ગુજરાત છોડીને MBBS કરવા વિદેશ જતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેમ આટલો મોહ છે? જાણો શું છે દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચેનો મોટો ફરક

ગુજરાતમાં MBBSની બેઠક અને સામે વિદ્યાર્થીઓની સ્થિતિની વાત કરવામાં આવે તો 5500 કરતા વધારે બેઠક સામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે. ઉંચી ટકાવારી અને ઓછી બેઠકનાં કારણે જે લોકો MBBSમાં પ્રવેશ નથી મેળવી શકતા તે લોકો વિદેશ તરફ પોતાની કારકિર્દીની નજર દોડાવે છે.

ગુજરાત છોડીને MBBS કરવા વિદેશ જતા ગુજરાતી વિદ્યાર્થીઓમાં કેમ આટલો મોહ છે? જાણો શું છે દેશી અને વિદેશી સંસ્થાઓ વચ્ચેનો મોટો ફરક
Why Indian students go to Ukraine to study MBBS
Follow Us:
| Updated on: Mar 01, 2022 | 2:10 PM

હાલમાં ચાલી રહેલા યુક્રેન અને રશિયા વચ્ચેનાં યુદ્ધમાં ભારતીય નાગરિકો ફસાયા હોવાની વિગતો મોટા પાયા પર સામે આવી છે. આ ફસાયેલા નાગરિકોમાં એક મોટો વર્ગ વિદ્યાર્થીઓનો પણ છે કે જે MBBS કરવા માટે યુક્રેન પહોચ્યા છે અને હવે સ્થિતિ એ રીતે ગંભીર બની છે કે તેમનો અભ્યાસ અને ભરેલી ફી સામે સીધા સવાલ ઉભા થઈ ગયા છે. ખાસ કરીને દેશમાંથી ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાંથી વિદ્યાર્થીઓ MBBS કરવા માટે યુક્રેન , જાપાન, ફિલિપાઈન્સ , USA સુધી જતા હોય છે. જો કે આ બધામાં સૌથી મોટી વાત એ છે કે દેશ છોડીને આ લોકોને કેમ વિદેશમાં જવું પડે છે? તો તેનો જવાબ છે વસુલવામાં આવતી ફી નું માર્જીન.

ગુજરાતમાં MBBSની બેઠક અને સામે વિદ્યાર્થીઓની સ્થિતિની વાત કરવામાં આવે તો 5500 કરતા વધારે બેઠક સામે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ હોય છે. ઉંચી ટકાવારી અને ઓછી બેઠકનાં કારણે જે લોકો MBBSમાં પ્રવેશ નથી મેળવી શકતા તે લોકો વિદેશ તરફ પોતાની કારકિર્દીની નજર દોડાવે છે. ખાસ કરીને વાત યુક્રેન અને ફિલિપાઈન્સની કરવામાં આવે તો આશરે 25 લાખમાં 5 વર્ષ માટે આખો કોર્ષ પુરો થાય છે જ્યારે કે ગુજરાતમાં આનો આંકડો 1 કરોડની આસપાસ થવા જાય છે. એટલે કે સરવાળે જોવા જઈએ તો કરોડોનો ખર્ચ અગર વિદેશમાં રેહવા જમવા સાથે 25 લાખમાં પુરો થઈ જતો હોય તો ઓછા પર્સેન્ટેજમાં પણ વિદેશ તરફ આવા વિદ્યાર્થીઓ વલણ સ્પસ્ટ કરે તે સ્વાભાવિક છે.

ગુજરાતમાં મેનેજમેન્ટ ક્વોટા

ગુજરાતમાં 5500 કરતા વધારે સીટમાંથી મેનેજમેન્ટ ક્વોટાની 265 સીટ છે. ગુજરાતમાં મેડિકલ કોલેજોની કુલ બેઠક સામે 210 સીટ ઓલ ઈન્ડિયા ક્વોટા માટે હોય છે. 4443 બેઠક સરકારી કોલેજોની છે. 590 NRI બેઠક પણ છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વિદેશમાં MBBS કરવાનું કારણ શું?

ગુજરાતમાં કરોડની ફી સામે વિદેશમાં એટલી જ ફીમાં તો પાંચ વર્ષનું MBBS પૂર્ણ થઈ જાય છે. ગુજરાતમાં એમ પણ મેરીટનું ધોરણ ઉંચુ રહે છે તેને લઈને પણ સ્પર્ધાત્મકતા પણ ઘણી રહે છે. ભારતમા 60 હજાર કરતા વધારે બેઠક સામે વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં રહે છે તેથી જ વિદ્યાર્થીઓ વિદેશમાં MBBS કરવા માટે જતા હોય છે. જો કે આવા વિદ્યાર્થીઓ જ્યારે ભારત પરત ફરે છે ત્યારે એનએમસીની પરીક્ષા આપવી પડે છે.

ગુજરાતમાંથી વિદેશમાં જનારાની સંખ્યા

ગુજરાતમાંથી વિદેશમાં જનારાની સંખ્યા પણ નાની નથી. બે હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ મેડિકલ સ્ટડીનાં ધોરણે વિદેશમાં જતા રહેતા હોય છે. આવા વિદ્યાર્થીઓ ભારતમા રહેલી વિવિધ એજન્સીનો પણ સંપર્ક કરીને જતા હોય છે કે જેથી કરીને સ્થીનિક સ્તર પર કોઈ સમસ્યા સીધી રીતે તેમને નડે નહી. ગુજરાતમાંજ આવી એજન્સીની મધ્યસ્થી પણ 10%નાં ધોરણે પડે છે. કુલ ચુકવવામાં આવેલી ફીની આ ટકાવારી રહે છે.

યુક્રેનમાં ઉભી થયેલી આ સ્થિતિને લઈને ઘણા મોટા પાયા પર વિદ્યાર્થીઓ હાલમાં ત્યાં ફસાઈ ગયા છે અને ભારત પરત ફરવા માટે સંદેશા મોકલતા રહે છે. યુક્રેન પણ એવો દેશ છે કે જ્યાં મેડિકલ કોલેજની સંખ્યા સારી એવી છે અને હાલમાં 1500 કરતા વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે અને તેમનો અભ્યાસ જળવાઈ રહે તે માટે ઓનલાઈન ક્લાસ પણ ચલાવવામાં આવે છે.

આવા જ કેટલાક યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ સાથે વાત કરીને તેમની સ્થિતિ જાણવાનો અમે પ્રયાસ કર્યો

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">