Gujarat Election 2022 : ઝાંઝરકાથી સોમનાથની યાત્રામાં આ બેઠકો પર અમિત શાહની નજર, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ

ગત વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર આંદોલનને પગલે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં ભાજપને મોટો ફટકો પડ્યો હતો. જો કે હવે અહીંની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.

Gujarat Election 2022 : ઝાંઝરકાથી સોમનાથની યાત્રામાં આ બેઠકો પર અમિત શાહની નજર, જાણો શું છે અહીંનો રાજકીય ઈતિહાસ
Gujarat Gaurav yatra
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2022 | 12:51 PM

વિધાનસભા ચૂંટણી નજીક (Gujarat Assembly Election) આવતા સત્તા કાયમી રાખવા ભાજપ એડી ચોટીનુ જોર લગાવી રહી છે. ભાજપે ગૌરવ યાત્રા થકી ચૂંટણી પ્રચંડ પ્રચારની શરૂઆત કરી છે. ગઈ કાલે બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડાએ (JP Nadda) ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આજે બીજા દિવસે અમિત શાહ પણ આ પ્રચાર અભિયાનમાં જોડાશે. સૌપ્રથમ અમદાવાદના ઝાંઝરકાથી સોમનાથ જતી ગુજરાત ગૌરવ યાત્રાને (Gujarat Gaurav yatra) અમિત શાહ પ્રસ્થાન કરાવશે. આ યાત્રા 24 વિધાનસભા, 9 જિલ્લા 1070 કિમીનો પ્રવાસ ખેડશે. જો કે પ્રશ્ન એ થાય કે આ જિલ્લાઓની જ પસંદગી કેમ કરવામાં આવી ?

અમદાવાદ જિલ્લાની બેઠકો પર ભાજપને ફટકો

આ યાત્રા થકી ભાજપ અમદાવાદ જિલ્લાની બેઠકો પર પકડ મજબૂત કરવા માગે છે. વર્ષ 2017માં ભાજપે અમદાવાદ (Ahmedabad) જિલ્લાની ધંધુકા-વિરમગામ બેઠક ગુમાવી હતી. તો ધોળકા બેઠકમાં પણ ગણતરીના મતોથી જ બીજેપીની જીત થઈ હતી. આથી અમદાવાદ જિલ્લામાં પકડ મજબુત કરવા પર ભાજપનું ફોકસ છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સૌરાષ્ટ્રની આ બેઠકો પર ભાજપનું ફોકસ

તો બોટાદની વાત કરીએ તો ગત વિધાનસભા ચૂંટણીમાં 2 માંથી 1 સીટ ભાજપને મળી હતી. તો ભાવનગર શહેર અને જિલ્લામાં 7 માંથી 6 બેઠક બીજેપી પાસે છે. જ્યારે એક બેઠક પર ભાજપને (BJP) ફટકો મળ્યો હતો. તો અમરેલીમાં વર્ષ 2017માં 5 માંથી એક પણ બેઠક મેળવવામાં ભાજપ નિષ્ફળ ગયુ હતુ. જો કે પેટા ઇલેક્શનમાં ધારી બેઠક પરથી ભાજપે જીત મેળવી હતી.

જો જૂનાગઢની (Junagadh) વાત કરીએ તો આ જિલ્લામાં 5 માંથી 2017 માં ભાજપ એક પરથી જ જીત મેળવી શક્યુ હતુ. તો માણાવદર જવાહર ચાવડા પેટા ઇલેક્શનમાં જીત્યા હતા. તો બીજી તરફ વિસાવદરના દિગ્ગજ નેતા હર્ષદ રીબડીયા એ કોંગ્રેસનો હાથ છોડી ભગવો ખેસ ધારણ કર્યો છે. તેથી આ વખતે અહીંના રાજકીય ઈતિહાસમાં પરિવર્તન જોવા મળી શકે છે. તો આ યાત્રાનું અંતિમ બિંદુ એટલે ગીર સોમનાથ. જો અહીંની વાત કરીએ તો 4 વિધાનસભા બેઠક પરથી ભાજપ એક પણ બેઠક પરથી કાઠુ કાઢી શક્યુ નહોતું. જો કે ગત વખતે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતમાં પાટીદાર આંદોલનને પગલે ભાજપને મોટ ફટકો પડ્યો હતો. જો કે અત્યારે અહીંની રાજકીય સ્થિતિ કંઈક જુદો જ રાગ આલાપી રહી છે.

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">