Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂના સમાચારોને નવી તકોમાં ફેરવવા – મહા પસ્તી અભિયાન સીઝન 11મી આવૃત્તિ

માર્ચ મહિનો, પરીક્ષાની ઘડીઓ, વિદ્યાર્થીઓની ધમાલ, વેકેશનની રાહ જોતા અને NGO - અર્હમ યુવા સેવા ગ્રુપ (AYSG) ના યુવાનો માટે માર્ચ મહિનો ખાસ છે કારણ કે તેઓ 11મી વખત મહા પસ્તી અભિયાન (MPA) શરૂ કરે છે.

જૂના સમાચારોને નવી તકોમાં ફેરવવા - મહા પસ્તી અભિયાન સીઝન 11મી આવૃત્તિ
Follow Us:
Sagar Solanki
| Edited By: | Updated on: Mar 13, 2024 | 12:11 PM

માર્ચ મહિનો, પરીક્ષાની ઘડીઓ, વિદ્યાર્થીઓની ધમાલ, વેકેશનની રાહ જોતા અને NGO – અર્હમ યુવા સેવા ગ્રુપ (AYSG) ના યુવાનો માટે માર્ચ મહિનો ખાસ છે કારણ કે તેઓ 11મી વખત મહા પસ્તી અભિયાન (MPA) શરૂ કરે છે.

રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ જી મહારાજ સાહેબ ની પ્રેરણા થી, અર્હમ યુવા સેવા ગ્રુપ ના મહા પસ્તી અભિયાન 11 દ્વારા કરવામાં આવેલ એક પ્રકારની સામાજિક પહેલ છે જેમાં AYSG સંપૂર્ણ માર્ચ મહિના સુધી દેશભરમાં ઘરે ઘરે જઈને પસ્તી એકત્રિત કરે છે અને વિવિધ સ્વરૂપોમાં જરૂરિયાતમંદ લોકો માટે શિક્ષણને સહાય આપવા ફંડ એકત્ર કરે છે.

MPA, મહા પસ્તી અભિયાન, એક નોંધપાત્ર સિદ્ધિનું કાર્ય છે, કારણ કે AYSG એ એક જ મહિનામાં  મુંબઈમાં 61,820 Kg જૂના અખબારો એકત્રિત કર્યા,અને દેશભરમાં કુલ 1,51,210 Kg એકત્રિત કર્યુ.

TMKOC: તો શું આ છે 'તારક મહેતા' શોની નવી દયાબેન? જાણો સત્ય
LPG, UPI અને TAX માં 1 એપ્રિલથી લાગુ થશે આ મોટા ફેરફારો
રવિના ટંડનની દીકરી રાશા થડાનીના જુઓ સુંદર ફોટો
ઘરની આ 5 જગ્યાઓ પર ભૂલથી પણ ના રાખવો જોઈએ તુલસીનો છોડ!
ડેવિડ વોર્નરને ફિલ્મ 'રોબિન હૂડ' માટે કેટલો ચાર્જ લીધો, જુઓ ફોટો
આ વસ્તુઓ ન ખાઓ, તમારું શુગર લેવલ અચાનક વધી જશે

પસ્તી એ જૂના અખબારો, પુસ્તકો અને ના જોઇતા  કાગળો છે. જૂના અખબારો ઉપરાંત, નોટબુક, પાઠ્યપુસ્તકો અને કાગળ, કાર્ડબોર્ડ બોક્સ અને ડિલિવરી બોક્સ સ્વીકારવામાં આવે છે. ભારતમાં તેને રદ્દી તરીકે પણ ઓળખવામાં આવે છે.

પસ્તીનો એ ઢગલો તમારા ઘર, ઓફિસ, શાળાઓમાં જમા થાય છે, પછી ભલે તમે તેને કેટલી વાર કાઢી નાખો. કોણે વિચાર્યું હશે કે આ પસ્તી ને કોઈના ખજાનામાં ફેરવી શકાય છે.

