Sirisha Bandla: સિરીશા બાંદલા… નબળી આંખોના કારણે NASAએ કરી હતી રિજેક્ટ, છતાં પણ ભારતની આ દીકરીએ અંતરિક્ષમાં પોતાની છાપ છોડી

Indian Woman Astronaut Sirisha Bandla: ભારતીય મૂળની સિરીશા બાંદલાએ (Sirisha Bandla) ગયા વર્ષે જુલાઈમાં અવકાશમાં ઉડાન ભરી હતી. આંખો નબળી હોવાને કારણે તેને નાસા દ્વારા રિજેક્ટ કરવામાં આવી હતી.

Sirisha Bandla: સિરીશા બાંદલા... નબળી આંખોના કારણે NASAએ કરી હતી રિજેક્ટ, છતાં પણ ભારતની આ દીકરીએ અંતરિક્ષમાં પોતાની છાપ છોડી
Srisha Bandla
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2022 | 1:59 PM

Sirisha Bandla Space News: બ્રિટિશ અબજોપતિ રિચર્ડ બ્રેન્સન (Richard Branson) ગયા વર્ષે તેમની કંપની વર્જિન ગેલેક્ટિકના અવકાશયાન દ્વારા અવકાશમાં ગયા હતા. તેમની સાથે ભારતીય મૂળના સિરીશા બાંદલાએ (Sirisha Bandla) પણ અવકાશમાં ઉડાન ભરી હતી. આવું કરનારી તે ભારતીય મૂળની ત્રીજી મહિલા બની. સિરિશાએ હવે આ અનુભવ વિશે વાત કરી છે. તેણે જણાવ્યું કે આંધ્ર પ્રદેશના ગુંટૂર જિલ્લામાં રહેતા હતા તે દરમિયાન તેમને પહેલીવાર સ્પેસ અંગે ઉત્સુકતા થઈ. તે સમયે તે ઘણી નાની હતી.

સિરીશા બાંદલાએ કરી આ વાત

મીડિયા સાથે વાત કરતાં તેણે કહ્યું, મારી સૌથી જૂની યાદોમાંની એક એ છે કે વીજળી બંધ થઈ જતી હતી. મને યાદ છે કે હું મારા દાદા-દાદીના ઘરની ટેરેસ પર સૂતી હતી. મેં આટલા તેજસ્વી તારા ક્યારેય જોયા નહોતા. જ્યારે કોઈ પ્રદૂષણ હોતું નથી, ત્યારે એવું લાગે છે કે તે તમારા ચહેરા પર ચમકી રહ્યા છે. તેણે કહ્યું, મને લાગે છે કે કદાચ આ જ એ ક્ષણ હતી, જેને મારા મનમાં હકિકતમાં સ્પેસને લઈને બીજ રોપ્યા હતા. ભારતમાં રહેતી વખતે તારાઓને જોઈને મને ઉત્સુકતા થાય છે કે આખરે ત્યાં શું છે? હું તેની વચ્ચે રહેવા માંગતી હતી.

અમેરિકામાં ઉછરીને તેણે પોતાનું સપનું પૂરું કરવાનું નક્કી કર્યું. 34 વર્ષીય બાંદલા નબળી દૃષ્ટિને કારણે નાસાના અવકાશયાત્રી ન બની શક્યા, પરંતુ તેણે એન્જિનિયરિંગનો માર્ગ અપનાવ્યો. જો કે તેને ટૂંક સમયમાં જ અવકાશમાં જવાનો મોકો મળ્યો. હકીકતમાં, યુવાન એરોસ્પેસ એન્જિનિયર એ ટીમનો ભાગ હતી, જે ગયા વર્ષે જુલાઈમાં વર્જિન ગેલેક્ટીકની પ્રથમ અવકાશ ઉડાન પર સર રિચર્ડ બ્રેન્સન સાથે અવકાશમાં ગઈ હતી. તેમનું અવકાશયાન પૃથ્વીથી લગભગ 90 કિમી ઉપર ગયું હતું અને આ અંતર કાપ્યા બાદ તેની તેમના પર ઊંડી અસર પડી હતી.

મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ

સ્પેસ ટ્રીપ વિશે શું કહ્યું સિરીશા બાંદલાએ?

સિરિશા બાંદલાએ તેમના અવકાશના અનુભવ વિશે વાત કરી. તેણે કહ્યું, ‘પૃથ્વી તરફ જોઈને અને વાતાવરણની પાતળી વાદળી રેખા જોઈને લાગ્યું કે આપણે કેટલા નસીબદાર છીએ. આ ઉપરાંત આપણો ગ્રહ કેટલો નાજુક છે. અવકાશમાંથી આ બધું જોવું આશ્ચર્યજનક હતું. હું અમેરિકાના દક્ષિણ પશ્ચિમ તરફ જોઈ રહી હતી. અમે વિવિધ દેશો વિશે વાત કરી રહ્યા હતા. પણ મને એક પણ બાઉન્ડ્રી દેખાઈ નહીં.’ બાંદલાએ કહ્યું, ‘તેને મને એ શીખવ્યું કે આપણે કેટલા વિભાજિત થઈ ગયા છીએ. અવકાશના ઘનઘોર અંધારામાં વિશાળ પૃથ્વીને જોઈને મને નાનું લાગ્યું હતું. પરંતુ તે મને તુચ્છ ન લાગ્યું. તેથી, હું પોઝિટિવ ચેન્જ સાથે પૃથ્વી પર પાછી ફરી. અમારી પાસે જે છે તેની હું ખરેખર કદર કરું છું.’

બાંદલા કહે છે, ‘તે સફર પછી, મને હંમેશા એક જ શબ્દ સાંભળાઈ છે, તે છે ‘અવિશ્વસનીય’. તે ભાવનાત્મક લાગણી જેવું હતું. એક માનસિક સ્થિતિ હતી. તેનું વર્ણન કરવું મુશ્કેલ છે. તેથી જ વધુને વધુ લોકો આ પરિવર્તનકારી સફરનો અનુભવ ન કરે ત્યાં સુધી હું રાહ જોઈ શકતી નથી. “હું ત્યાં સુધી રાહ જોઈ શકતી નથી જ્યાં સુધી કવિઓ અને પ્રોફેશનલ કોમ્યુનિકેટર અવકાશમાં જઈને પાછા આવે અને પછી તેમના અનુભવો વિશે વાત કરે,” તેણે કહ્યું. તેઓ તેમના અનુભવને એન્જિનિયર કરતાં વધુ સારા શબ્દોમાં વર્ણવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">