CBSE Exam : ધો-12ની પરીક્ષા અંગે 1લી જૂને નિર્ણય લેવાશે, પરીક્ષા યોજવા બાબતે વિકલ્પો રજુ કરાયા

CBSE ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાઇ શકે છે. રવિવારે આ મુદ્દે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી.

CBSE Exam : ધો-12ની પરીક્ષા અંગે 1લી જૂને નિર્ણય લેવાશે, પરીક્ષા યોજવા બાબતે વિકલ્પો રજુ કરાયા
કેન્દ્રીય શિક્ષણ પ્રધાન,રમેશ પોખરિયાલ નિશાંક
Follow Us:
| Updated on: May 23, 2021 | 6:48 PM

CBSE ની ધોરણ-12ની પરીક્ષા ટૂંક સમયમાં યોજાઇ શકે છે. રવિવારે આ મુદ્દે કેન્દ્રિય શિક્ષણ પ્રધાને ઉચ્ચ-સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠક બાદ કેન્દ્રીય શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશાંકે સોશિયલ મીડિયા પર માહિતી આપી હતી. જેમાં તેમણે તમામ રાજ્યો પાસેથી 25 મે સુધીમાં પ્રસ્તાવ મંગાવ્યો હોવાનું જણાવ્યું છે.

શિક્ષણપ્રધાને કહ્યું કે અમને વિશ્વાસ છે કે ધોરણ-12ની પરીક્ષા અંગે અમે ટૂંક સમયમાં નિર્ણય લઇ લઇશું. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે કે વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સુરક્ષા તથા ભવિષ્ય બન્ને અમારા માટે ખૂબ જ મહત્વના છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રી-પ્રોફેસરો ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની તથા પ્રકાશ જાવડેકરે પણ ભાગ લીધો હતો.

પરીક્ષાને લઈને CBSE પાસે બે વિકલ્પો છે

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

1) ફક્ત મેજર સબ્જેક્ટની પરીક્ષા નક્કી કરાયેલા સેન્ટરો પર યોજાય. આ પરીક્ષાના નંબરોને આધાર બનાવી માઈનર વિષયોમાં પણ નંબર આપી શકાય. આ વિકલ્પ હેઠળ પરીક્ષા યોજવા માટે પ્રી-એક્ઝામ માટે 1 મહિનો, પરીક્ષા અને રિજલ્ટ ડિક્લેર કરવા માટે 2 મહિના અને કંપાર્ટમેન્ટ એક્ઝામ માટે 45 દિવસનો સમય જોઇએ.

2) તમામ વિષયોની એક્ઝામ માટે દોઢ કલાક (90 મિનિટ)નો સમય નક્કી કરવાનું સુચન અપાયું છે. આ સાથે પેપરમાં ફક્ત ઓબ્જેક્ટિવ અથવા શોર્ટ પ્રશ્નો જ પૂછવાની સલાહ અપાઇ છે. આ હેઠળ 45 દિવસમાં જ એક્ઝામ યોજવામાં આવી શકે છે. તેમા કહેવામાં આવ્યું છે કે ધોરણ 12ના બાળકોને મેજર સબ્જેક્ટની પરીક્ષા તેમની જ શાળામાં લેવામાં આવે, આ સાથે પરીક્ષા કેન્દ્રોની સંખ્યા પણ બમણી કરી દેવી.

1લી જૂનના રોજ ફરી બેઠક યોજાશે શિક્ષણ મંત્રી 1લી જૂનના રોજ CBSE સાથે ફરી બેઠક યોજશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે રવિવારે યોજાયેલી બેઠકમાં CBSEએ પરીક્ષા માટે વિકલ્પ રજૂ કર્યા છે. કેટલીક મીડિયા અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ધોરણ-12ની પરીક્ષા યોજાશે. તેની તારીખ તથા ફોર્મેટ હજુ સુધી નક્કી નથી. 1જૂનના રોજ તારીખો અંગે જાહેરાત થઈ શકે છે. બીજી બાજુ સ્ટેટમાં ધોરણ-12ની પરીક્ષા યોજવા અંગે નિર્ણય તેમના બોર્ડ પર છોડવામાં આવ્યો છે.

ફક્ત 3 વિષયોની પરીક્ષા યોજવાની વિચારણા કોરોના મહામારી વચ્ચે CBSE ધોરણ-12માં મુખ્ય વિષયો એટલે કે મેજર સબ્જેક્ટ્સની પરીક્ષા લેવા જ વિચારણા કરી રહી છે. અન્ય સબ્જેક્ટ્સમાં મુખ્ય વિષયો પર મળેલા નંબર્સના આધારે માર્કિંગની ફોર્મ્યુલા પણ બની શકે છે.

Latest News Updates

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
g clip-path="url(#clip0_868_265)">