AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE બોર્ડે શા માટે શાળાઓને ચેતવણી આપી? આખરે શું છે મામલો, જાણો

CBSE Board: CBSE બોર્ડ દ્વારા નોટિસ જાહેર કરવામાં આવી છે. જેમાં શૈક્ષણિક સત્રને લઈને શાળાઓને ચેતવણી આપવામાં આવી છે. તેમને શૈક્ષણિક સત્ર ક્યારે શરૂ થશે તે જણાવવામાં આવ્યું છે.

CBSE બોર્ડે શા માટે શાળાઓને ચેતવણી આપી? આખરે શું છે મામલો, જાણો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2023 | 9:21 PM
Share

CBSE Notice: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ તમામ સંલગ્ન શાળાઓ માટે નોટિસ જાહેર કરી છે. જેમાં તેમને 1 એપ્રિલથી શૈક્ષણિક સત્ર શરૂ કરવા તાકીદ કરવામાં આવી છે અને તે પહેલા નહીં. CBSEએ શાળાના વડાઓને 1 એપ્રિલથી 31 માર્ચ સુધીના શૈક્ષણિક સત્રનું ‘ચુસ્તપણે પાલન’ કરવા જણાવ્યું છે. બોર્ડ વતી, તેમને 1 એપ્રિલ પહેલા સત્ર શરૂ કરવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. કરિઅર ન્યુઝ અહીં વાંચો.

CBSE બોર્ડની સૂચનામાં કહેવામાં આવ્યું છે કે ઘણી શાળાઓ અભ્યાસક્રમને સમાયોજિત કરવા માટે શૈક્ષણિક વર્ષ વહેલું શરૂ કરે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ‘એવું જોવામાં આવ્યું છે કે કેટલીક માન્યતા પ્રાપ્ત શાળાઓએ તેમનું શૈક્ષણિક વર્ષ વર્ષની શરૂઆતમાં જ શરૂ કર્યું છે. આખા વર્ષનો અભ્યાસક્રમ ટૂંકા સમયમાં પૂરો કરવાનો પ્રયાસ કરતી શાળાઓ વિદ્યાર્થીઓ માટે જોખમી છે, કારણ કે તેઓ દબાણમાં આવી શકે છે. આ સિવાય વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે ચિંતા અને થાક લાગી શકે છે.

નોટિસમાં બીજું શું કહ્યું?

બોર્ડે વધુમાં જણાવ્યું હતું કે તે વિદ્યાર્થીઓને જીવન કૌશલ્ય, મૂલ્ય શિક્ષણ, આરોગ્ય અને શારીરિક શિક્ષણ, કાર્ય શિક્ષણ અને સમુદાય સેવા જેવી અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટે પૂરતો સમય આપતું નથી. બોર્ડે ભારપૂર્વક જણાવ્યું હતું કે અભ્યાસની સાથે આ બધી બાબતો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

“તેથી, બોર્ડ સાથે સંલગ્ન શાળાઓના આચાર્યો અને સંસ્થાઓના વડાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ વર્ષના અંત પહેલા શૈક્ષણિક સત્ર શરૂ કરવાથી દૂર રહે,” નોટિસમાં કહેવામાં આવ્યું છે. તેઓએ 1લી એપ્રિલથી 31મી માર્ચ સુધીના શૈક્ષણિક સત્રનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.

CBSE હાલમાં ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષાઓ લઈ રહી છે. બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી. ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 21 માર્ચે સમાપ્ત થશે, જ્યારે ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલ સુધી ચાલવાની છે.

(ઇનપુટ-ભાષાંતર)

Follow Us
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
અમદાવાદની IDP સ્કૂલમાં પૂર્વ શિક્ષિકા સાથે ગેરવર્તન, વીડિયો વાયરલ
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગુજરાત અને મુંબઈમાં આ તારીખથી પડશે ચોમાસાનો વરસાદ, અંબાલાલની આગાહી
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
ગીર સોમનાથ: કુવામાં સફાઈ દરમિયાન બે મજૂર દટાયા, એકનું મોત
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
આટલા દિવસ બાદ કેમ સુરત મનપાએ કહ્યું કે ડિમોલેશન તેમણે કર્યું !
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
સુરતમાં શાળા સ્થળાંતરનો વિવાદ ઉગ્ર, વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપવાસ પર
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
ખેડૂતો સાથે છેતરપિંડી કરનારાઓ સામે રાજ્ય સરકારની ચેતવણી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
સાંજના સમયે થશે અચાનક આર્થિક લાભ, બાળકોની સિદ્ધિથી પરિવારમાં ખુશી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
મહુવા હોસ્પિટલની બેદરકારી, દિવાલની ટાઈલ્સ તૂટીને બેડ પર પડી
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
રાજકોટ સિવિક સેન્ટરમાં જન્મ મરણના દાખલા માટે થયો હોબાળો
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
બે મહિલા પોલીસકર્મી લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">