AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pariksha Pe Charcha : PM મોદીની ધોરણ-10 બોર્ડ પરીક્ષા વિશે ટિપ્સ, તમને રાખશે ‘સુપર કૂલ’

Pariksha Pe Charcha 2023 : આ વખતે 'પરિક્ષા પે ચર્ચા 2023'નું આયોજન 27 જાન્યુઆરીએ કરવામાં આવશે. અહીં બોર્ડ પરીક્ષાના સંબંધમાં પીએમ મોદીની ટિપ્સ વિશે માહિતી આપવામાં આવી રહી છે.

Pariksha Pe Charcha : PM મોદીની ધોરણ-10 બોર્ડ પરીક્ષા વિશે ટિપ્સ, તમને રાખશે 'સુપર કૂલ'
Pariksha Pe Charcha 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 8:01 AM
Share

Pariksha Pe Charcha 2023 : બોર્ડના વિદ્યાર્થીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ કાર્યક્રમ પરિક્ષા પે ચર્ચા 2023નું આયોજન 27 જાન્યુઆરીએ કરવામાં આવશે. કાર્યક્રમમાં પીએમ મોદી બોર્ડની પરીક્ષાઓને લઈને બાળકો સાથે વાત કરશે. તેઓને પરીક્ષાની તૈયારીઓ અંગે ટિપ્સ આપશે. આ કાર્યક્રમ દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં યોજાશે. PPC 2023 એ પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની છઠ્ઠી આવૃત્તિ છે. અગાઉના કાર્યક્રમોમાં પણ પીએમ મોદીએ બોર્ડની પરીક્ષાની ઘણી ટિપ્સ આપી છે. પીએમના પુસ્તક Exam Warriorsમાં પણ તેમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ લેખમાં અમે તમને તેની 10 શ્રેષ્ઠ પરીક્ષા ટિપ્સ જણાવી રહ્યા છીએ.

પરિક્ષા પે ચર્ચા કાર્યક્રમની અત્યાર સુધીમાં 5 આવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં Narendra Modiએ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને બોર્ડની પરીક્ષા માટે સુવર્ણ ટિપ્સ આપી રહ્યા છે. જાણો બોર્ડની પરીક્ષાની તૈયારી કરવા અને પરીક્ષાના તણાવને દૂર કરવા માટે વડાપ્રધાન મોદીએ તેમના પુસ્તક Exam Warriorsમાં કયા મંત્રો આપ્યા છે.

આ પણ વાંચો : Pariksha Pe Charcha 2023: PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે પરીક્ષા પે ચર્ચા, જાણો આ કાર્યક્રમ વિશે

PM Modi Board Exam Tips

  1. PM Modiએ તેમના પુસ્તકમાં કહ્યું કે, બોર્ડની પરીક્ષાને તહેવારની જેમ ઉજવો. આમ કરવાથી પરીક્ષાનો તણાવ ઓછો થશે અને તૈયારી સારી થશે.
  2. પરીક્ષા એ તમારી ક્ષમતા બતાવવાનો માર્ગ છે. તેથી ગભરાશો નહીં અને ડરશો નહીં. પોઝિટિવ રહો અને તમારું શ્રેષ્ઠ આપો. તમારી તુલના તમારા મિત્રો સાથે ન કરો.
  3. પરિક્ષા પે ચર્ચાની પાંચમી આવૃત્તિ દરમિયાન પીએમએ વિદ્યાર્થીઓને શીખવાની ઓનલાઈન અને ઓફલાઈન બંને પદ્ધતિઓનો અસરકારક રીતે ઉપયોગ કરવાની સલાહ આપી હતી. તેમણે વિદ્યાર્થીઓને સમજદારીપૂર્વક મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાનું સૂચન પણ કર્યું હતું.
  4. PM મોદીએ પોતાના પુસ્તક Exam Warriors માં લખ્યું છે કે વિદ્યાર્થીઓએ બોર્ડની તૈયારી કરતી વખતે પોતાની ફિટનેસ પર ધ્યાન આપવું જોઈએ. નિયમિત રીતે યોગ કરો અને રમત-ગમતની પ્રવૃત્તિઓમાં પણ જોડાઓ. સ્વાસ્થ્ય સુધારવા ઉપરાંત તે તણાવ મુક્ત રાખવામાં પણ મદદ કરે છે.
  5. તમારામાં વિશ્વાસ રાખો અને હંમેશા ધ્યાનમાં રાખો કે પરીક્ષાના ગુણ જ સર્વસ્વ નથી. ટાઈમ ટેબલ બનાવીને અભ્યાસ કરો.
  6. વિદ્યાર્થીઓએ તૈયારી કરતી વખતે નોંધો બનાવવી જોઈએ અને તમે જે ભૂલી જાય છે તે લખો, પુનરાવર્તન પર વધુ ધ્યાન આપો.
  7. તમારી જાતને પ્રોત્સાહિત કરો, તમારી નબળાઈઓને સમજો અને તેને દૂર કરવાનો પ્રયાસ કરો. પરીક્ષાથી ક્યારેય ડરશો નહીં.
  8. તમે જે વિષયોમાં નબળા છો તેના પર વધુ ધ્યાન કેન્દ્રિત કરો અને નોંધો બનાવીને તૈયાર કરો.
  9. તમારા માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પીએમ મોદીએ વિદ્યાર્થીઓને સલાહ આપી કે, મન અને હૃદયનું સંતુલન રાખવું ખૂબ જ જરૂરી છે.
  10. હંમેશા ખુશ રહો અને સારા મૂડ સાથે તૈયારી કરો. એ વિચારીને તૈયારી કરો કે તેઓ પરીક્ષામાં ચોક્કસ સફળ થશે.

27 જાન્યુઆરીના રોજ યોજાનારી Pariksha Pe Charcha કાર્યક્રમ પહેલા સોમવારે શિક્ષણ વિભાગ દ્વારા દેશભરની લગભગ 500 કેન્દ્રીય વિદ્યાલયોમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
g clip-path="url(#clip0_868_265)">