Breaking News : શું 1 મિનિટ મોડા પડવાને કારણે NEET પરીક્ષા ચૂકી જનારને બીજી તક મળશે, જાણો
પહેલા જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા મોડા પહોચ્યા હતા કે, 1 મિનિટથી પેપર છુટ્યું હતુ તેઓ ફરી પરીક્ષા આપી શકશે.NEET-UG ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાશે. તો ચાલો જાણીએ શું આ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકશે.

3 મે 2026 ના રોજ NEET-UG 2026ની પરીક્ષા લેવામાં આવી હતી. ત્યારે કેટલાક એવા પણ વિદ્યાર્થીઓ હતા, જે ટ્રાફિકમાં ફસાતા, તો કોઈ અન્ય કારણોસર પરીક્ષા કેન્દ્ર પર મોડા પહોંચ્યા હતા. મોડા પડવાના કારણે તે પરીક્ષા આપી શક્યા ન હતા. કેટલાક વિદ્યાર્થીઓના તો વીડિયો પણ વાયરલ થયા હતા.ઘણા લોકોએ તેને “ભગવાનના આશીર્વાદ” ગણાવ્યા છે કે તેનું વર્ષ વ્યર્થ નહીં જાય અને તેને હવે પોતાને સાબિત કરવાની તક મળશે. ટુંકમાં જે વિદ્યાર્થીઓ 1 મિનિટના મોડા પડવાને કારણે પરીક્ષાથી વંચિત રહ્યા હતા અને પરીક્ષા આપવાની તક મળી ન હતી, તેઓ પણ હવે પરીક્ષા આપી શકશે.
NEET-UG ની પુનઃપરીક્ષા 21 જૂને યોજાશે. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) હાલમાં NEET-UG પેપર લીક કેસની તપાસ કરી રહી છે. ગત્ત ગુરુવારે, CBI ની એક ટીમે જામવરમગઢમાં પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓના ઘરની મુલાકાત લીધી હતી.સીબીઆઈએ પેપર લીક કેસમાં પાંચ લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી ત્રણ જયપુરના છે.
NEET (UG) 2026 — परीक्षा तिथि की घोषणा राष्ट्रीय परीक्षा एजेंसी ने भारत सरकार की स्वीकृति से NEET (UG) 2026 की पुनः-परीक्षा रविवार, 21 जून 2026 को आयोजित करने का निर्णय लिया है। परीक्षार्थियों एवं अभिभावकों से अनुरोध है कि वे केवल NTA के आधिकारिक माध्यमों पर ही विश्वास करें।…
— National Testing Agency (@NTA_Exams) May 15, 2026
1 મિનિટના મોડા પડવાને કારણે NEET પરીક્ષા ચૂકી જનારા વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા આપી શકશે.NEET પરીક્ષા વખતે પરીક્ષા ન આપી શકતા વિદ્યાર્થીનો વીડિયો વાયરલ થયો હતો.
શું છે આખો મામલો?
3 મે 2026 ના રોજ NEET-UG 2026ની પરીક્ષા દરમિયાન, રાયપુરની જગન્નાથ કન્યા વિદ્યાલયની એક વિદ્યાર્થિની બપોરે 1:30 વાગ્યાની રિપોર્ટિંગ સમયમર્યાદા પછી માત્ર એક મિનિટ મોડી કેન્દ્ર પર પહોંચી હતી સુરક્ષા કર્મચારીઓએ નિયમોનો ઉલ્લેખ કરીને પ્રવેશ કરતા અટકાવ્યા બાદ વિદ્યાર્થીની કેન્દ્રની બહાર રડતી અને વિનંતી કરતી જોવા મળી. તેના માટે આ હવે બીજી તક છે. હવે જ્યારે પેપર લીક થયા બાદ 3 મેના રોજ યોજાયેલ NEET-UG 2026 રદ કરી છે અને ફરીથી NEET ની નવી તારીખની જાહેરાત કરી છે, ત્યારે વિદ્યાર્થીને ફરીથી પરીક્ષામાં બેસવાની તક મળી છે.
