AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Students ધ્યાન આપો…. IIT એડમિશનમાં થઈ શકે છે મોટો ફેરફાર ! હવે JEE સ્કોર સિવાય આ માર્ક્સ પણ કરવામાં આવશે ચેક

IIT admission : ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીએ IITમાં પ્રવેશ માટે ફરી એકવાર 12માના માર્કસ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે.

Students ધ્યાન આપો.... IIT એડમિશનમાં થઈ શકે છે મોટો ફેરફાર ! હવે JEE સ્કોર સિવાય આ માર્ક્સ પણ કરવામાં આવશે ચેક
JEE Advanced Exam
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2022 | 2:50 PM
Share

તમે JEE Examની તૈયારી કરો છો તો આ ન્યૂઝ તમારે જાણવા જરૂરી છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીના એડમિશન માટે ધોરણ-12ના માર્ક્સ ફરજિયાત બનાવવાનો નિર્ણય લીધો છે. એક વખત ફરીથી IITમાં એડમિશન માટે ધોરણ-12ના માર્ક્સની જરૂર પડશે. IITs એ આવનારા શૈક્ષણિક સત્રથી પ્રવેશ માટે કોવિડ રોગચાળા પહેલા 12માં ધોરણના પ્રદર્શન માપદંડને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આવી સ્થિતિમાં આવતા વર્ષથી IITમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓએ ધોરણ 12માં સારું પરફોર્મ કરવું પડશે.

કોવિડ રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષામાં સમસ્યાઓ ઊભી થઈ હતી

હકીકતમાં 2020માં IIT એ પ્રવેશના નિયમો હળવા કરવાનો નિર્ણય લીધો હતો. પ્રવેશ માટે 12માં ધોરણની બોર્ડ પરીક્ષામાં પ્રદર્શન માપદંડ દૂર કરવામાં આવ્યા છે. IIT દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, કારણ કે કોવિડ રોગચાળાને કારણે બોર્ડની પરીક્ષામાં સમસ્યાઓ ઊભી થઈ હતી. પ્રવેશ માટે અન્ય વિષયો સિવાય ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ગણિત અને ભાષા જેવા ચાર વિષયોમાં પાસ થવું જરૂરી હતું. આ સિસ્ટમ બે વર્ષ સુધી એટલે કે JEE (એડવાન્સ્ડ) 2022 સુધી ચાલુ રહી.

તેમજ કોવિડ પછી દેશમાં ફરી એકવાર જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. શૈક્ષણિક જીવન પણ સામાન્ય બની રહ્યું છે. આ જ કારણ છે કે હવે દેશભરની આઈઆઈટીએ નિર્ણય લીધો છે કે, 12માં માર્કસ અંગે આપવામાં આવેલી છૂટછાટને નાબૂદ કરી દેવી જોઈએ. આ ઉપરાંત ફરી એકવાર રોગચાળા પહેલાની સિસ્ટમ પર પાછા ફરવામાં આવશે.

પ્રવેશ માટે જૂના નિયમો શું હતા?

કોવિડ રોગચાળાની શરૂઆત પહેલા, JEE (એડવાન્સ્ડ) માં ક્વોલિફાઇંગ રેન્ક ધરાવતા સામાન્ય કેટેગરીના વિદ્યાર્થી પાસે IITમાં પ્રવેશ માટે 12માં ધોરણમાં ઓછામાં ઓછા 75 ટકા માર્ક્સ હોવા જોઈએ. જો વિદ્યાર્થી તેના બોર્ડના પરિણામમાં ટોપ 20 પર્સન્ટાઈલમાં હોય તો પણ તેને પ્રવેશ આપી શકાય છે.

બીજી તરફ, SC અને ST ઉમેદવારોએ બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા 65 ટકા માર્ક્સ મેળવ્યા હોવા જોઈએ. જો સાદી ભાષામાં સમજીએ તો, જો વિદ્યાર્થીએ ધોરણ 12ની એક્ઝામમાં સારૂં પરફોર્મ ન કર્યું હોય તો તેઓ JEE (Advanced) રેન્કના માધ્યમથી પણ IITમાં એડમિશન સિક્યોર નહી કરી શકે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">