AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?

NCERT Class 12th New Textbook : NCERT 12માના પોલિટિકલ સાયન્સના નવા પુસ્તકમાંથી બાબરી મસ્જિદનું નામ હટાવી દેવામાં આવ્યું છે. તેની જગ્યાએ ત્રણ ગુંબજનું માળખું આવ્યું છે. નવા પુસ્તકમાં રામ મંદિર આંદોલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે.

NCERT ધોરણ-12માં Political Scienceના નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલાયુ?
NCERT 12th Political Science new book
| Updated on: Jun 18, 2024 | 8:52 AM
Share

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) દ્વારા ધોરણ 12ના નવા પોલિટિકલ સાયન્સ પાઠ્યપુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ બદલવામાં આવ્યું છે. નવા પુસ્તકમાં બાબરી મસ્જિદના ધ્વંસના ઘણા સંદર્ભો હટાવી દેવામાં આવ્યા છે અને રામ જન્મભૂમિ મંદિર આંદોલન પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે નવા પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ કેમ બદલવામાં આવ્યું છે.

સુધારો કરીને નવું પ્રકરણ તૈયાર થયું

આ અંગે NCERTના ડાયરેક્ટર દિનેશ સકલાણીએ જણાવ્યું હતું કે નિષ્ણાતો દ્વારા ફેરફારો એટલા માટે કરવામાં આવ્યા હતા. કારણ કે પુસ્તકો હિંસક, હતાશ નાગરિકો બનાવવા માંગતા ન હતા. તેમણે કહ્યું કે તેઓ ફેરફારો કરવામાં સીધા સામેલ નથી અને નિષ્ણાતોએ ‘વૈશ્વિક પ્રથાઓ’ મુજબ તેમને જે યોગ્ય લાગ્યું તે કર્યું. જૂના ચેપ્ટરની તપાસ કરી તેમાં સુધારો કરીને નવું પ્રકરણ તૈયાર કરવામાં આવ્યું હતું.

નામ શેના હેઠળ હટાવવામાં આવ્યું?

સકલાણીએ કહ્યું કે, બાબરી મસ્જિદનો સંદર્ભ હટાવવો એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અનુરૂપ છે. ત્રણ મહિના પહેલા ફેરફારોની જાહેરાત કર્યા બાદ પાઠયપુસ્તકની નવી આવૃત્તિ રજૂ કરવામાં આવી હતી. પુસ્તકમાં બાબરી મસ્જિદનું નામ નથી અને નવા પુસ્તકમાં તેને ત્રણ ગુંબજવાળી રચના તરીકે વર્ણવવામાં આવી છે. તેમણે કહ્યું કે નિષ્ણાતોએ નક્કી કર્યું કે તેને શું કહેવુ અને શું નહીં.

તમે અન્ય જગ્યાએથી માહિતી મેળવી શકો છો

તેમણે કહ્યું કે, આ NCERT પુસ્તક એક નાનું પુસ્તક છે. જો કોઈ વિદ્યાર્થી અથવા અન્ય કોઈને આ વિષય પર સંશોધન કરવામાં રસ હોય, તો તેઓ તેના વિશે અન્યત્ર વાંચી શકે છે. સકલાનીએ કહ્યું કે, અમે જિજ્ઞાસુઓને વાંચન અને સંશોધન કરતા રોકી શકતા નથી.

હવે પુસ્તકમાં શું છે?

જો કે, NCERTએ કહ્યું છે કે બદલાયેલા સંસ્કરણમાં લખ્યું છે કે, અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરને લઈને વર્ષો જૂના કાનૂની અને રાજકીય વિવાદે ભારતના રાજકારણને પ્રભાવિત કરવાનું શરૂ કર્યું, જેણે વિવિધ રાજકીય ફેરફારોને જન્મ આપ્યો છે.

કેન્દ્રીય મુદ્દો બનતા રામજન્મભૂમિ મંદિર આંદોલને બિનસાંપ્રદાયિકતા અને લોકશાહીની દિશા બદલી નાખી. આ ફેરફારો સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચના નિર્ણયને પગલે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણમાં પરિણમ્યા છે. (જેની જાહેરાત 9 નવેમ્બર, 2019ના રોજ કરવામાં આવી હતી).

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">