Gandhinagar : નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં યોજાય, જાણો નવા કાયદાની જોગવાઇ શું હશે

Gandhinagar news : જે કાયદાનું અત્યારે ડ્રાફ્ટિંગ થઇ રહ્યુ છે. એ કાયદાની અંદર હાલમાં સૌથી કડક કાયદો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં છે. આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે.

Gandhinagar : નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં યોજાય, જાણો નવા કાયદાની જોગવાઇ શું હશે
પેપર લીક મામલે બનશે નવો કાયદો
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Feb 07, 2023 | 12:55 PM

ગુજરાત સરકાર વિધાનસભાના આગામી સત્રમાં પેપર લીકને લઈ કડક કાયદો લાવશે. આ અંગે ઉત્તરપ્રદેશ તથા રાજસ્થાનના કાયદાનો અભ્યાસ પણ શરૂ કરી દેવાયો છે. પેપર લીક મુદ્દે આવનારા નવા કાયદામાં પેપર ફોડનાર અને લેનાર બંને સામે કડક કાર્યવાહીની જોગવાઈઓ કરવામાં આવશે. જો કોઈ પરીક્ષાર્થી સંડોવાયેલો હશે તો 3 વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષા ન આપી શકે તેવી જોગવાઈ કરવામાં આવશે. જ્યમાં હવે નવા કાયદાની અમલવારી બાદ જ પરીક્ષાઓ લેવામાં આવશે. આ ઉપરાંત પરીક્ષાના પેપર ખાનગી પ્રેસના બદલે સરકારી પ્રેસમાં છપાવવા અંગેની વિચારણા પણ ચાલી રહી છે.

અન્ય રાજ્યના કાયદાનો અભ્યાસ

જે કાયદાનું અત્યારે ડ્રાફ્ટિંગ થઇ રહ્યુ છે. એ કાયદાની અંદર હાલમાં સૌથી કડક કાયદો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં છે. આ બંને રાજ્યોના કાયદાનો અભ્યાસ હાલમાં કરવામાં આવી રહ્યો છે. આ કાયદાના ડ્રાફ્ટિંગ સમયે સજાની જોગવાઇ માટે ખૂબ જ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. પેપર લીક કાંડમાં જે પણ લોકો સંડોવાયેલા હશે તેમને 10 વર્ષ સુધીની સજા થઇ શકે છે. તો ઓછામાં ઓછો 10 લાખ રુપિયા દંડ ફટકારવાની જોગવાઇ પણ થઇ શકે છે. આ દંડની રકમમાં વધારો પણ થઇ શકે છે.

બજેટ સત્રમાં મુકાશે બીલ

આ સાથે જ પેપર લીકમાં સંડોવાયેલા લોકોમાં જો કોઇ સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હશે, તો એવા ઉમેદવારોને ત્રણ વર્ષ સુધી કોઇપણ સ્પર્ધાત્મક પરીક્ષા આપવા દેવામાં નહીં આવે. તો મહત્વની વાત એ પણ છે કે ગુજરાતમાં હવે નવા કાયદાની અમલવારી નહીં થાય ત્યાં સુધી કોઇ પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે નહીં. ફેબ્રુઆરીના બજેટ સત્રમાં પેપર લીક માટેના કાયદા અંગે બીલ મુકવામાં આવશે. બીલને મંજુરી મળશે ત્યારબાદ મ્હોર લગાવવામાં આવશે અને ત્યાર બાદ કાયદો બનશે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

નવા કાયદા બાદ જ યોજાશે પરીક્ષા

એટલે કે જ્યાં સુધી ગુજરાતમાં પેપર લીકનો નવો કાયદો નહીં આવે ત્યાં સુધી એક પણ સ્પર્ધાત્મક પરીક્ષા નહીં થાય. આ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં યોજાશે તેવી માહિતી હતી. આ માહિતી ગઇકાલે હસમુખ પટેલ આપવામાં આવી હતી. જો કે નવો કાયદો બન્યો ન હોવાને કારણે જ તેમણે પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી ન હતી. એટલે કે હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા યોજાશે તે નવા કાયદાના અમલ બાદ યોજાશે.

કયા કાયદા બની શકે છે ?

હવે જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષા લેવાશે તેમાં જ્યાં સમુહ ઉમેદવારો એટલે કે નવ લાખ કે દસ લાખથી વધુ વિદ્યાર્થીઓ હશે અને જેમાં પેપર ચોરી થવાની સંભાવના રહેલી હશે ત્યાં પરીક્ષાના ટાઇમ ટેબલ બદલી દેવામાં આવશે. એક સાથે 7 લાખ કે નવ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા ના લેવાવાને બદલે અલગ અલગ સમયે અલગ તારીખે પરીક્ષા લેવાય તેવી વિચારણા ચાલી રહી છે. મલ્ટીપલ પેપર સેટ તૈયાર કરવાની વિચારણા પણ ચાલે છે. સજાની જોગવાઇમાં પણ વધારો કરવામાં આવશે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">