AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક ! ગણિતનુ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ

બિહાર બોર્ડ (BSEB) ધોરણ 10ની બોર્ડ પરીક્ષા 2022 આજથી શરૂ થઈ ગઈ છે અને પ્રથમ પાળીમાં પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ગણિતનું પેપર સોશિયલ મીડિયા પર લીક થઈ ગયું હતું.

Bihar : ધોરણ 10ની બોર્ડ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક ! ગણિતનુ પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ
Bihar Board Exam (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 4:46 PM
Share

Bihar : બિહાર બોર્ડ (BSEB) ની ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આજથી શરૂ થઈ છે અને આજે પ્રથમ પાળીમાં ધોરણ 10ની ગણિતની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ સોશિયલ મીડિયા (Social Media) પર ગણિતનું પેપર (Maths Paper) લીક થયાના અહેવાલો સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ પ્રશ્નપત્ર વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થયુ હતુ. પેપર ઓરિજનલ છે કે નકલી તે અંગેની પ્રાથમિક તપાસ બાદ જિલ્લા વહીવટીતંત્રે કહ્યું કે, વાયરલ થઈ રહેલા તમામ પ્રશ્નો BSEB ધોરણ 10ના ગણિતના પેપર સાથે બંધબેસતા છે. ત્યારે હવે જિલ્લા વહીવટીતંત્ર આ અંગે કાર્યવાહી કરવાનુ રટણ કરી રહ્યુ છે.

પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીક

ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, પ્રશ્નપત્ર વાયરલ થયા બાદ શરૂઆતમાં મૂંઝવણ હતી પરંતુ પેપરની તપાસમાં તમામ પેપર અસલી હોવાનું જાણવા મળ્યું હતું. કડક સુરક્ષા અને કોવિડ-19ની માર્ગદર્શિકા (Corona Guidelines) વચ્ચે ગુરુવારે બિહાર બોર્ડની પરીક્ષા શરૂ થઈ. પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ પેપર લીકની ઘટના બની હતી.

પરીક્ષા 24 ફેબ્રુઆરી સુધી ચાલશે

રાજ્યમાં 1525 પરીક્ષા કેન્દ્રો પર 8.06 લાખ સહિત 16.48 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષા બે શિફ્ટમાં લેવામાં આવી રહી છે. જેમાં સવારે 9:30 થી 12:45 અને બપોરે 1:45 થી સાંજના 5 સુધીના બે શિફ્ટમાં હાથ ધરવામાં આવશે. તમને જણાવવુ રહ્યુ કે, બિહારમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ ગઈ છે અને આ પરીક્ષા 24 ફેબ્રુઆરી સુધી હાથ ધરવામાં આવશે. બિહાર બોર્ડે આ પરીક્ષા માટે કેટલીક મહત્વપૂર્ણ માર્ગદર્શિકા બહાર પાડી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે.

પરીક્ષા કેન્દ્ર પર કડકાઈ

પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશતા પહેલા પરીક્ષાર્થીઓની બે વાર તપાસ કરવામાં આવી રહી છે અને કેલ્ક્યુલેટર, સેલ ફોન, બ્લુટુથ ડિવાઈસ કે ઈયરફોન લાવવાની મંજૂરી આપવામાં આવી રહી નથી. સાથે જ કોઈપણ અનધિકૃત વ્યક્તિને પરીક્ષા કેન્દ્રોમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં અને મેજિસ્ટ્રેટની સાથે પોલીસ અધિકારીઓ પણ તૈનાત રાખવામાં આવી રહ્યા છે. આ સાથે જ તમામ પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને તમામ નિરીક્ષકો, અધિકારીઓ અને કર્મચારીઓને ઓળખ કાર્ડ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ ઓફલાઈન કરવાના નિર્ણય સામેની અરજી પર 21 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટમાં થશે સુનાવણી

Follow Us
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
મહીસાગર: પુલના અભાવે જાનૈયાઓએ હોડીમાં બેસીને જવું પડ્યું બેટ પર
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
ગરુડેશ્વરમાં ઊર્જા ક્રાંતિ: મોંઘા ગેસ સિલિન્ડરમાંથી આદિવાસીઓને મુક્તિ
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
મધુર ડેરીના નવા પ્લાન્ટનું અમિત શાહે કર્યું 'ઉદ્ઘાટન' - જુઓ Video
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
એકતાનગર જંગલ સફારી: કાળઝાળ ગરમીમાં પ્રાણીઓ માટે AC અને કુલરની વ્યવસ્થા
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
સુરેન્દ્રનગર આભડછેટ: જાહેર કૂવે પાણી ભરવા મુદ્દે બહિષ્કાર, 6 સામે ગુનો
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
મહારાષ્ટ્રમાં પેટ્રોલ માટે બબાલ, ઝઘડાના વીડિયો થયા વાયરલ !
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર"
ખાતરના ભાવ વધતા ખેડૂતોનો આક્રોષ...કહ્યુ 'પાયમાલ કરીને છોડશે સરકાર
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
કપાસ પરની આયાત ડ્યુટી હટાવવાની માંગ સામે ગુજરાતના ખેડૂતોમાં રોષ
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
રાજકોટ એરપોર્ટ પરથી 400 કિલો જેટલો ચાંદીનો શંકાસ્પદ જથ્થો
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
અમદાવાદને બેગ્લરુ, પુણે, હૈદરાબાદ, ગુરુગ્રામ સમકક્ષ લવાશેઃ અમિત શાહ
g clip-path="url(#clip0_868_265)">