AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

School Reopening: યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન

દેશભરમાં કોવિડ-19 કેસમાં ઘટાડાને જોતા, બિહાર, યુપી અને દિલ્હીમાં પણ આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શાળાઓ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

School Reopening: યુપી, બિહાર સહિત આ રાજ્યોમાં આજથી ખુલશે શાળાઓ, કોરોના નિયમોનું કરવું પડશે પાલન
File Image
Meera Kansagara
| Edited By: | Updated on: Feb 07, 2022 | 3:21 PM
Share

દેશમાં કોરોનાના કેસોમાં (Corona Cases) સતત ઘટાડો થઈ રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને ઘણા રાજ્યોએ શાળા ફરીથી ખોલવાનો (School Reopening Update) નિર્ણય લીધો છે. જેમાં મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હરિયાણા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. તે જ સમયે, બિહાર, યુપી અને દિલ્હીમાં આજે એટલે કે 7 ફેબ્રુઆરીથી શાળાઓ ખુલશે. કોરોનાની ત્રીજી લહેર ધીમી પડી છે તો નીતિશ સરકારે મોટી જાહેરાત કરી છે. જ્યારે યુપીમાં સોમવારથી તમામ માધ્યમિક શાળાઓ અને યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો ખોલવાના આદેશો જાહેર કર્યા છે.

દેશભરમાં કોવિડ-19ના કેસને ધ્યાનમાં રાખીને ઝારખંડ, રાજસ્થાન, પૂણે, ઉત્તરાખંડ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે તેમજ કેટલાક રાજ્યોમાં શાળાઓ ખોલવાની તૈયારી કરવામાં આવી રહી છે.

યુપીમાં 09થી 12 ધોરણ સુધીની ખુલશે શાળાઓ

કોરોના વાઈરસના કેસો ઘટ્યા બાદ હવે રાજ્ય સરકારે સોમવારથી તમામ માધ્યમિક શાળાઓ, યુનિવર્સિટીઓ અને ડિગ્રી કોલેજો ખોલવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધી ઓનલાઈન ક્લાસ ચાલતા હતા, પરંતુ હવે કોરોના પ્રોટોકોલને અનુસરીને ફિઝિકલ ક્લાસ શરૂ કરવામાં આવશે. અત્યારે ધોરણ 1થી 8 સુધીની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રહેશે. ઉપરી મુખ્ય સચિવ, ગૃહ અવનીશ કુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે સોમવારથી કોવિડ પ્રોટોકોલ સાથે ધોરણ 9થી મોટા ધોરણ સુધીની તમામ શાળાઓ અને ડિગ્રી કોલેજો ખોલવામાં આવશે.

બિહારમાં ખુલશે શાળાઓ

બિહારના સીએમ નીતિશ કુમારે મોટી જાહેરાત કરી છે. સંક્રમણની સ્થિતિમાં સુધારાને જોતા શાળાઓ ખોલવામાં આવશે. હવે ધોરણ 8 સુધીની તમામ શાળાઓ 50 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. જ્યારે ધોરણ 9 અને તેનાથી ઉપરની તમામ શાળાઓ અને કોલેજો અને કોચિંગ સંસ્થાઓ 100 ટકા હાજરી સાથે ખોલી શકશે.

આજથી દિલ્હીમાં ખુલશે શાળાઓ

દિલ્હીમાં શાળાઓ ખોલવામાં આવી રહી છે, પરંતુ તે તબક્કાવાર ખોલવામાં આવશે. એટલે કે, તમામ વર્ગો માટે શાળાઓમાં ક્લાસ એક સાથે ખોલવાને બદલે એક પછી એક ખોલવામાં આવશે. તેનાથી શાળાઓમાં ભીડ ઓછી થશે.  7 ફેબ્રુઆરીથી ધોરણ 9થી 12 સુધીની શાળાઓ ખુલશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જાહેરાત કરી છે કે નર્સરીથી ધોરણ 8 સુધીની શાળાઓ 14 ફેબ્રુઆરીથી ખોલવામાં આવશે.

આ પણ વાંચો: Education budget 2022 : વિધાર્થીઓ માટે ડિજિટલ યુનિવર્સિટીની જાહેરાત, વન ક્લાસ વન ટીવી ચેનલ કાર્યક્રમનો થશે વિસ્તાર , જાણો સામાન્ય બજેટમાં શિક્ષણ ક્ષેત્રે શું ફાયદો

આ પણ વાંચો: Online Education: એડ-ટેક કંપનીઓથી સાવધાન, શિક્ષણ મંત્રાલયે વાલીઓ માટે જાહેર કરી એડવાઈઝરી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">