AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assembly Elections 2022: ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ, જાણો શું છે 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ

ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી કોરોના (Corona)ની લહેર ચાલશે. આને લઈને ચૂંટણી પંચ પણ ચિંતિત છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે રેલીઓ પર પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે.

Assembly Elections 2022: ચૂંટણી રેલીઓ પર પ્રતિબંધ, જાણો શું છે 5 રાજ્યોમાં કોરોનાની સ્થિતિ
status of Corona in 5 states
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 16, 2022 | 10:20 AM
Share

Assembly Elections 2022 : આવતા મહિને દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Elections 2022) યોજાવાની છે. જેમાં ઉત્તર પ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરનો સમાવેશ થાય છે. ઘણા નિષ્ણાતો કહી રહ્યા છે કે કોરોના (Covid-19)ની લહેર જાન્યુઆરી અને ફેબ્રુઆરી સુધી ચાલશે. આને લઈને ચૂંટણી પંચ (Election Commission) પણ ચિંતિત છે. કોરોનાના વધતા જતા કેસોને જોતા ચૂંટણી પંચે નિર્ણય લીધો છે કે રેલીઓ પર પ્રતિબંધ 22 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી બે મોટા ચૂંટણી રાજ્યો ઉત્તર પ્રદેશ અને પંજાબમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. ચાલો આ બે રાજ્યો સિવાય અન્ય તમામ રાજ્યોમાં કોરોનાની સ્થિતિ પર એક નજર કરીએ.

ઉત્તર પ્રદેશ

ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પહેલા સક્રિય કેસોમાં ઝડપથી વધારો થયો છે. હાલમાં રાજ્યમાં 84,440 કેસ સક્રિય છે, જેમાંથી 82,412 દર્દીઓ હોમ આઈસોલેટ છે. શનિવારે રાજ્યમાં 16,016 નવા દર્દીઓની પુષ્ટિ થઈ હતી. ગુરુવાર કરતાં નવા કેસની સંખ્યા 1,251 વધુ છે. આ સમયગાળા દરમિયાન, 2,554 દર્દીઓ સ્વસ્થ થયા અને તેમના ઘરે પાછા ફર્યા. છેલ્લા 11 દિવસમાં જે રીતે દર્દીઓમાં વધારો થયો છે તે દર્શાવે છે કે, ચૂંટણી રાજ્યોમાં ભયાનક બની શકે છે.

પંજાબ

પંજાબમાં કોરોના વાયરસનો કહેર છે. એક જ દિવસમાં અહીં કોરોનાથી મૃત્યુઆંક 4 ગણો વધી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 23 દર્દીઓના મોત થયા છે, જ્યારે આ પહેલા 8 દર્દીઓના મોત થયા હતા. શનિવારે જાહેર કરાયેલ મેડિકલ બુલેટિન અનુસાર પંજાબમાં કોરોનાના 6,883 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 6,56,549 થઈ ગઈ છે.

ઉત્તરાખંડ

ઉત્તરાખંડમાં કોરોના સંક્રમણનો ગ્રાફ અટકવાનું નામ નથી લઈ રહ્યો. શનિવારે રાજ્યમાં 3848 નવા દર્દીઓ મળી આવ્યા હતા અને બે ચેપગ્રસ્ત લોકોના મોત થયા હતા. આ સાથે રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા ત્રણ લાખ 67 હજારને વટાવી ગઈ છે. જ્યારે મૃત્યુઆંક 7440 પર પહોંચી ગયો છે. રાજ્યમાં સક્રિય દર્દીઓની સંખ્યા પણ વધીને 14,892 થઈ ગઈ છે. રાજ્યમાં કોરોના સંક્રમણનો દર 12.42 ટકા છે, જ્યારે દર્દીઓના સાજા થવાનો દર ઘટીને 92 ટકાથી ઓછો થઈ ગયો છે.

મણિપુર

ચાર રાજ્યોની સરખામણીએ મણિપુરમાં કોરોનાના ઓછા કેસ છે. અહીં પણ નવા કેસ ઝડપથી વધવા લાગ્યા છે. શુક્રવારે રાજ્યમાં 116 નવા કેસ સામે આવ્યા છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું કે નવા કેસોમાં 4 સુરક્ષા દળોના જવાનો છે. આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. 29 લોકોને સ્વસ્થ થયા બાદ વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રાજ્યમાં હાલમાં કોરોનાના 944 સક્રિય કેસ છે.

ગોવા

ગોવામાં 14 ફેબ્રુઆરીએ જ વિધાનસભા ચૂંટણી માટે મતદાન થશે. પરંતુ ત્યાં કોરોના સંક્રમણનો દર હવેથી ચિંતાજનક સ્તર કરતા ઘણો વધારે છે. ગોવામાં, જાન્યુઆરીના 15 દિવસમાં સક્રિય કેસ 1,671 થી વધીને 20 હજારથી વધુ થઈ ગયા છે.

આ પણ વાંચોઃ

કોરોના રસીકરણ મહાભિયાનને એક વર્ષ પૂર્ણ, 70 % વસ્તી એક વર્ષમાં થઇ ફૂલી વેક્સીનેટેડ, તો 30 કરોડ બાળકોને મળ્યો પહેલો ડોઝ

આ પણ વાંચોઃ

Corona ઇન્શ્યોરન્સ ક્લેઇમ કરવા જઈ રહ્યા છો? પહેલા જાણી લો આ નવો નિયમ નહિતર કંપનીઓ કરી શકે છે ઊંચા હાથ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">