Assembly Election: ત્રીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર સમાપ્ત, રવિવારે પંજાબની તમામ 117 અને યુપીની 59 બેઠકો પર થશે મતદાન

પંજાબમાં પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ભદૌરમાં, અરવિંદ કેજરીવાલે જલાલાબાદમાં, ભગવંત માને રાયકોટમાં અને શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ અમૃતસરમાં રોડ શો કર્યો હતો.

Assembly Election: ત્રીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર સમાપ્ત, રવિવારે પંજાબની તમામ 117 અને યુપીની 59 બેઠકો પર થશે મતદાન
ચૂંટણી પ્રચાર દરમિયાન પંજાબના મુખ્યમંત્રી (Image Credit Source: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2022 | 12:09 AM

પંજાબની (Punjab) તમામ 117 વિધાનસભા બેઠકો અને ઉત્તર પ્રદેશના  (Uttar Pradesh) 16 જિલ્લાની 59 બેઠકો પર ત્રીજા તબક્કાના મતદાન માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો. 20 ફેબ્રુઆરીની ચૂંટણી પહેલા પ્રચારના (Election Campaign) છેલ્લા દિવસે શુક્રવારે પણ રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને સમર્થન મેળવવા માટેના પ્રયાસોમાં કોઈ કસર છોડી ન હતી. યુપીના મુખ્ય ચૂંટણી અધિકારી અજય કુમાર શુક્લાએ જણાવ્યું કે રાજ્યમાં મતદાન રવિવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. મળતી માહિતી મુજબ, યુપી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 2 કરોડ 15 લાખથી વધુ મતદાતાઓ તેમના મત અધિકારનો ઉપયોગ કરશે.

યુપીના 16 જિલ્લાના 59 વિધાનસભા મતવિસ્તારોમાં મૈનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા બેઠક પણ સામેલ છે, જ્યાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી તરફથી કેન્દ્રીય મંત્રી પ્રોફેસર એસપી સિંહ બઘેલ અને રાજ્યના મુખ્ય વિપક્ષ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ ચૂંટણીમાં સામ-સામે છે.

મૈનપુરી જિલ્લાની સાથે સાથે હાથરસ, ફિરોઝાબાદ, ઇટાહ, કાસગંજ, ફરુખાબાદ, કન્નૌજ, ઇટાવા, ઔરૈયા, કાનપુર દેહાત, કાનપુર નગર, જાલૌન, ઝાંસી, લલિતપુર, હમીરપુર અને મહોબા જિલ્લાના વિધાનસભા ક્ષેત્રોમાં ત્રીજા તબક્કામાં કુલ 627 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણી લડી રહ્યા છે

ઇટાવા જિલ્લાના પોતાના વતન સૈફઇ ગામથી માત્ર ચાર કિલોમીટર દૂર આવેલા મૈનપુરી જિલ્લાના કરહાલ વિસ્તારમાંથી સપાના વડા અખિલેશ યાદવ પહેલીવાર વિધાનસભા ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રોફેસર એસપી સિંહ બઘેલ અખિલેશ સામે ભાજપના ઉમેદવાર તરીકે ઉભરી આવતાં આ મુકાબલો રસપ્રદ બની ગયો છે.

અખિલેશના કાકા શિવપાલ સિંહ યાદવ તેમની પરંપરાગત જસવંતનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. રાજ્ય સરકારના મંત્રી સતીશ મહાના (મહારાજપુર-કાનપુર) અને આબકારી મંત્રી રામનરેશ અગ્નિહોત્રી (ભોગાંવ-મૈનપુરી) રામવીર ઉપાધ્યાય (હાથરસ-સદાબાદ) ભાજપ તરફથી મેદાનમાં છે, જ્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની પત્ની લુઈસ ખુર્શીદ ફર્રુખાબાદ સદરથી કોંગ્રેસના ઉમેદવાર છે.

ભારતીય પોલીસ સેવા (IPS) છોડીને રાજકારણમાં જોડાયેલા અને અધિક પોલીસ મહાનિર્દેશકના સ્તરના અધિકારી રહેલા અસીમ અરુણ પણ એ જ તબક્કામાં કન્નૌજના સદર વિધાનસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર છે.

પંજાબમાં 93 મહિલાઓ સહિત કુલ 1,304 ઉમેદવારો મેદાનમાં

પંજાબમાં પ્રચારના છેલ્લા દિવસે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીએ ભદૌરમાં, અરવિંદ કેજરીવાલે જલાલાબાદમાં, ભગવંત માને રાયકોટમાં અને શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયાએ અમૃતસરમાં રોડ શો કર્યો હતો. તે જ સમયે પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહે પટિયાલામાં રોડ શો કર્યો હતો. અમરિંદર સિંહની પત્ની અને કોંગ્રેસ સાંસદ પ્રનીત કૌર પણ આ રોડ શોમાં સામેલ થઈ હતી.

પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર બાદલે પણ છેલ્લા દિવસે પ્રચાર કર્યો હતો. રાજ્યમાં 93 મહિલાઓ સહિત કુલ 1,304 ઉમેદવારો મેદાનમાં છે. પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી એસ કરુણા રાજુએ જણાવ્યું કે મતદાન સવારે 8 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. પંજાબમાં પહેલા મતદાનની તારીખ 14મી ફેબ્રુઆરી હતી, પરંતુ ગુરુ રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે તેને આગળ વધારીને 20મી ફેબ્રુઆરી કરી છે.

કોવિડ -19 પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને, શરૂઆતમાં ફક્ત ઘરે-ઘરે જઈને અને સોશિયલ મીડિયા દ્વારા જ પ્રચારની મંજૂરી આપવામાં આવી હતી. જોકે, 1 ફેબ્રુઆરીથી ચૂંટણી પંચ દ્વારા તબક્કાવાર રેલીઓ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો.

ચૂંટણીમાં મુખ્ય ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન ચરણજીત સિંહ ચન્ની, આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રધાનપદનો ચહેરો ભગવંત માન, પંજાબ કોંગ્રેસના વડા નવજોત સિંહ સિદ્ધુ, ભૂતપૂર્વ મુખ્યપ્રધાનો અમરિંદર સિંહ, પ્રકાશ સિંહ બાદલ અને શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલનો સમાવેશ થાય છે. સીએમ ચન્ની બે સીટો, રૂપનગરની ચમકૌર સાહિબ અને બરનાલાની ભદૌર સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ પણ વાંચો :  Arrested: પંજાબી એક્ટર દીપ સિદ્ધુ અકસ્માત કેસમાં આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ, જાણો સંપૂર્ણ વિગતો

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">