આ વર્ષે 11મું મેગા પસ્તી કલેક્શન છે, જે સંસ્થાની સૌથી નોંધપાત્ર અને અસાધારણ પ્રવૃતિ છે, જેમાં કોઈ કસર છોડવામાં નથી આવતી. દર વર્ષે સોસાયટીઓ અને બિલ્ડીંગોમાંથી ટન પસ્તી એકત્ર કરવામાં આવે છે. તેઓ કોર્પોરેટ ઓફિસ, બેંકો, શાળાઓ, કોલેજો, કોચિંગ ક્લાસ અને સંસ્થાઓ સાથે જોડાય છે.

પસ્તી ફંડ નો ઉપયોગ વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે થાય છે, પછી ભલે તે શાળાઓ અને કોલેજોની ફી ચૂકવવા, ઉચ્ચ શિક્ષણ માટે, તેમને સ્ટેશનરી કીટ આપવા, તેમને મોંઘી કોચિંગ સામગ્રી ઉપલબ્ધ કરાવવા, કોચિંગ ક્લાસ અને તેમની ફી દ્વારા હોય. MPA-11 એ બાળકો માટે આશીર્વાદ સમાન છે જેમણે ક્યારેય શિક્ષણનું સ્વપ્ન પણ જોયું નથી. AYSG માત્ર બાળકોના જીવનને ઘડતું નથી પરંતુ દેશના ભવિષ્યને આકાર આપી રહ્યું છે અને ઉજ્જવળ કરી રહ્યું છે.

NGO અર્હમ યુવા સેવા ગ્રુપ સમગ્ર ભારતમાં 60+ થી વધુ કેન્દ્રો ધરાવે છે અને દરેક કેન્દ્ર આ મેગા પસ્તી અભિયાનમાં આગળ વધીને દિવસભર પૂરા દિલથી કામ કરવા માટે સમર્પિત છે. આ કેન્દ્રોના સ્વયંસેવકો ઇમારતો, કોર્પોરેટ પાર્ક, હાઉસિંગ સોસાયટીઓ સુધી પહોંચે છે અને ઘરે-ઘરે પસ્તી એકત્રિત કરે છે, સમાજના વંચિત વર્ગ માટે ફંડ એકત્ર કરવા માટે તે વેચે છે. AYSG ના સ્વયંસેવકો સંપૂર્ણ સમર્પણ અને નમ્રતા સાથે લોકોના જીવનમાં માનવતાના રંગો ભરીને અવિરતપણે સેવા આપે છે.

આજે જે બાળકો AYSG ના ફંડ થી ભણે છે તેઓ મોટા થઈને મહાન વૈજ્ઞાનિકો અને ડૉક્ટરો બનશે જેઓ મોટી બીમારીઓ અને રોગોનો ઈલાજ કરશે, તેઓ સફળ વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટ્સ, ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, એન્જિનિયર્સ બનશે અને રાષ્ટ્રનું ઈંટથી ઈંટનું નિર્માણ કરશે.

AYSG અગણિત મિશન ચલાવે છે જેમા AYSG ડાયાલિસિસ સહાય પણ ચાલે છે. 27000 થી વધુ દર્દીઓની જરૂરિયાતોમાટે તેમને નાણાકીય સહાય અને ભાવનાત્મક સહાય કરે છે. તેના પ્રોજેક્ટ દ્વારા અર્હમ અનુકંપા એનિમલ એમ્બ્યુલન્સ શરૂ કરવામાં આવી છે જ્યાં દરરોજ સેંકડો પ્રાણીઓની સારવાર અને સંભાળ લેવામાં આવે છે. વર્ષ 2023 માં પૂર રાહત મિશન દ્વારા હજારો લોકોને નવું જીવન અને નવા ઘરોની ભેટ આપવામા સફળ થયા છે. AYSG ના અગણિત મિશન બધા માટે આનંદ, કૃપા અને આશીર્વાદ સમાન છે.

જો તમે તમારા પસ્તી ને કોઈની મદદ માટે રૂપાંતરિત કરવા માંગતા હો, તો કૃપા કરીને https://arham.org/mpa-11/ પર એક ફોર્મ ભરો. પછી નજીકના AYSG તેના સંગ્રહ માટે સંકલન કરશે અને સુનિશ્ચિત કરશે કે યોગ્ય દાન સ્મિત ફેલાવવામાં અને દરેક યુવાન સ્ટારને વધુ તેજસ્વી બનાવશે.

g clip-path="url(#clip0_868_265)">