરશોરથી પ્રચાર કરી રહી છે. સત્તાધારી પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય તમામ પાર્ટી એડી ચોટીનું જોર લગાવી રહી છે. આ વખતે ગુજરાતમાં ત્રીપાંખીયો જંગ થવા જઈ રહ્યો છે. જેમા ભાજપ, કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ મેદાને છે અને ગુજરાતમાં પુરી તાકાત લગાવી રહી છે. ભાજપ માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ છે કારણે કે ગુજરાતમાં ભાજપ 25થી વધુ વર્ષોથી શાસનમાં છે. જ્યારે કોંગ્રેસ 25 વર્ષથી ગુજરાતમાં સત્તાથી બહાર છે. ત્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વ બચાવવાની લડાઈ છે. આ ટર્મની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં રાજકીય જમીન તલાશી રહી છે.

આ વખતેની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ ટક્કર આપી રહી છે. આ ઉપરાંત BTP અને અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM પણ મેદાને છે. આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં તેમના ઉમેદવારોની 8 યાદી પણ જાહેર કરી દીધી છે. જો કે હજુ સુધી સીએમનો ચહેરો જાહેર કરવામાં નથી આવ્યો. આ તરફ ભાજપે પણ સીએમના ચહેરાને લઈને હજુ સુધી કોઈ પત્તા ખોલ્યા નથી. ભાજપ દ્વારા ત્રણ દિવસ સુધી ઉમેદવાર પસંદગીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમા નિરીક્ષકોએ દાવેદારોની સેન્સ લઈ મોવડીમંડળને યાદી સોંપી છે.

Follow Us
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ટ્રાફિક પોલીસની મનમાની, કાર ચાલક કારમાં સવાર હોવા છતા કારને લોક માર્યુ
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
ગાંધીનગરના ગલુદણમાંથી ઝડપાયુ ભેળસેળયુક્ત નક્લી ઘી- Video
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો! જાણો હવે કેટલું ભાડુ ચૂકવવું પડશે
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
વડાપ્રધાન મોદીના નશા મુક્ત યુવા અભિયાન અંતગત ભરૂચ SOG એક્શન મોડમાં
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
તહેવારો ટાણે જ ખાદ્યતેલના ભાવમાં ભડકો! Video
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
રાજકોટમાં ફરી જળસંકટના ભણકારા, મનપાએ સરકાર પાસે માગી મદદ
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
g clip-path="url(#clip0_868_265)">