Goa Assembly Election: NCP ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, શિવસેના સાથે મળીને લડશે ચૂંટણી

NCPએ મંગળવારે કહ્યું કે પક્ષ ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections 2022) માટે કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરશે નહીં. એનસીપીએ કહ્યું કે તે શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે.

Goa Assembly Election: NCP ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે, શિવસેના સાથે મળીને લડશે ચૂંટણી
Sharad Pawar - Nationalist Congress Party
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 11:51 PM

NCPએ મંગળવારે કહ્યું કે પક્ષ ગોવામાં આગામી વિધાનસભા ચૂંટણી (Goa Assembly Elections 2022) માટે કોંગ્રેસ (Congress) સાથે ગઠબંધન કરશે નહીં. એનસીપીએ કહ્યું કે તે શિવસેના સાથે મળીને ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે આ પહેલીવાર હશે જ્યારે એનસીપી અને શિવસેના ગોવામાં સાથે મળીને ચૂંટણી લડશે. એનસીપીના પ્રફુલ પટેલ અને શિવસેનાના સંજય રાઉત હાલમાં ગઠબંધનને અંતિમ સ્વરૂપ આપવા માટે ગોવામાં છે. બેઠક યોજીને બંને પક્ષો કોણ કેટલી બેઠકો પર એકસાથે ચૂંટણી લડશે તેની જાહેરાત કરી શકે છે. ગોવામાં મહારાષ્ટ્ર ગઠબંધન પ્રયોગનું પુનરાવર્તન કરવાનો વિચાર હતો, પરંતુ કોંગ્રેસે સંભવત આમ કરવાનો ઇનકાર કર્યો હતો, જેની પુષ્ટિ NCPએ મંગળવારે કરી હતી.

NCP નેતા પટેલે કહ્યું, ‘કોંગ્રેસ કહે છે કે તે ગોવામાં એકલા હાથે ચૂંટણી જીતી શકે છે.’ એનસીપી નેતાએ કહ્યું, “એનસીપી અને શિવસેનાની મદદ વિના, જો કોંગ્રેસ રાજ્યમાં પોતાના દમ પર વિધાનસભા ચૂંટણી લડે છે, તો તે એક પણ બેઠક મેળવી શકશે નહીં.”

નવાબ મલિકે રવિવારે આ વાત કહી

નોંધનીય છે કે NCP નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે સોમવારે કહ્યું હતું કે અમે ગોવામાં કોંગ્રેસ સાથે ચૂંટણી લડવા માગીએ છીએ પરંતુ કેટલાક સ્થાનિક નેતાઓના કારણે ગઠબંધન થઈ શક્યું નથી. 18 જાન્યુઆરીએ અમારા મહાસચિવ અને એક મંત્રી ગઠબંધન અંગે વાત કરવા ગોવા જશે. પરંતુ હવે એનસીપીએ જાહેરાત કરી છે કે તે ગોવામાં કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

2017માં કોને કેટલી સીટો મળી

જણાવી દઈએ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપે 36-36 સીટો પર ચૂંટણી લડી હતી. જેમાંથી કોંગ્રેસે 17 અને ભાજપે 13 સીટો પર જીત મેળવી હતી. બીજી તરફ, ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) એ ચાર બેઠકો પર ચૂંટણી લડી હતી અને ત્રણ બેઠકો જીતી હતી. આ સિવાય મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) 34 બેઠકો પર ચૂંટણી લડી હતી, જોકે તેને માત્ર ત્રણ બેઠકો મળી હતી. આ સિવાય 3 બેઠકો અપક્ષ ઉમેદવારોના ખાતામાં અને એક બેઠક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના ખાતામાં ગઈ.

ગોવામાં 14 ફેબ્રુઆરીએ ચૂંટણી

ગોવામાં વિધાનસભાની 40 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી યોજાશે. ગોવામાં 14 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે પરિણામ 10 માર્ચે આવશે. નામાંકન 21 જાન્યુઆરીથી શરૂ થશે. 28 જાન્યુઆરી નામાંકન માટેની છેલ્લી તારીખ હશે. કોરોના મહામારીને જોતા ચૂંટણી પંચે આ વખતે કડક પ્રોટોકોલ તૈયાર કર્યા છે.

આ પણ વાંચો : Corona Vaccination: 15-18 વર્ષની વય જૂથના 50% થી વધુ બાળકોને રસી મળી, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ખુશી વ્યક્ત કરી

આ પણ વાંચો : Republic Day 2022: કોરોનાને કારણે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં દર્શકોની સંખ્યા ઓછી રાખવામાં આવી, માત્ર 5 થી 8 હજાર લોકો જ રાજપથ પર પહોંચી શકશે

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">