AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મહારાષ્ટ્ર : Online Exam ની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવ કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ

મુંબઈ સહિત નાગપુર, ઔરંગાબાદ, ઉસ્માનાબાદ, નાંદેડ અને જલગાંવમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ અંગે શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યુ કે, 'કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા રદ કરવાની માંગ કરે છે તો કેટલાકની માંગ છે કે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવે. '

મહારાષ્ટ્ર : Online Exam ની માંગ સાથે વિદ્યાર્થીઓ ઉતર્યા રસ્તા પર, શિક્ષણ મંત્રીના ઘરનો ઘેરાવ કરતા પોલીસે કર્યો લાઠીચાર્જ
Student Protest (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2022 | 7:31 PM
Share

Maharashtra : મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં 10મા અને 12માના વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા (Online Exam) લેવાની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિદ્યાર્થીઓએ મુંબઈના ધારાવી સ્થિત શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડના(Varsha Gaikwad)  બંગલાનો ઘેરાવ કર્યો હતો. સેંકડોની સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓના ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. વિદ્યાર્થીઓની દલીલ છે કે જ્યારે અભ્યાસ ઓનલાઈન થયો છે તો પછી પરીક્ષા ઓફલાઈન શા માટે લેવામાં આવી રહી છે.

હિન્દુસ્તાની ભાઉના કહેવાથી વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

વિદ્યાર્થીઓએ કહ્યુ કે તેઓ સોશિયલ મીડિયા પર મશહુર હિન્દુસ્તાની ભાઉ (Vikash Pathak )ના કહેવા પર ભેગા થયા છે. મુંબઈ પોલીસે આપેલી માહિતી મુજબ હિન્દુસ્તાની ભાઉ દ્વારા આંદોલનકારી વિદ્યાર્થીઓને ઉશ્કેરવાના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. જો તપાસમાં તથ્ય જણાશે તો આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન, સમાચાર આવી રહ્યા છે કે હિન્દુસ્તાની ભાઉ ધરપકડ પહેલા જામીન માટે વકીલોની સલાહ લઈ રહ્યા છે. હાલ આ મામલે ગૃહમંત્રી દિલીપ વાલ્સે પાટીલે સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.

વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે

રવિવારે શાળા શિક્ષણ પ્રધાન વર્ષા ગાયકવાડે કહ્યુ હતુ કે, રાજ્યમાં ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓ સમયસર લેવામાં આવશે અને ઑફલાઇન કરવામાં આવશે. જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ પરીક્ષાનો સમય લંબાવીને ઓનલાઈન મોડ દ્વારા પરીક્ષા લેવાની માંગ કરી રહ્યા છે.

વિદ્યાર્થીઓના આંદોલન પર પ્રતિક્રિયા આપતા શિક્ષણ મંત્રી વર્ષા ગાયકવાડે કહ્યુ કે જે પણ માંગણીઓ છે તેના પર ચર્ચા થઈ શકે છે, આંદોલનની શું જરૂર છે ? શિક્ષણ રાજ્ય મંત્રી બચ્ચુ કડુએ કહ્યુ કે, જાણ કર્યા વિના આંદોલન કરવું ખોટું છે. મળતી માહિતી મુજબ આ મુદ્દે ચર્ચા કરવા અને સમસ્યાઓનું સમાધાન શોધવા માટે એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવશે.

આ પણ વાંચો : Goa Assembley Election 2022: શિવસેના નેતા સંજય રાઉતે કહ્યું ‘ઝૂકેંગે નહીં ઔર ચૂકેંગે નહીં’, અમિત શાહના ગોવા જવાથી હવે કંઈ નહીં થાય

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">