સાળંગપુરમાં હનુમાનજી મંદિરમાં કાળી ચૌદસની ભવ્ય ઉજવણી થશે, 8 કિલોના સુર્વણવસ્ત્રોથી દાદાને અર્પણ કરાશે
સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ […]
સાળંગપુરના હનુમાનજી મંદિરમાં કાળીચૌદસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ૮ કિલો સોનામાંથી બનેલા સુવર્ણ વસ્ત્રો હનુમાનદાદાને અર્પણ કરવામાં આવશે. આ ઉપરાંત અન્નકોટનું આયોજન કરી મહાયજ્ઞ પણ કરવામાં આવશે. મહત્વનું છેકે કાળી ચૌદસના દિવસે કષ્ટભજન મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરવા આવતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે દાદાને 6.5 કરોડ ના ખર્ચે બનાવવામાં આવેલ હીરા જડિત સુવર્ણ વસ્ત્રો અર્પણ કરવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો