AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ

મોદી સરકારે દેશના 10 કરોડ ખેડૂતોને તેમના મોબાઈલ પર ખાસ સંદેશ મોકલીને તેમને કુદરતી ખેતી તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. વીડિયો મેસેજમાં જણાવ્યું કઈ રીતે બનશે જીવામૃત અને ઘન જીવામૃત.

PM-Kisan: બે હજાર રૂપિયા ટ્રાન્સફર કર્યા બાદ 10 કરોડ ખેડૂતોને સરકારે મોકલ્યો આ ખાસ મેસેજ
PM Narendra Modi (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 04, 2022 | 8:35 AM
Share

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM kisan scheme) હેઠળ ખાતામાં 2000-2000 રૂપિયા ટ્રાન્સફર કર્યા પછી, મોદી સરકારે 10 કરોડ ખેડૂતોને એક ખાસ મેસેજ (SMS) મોકલ્યો છે. તેમાં લખ્યું છે –

“નવા વર્ષની શુભકામનાઓ! પીએમ કિસાન હેઠળ, ડિસેમ્બર 2021 થી માર્ચ 2022 સુધીના સમયગાળા માટે બે હજાર રૂપિયાનો હપ્તો તમારા બેંક ખાતામાં મોકલવામાં આવ્યો છે. આનાથી ખેતીની જરૂરિયાતોમાં મદદ મળશે. આ લિંક પર કુદરતી ખેતી પરની ફિલ્મ અવશ્ય જોવી. આપનો – નરેન્દ્ર મોદી.”

Prime Minister Narendra Modi sent this message to the farmers.

Prime Minister Narendra Modi sent this message to the farmers.

ચૂંટણીની મોસમ છે. યુપી, પંજાબ અને ઉત્તરાખંડ જેવા કૃષિ આધારિત રાજ્યોમાં ચૂંટણીઓ વચ્ચે, સરકારે 1 જાન્યુઆરીએ 10.09 કરોડ ખેડૂતોને 20,900 કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા. આ પછી વડાપ્રધાન તરફથી તમામ લાભાર્થીઓને સંદેશ મોકલવામાં આવ્યો હતો.

હકીકતમાં, સરકારનો પ્રયાસ છે કે ખેડૂતોને મળી રહેલા પૈસાથી ખેડૂતને ખેતી માટે મદદ મળી રહે. દેશમાં લગભગ 86 ટકા નાના અને સીમાંત ખેડૂતો છે, જેમની ખેતી માટે 6000 રૂપિયાની વાર્ષિક સહાય આશાના કિરણ સમાન છે.

પ્રાકૃતિક ખેતી પર ભાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ પોતાના સંદેશમાં વીડિયોની લિંક મોકલી છે. જેમાં કુદરતી ખેતીના ફાયદાઓ જણાવવામાં આવ્યા છે. આ સાથે તેમનો વીડિયો મેસેજ પણ છે. વીડિયોમાં ખેડૂતોને જીવામૃત અને ઘન જીવામૃત (ખાતર) કેવી રીતે બનાવવું તે જણાવવામાં આવ્યું છે.

રાસાયણિક ખાતરો અને જંતુનાશકો પર થતા ખર્ચમાં ઘટાડો થાય તે માટે સરકાર હવે કુદરતી અને જૈવિક ખેતી (Organic farming) પર ભાર આપી રહી છે. ખૂબ જ સારી રીતે વિચારેલી વ્યૂહરચના હેઠળ, સરકારે એકસાથે 10 કરોડ ખેડૂતો સુધી કુદરતી ખેતી પર પોતાનો મુદ્દો સરળતાથી પહોંચાડ્યો છે.

જો તમને FTO જોવા મળતું હોય તો ચિંતા કરશો નહીં

પીએમ કિસાન યોજના હેઠળ પૈસા ટ્રાન્સફર થયાને ત્રણ દિવસ થઈ ગયા છે. જો તમારા બેંક ખાતામાં સ્કીમ હેઠળ રૂ. 2000 આવ્યા નથી અને સ્ટેટસમાં FTO એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર (Fund transfer order) લખેલું આવી રહ્યું છે, તો સમજો કે પૈસા ટ્રાન્સફર થઈ ગયા છે. એક-બે દિવસમાં આવી જશે.

FTO is Generated and Payment confirmation is pending નો મેસેજ જોવા મળતો હોય અને તમારું આધાર વેરિફિકેશન થયું નથી, તો તમારા ખાતામાં પૈસા આવવામાં ઘણો સમય લાગશે.

આ રીતે જુઓ પૈસા આવ્યા કે નહીં?

PM કિસાન યોજનાની વેબસાઇટ https://pmkisan.gov.in/ ની મુલાકાત લો. તેના ફાર્મર્સ કોર્નરમાં ‘Beneficiary Status’ના વિકલ્પ પર ક્લિક કરો. આ પછી, કોઈપણ બેંક એકાઉન્ટ નંબર, મોબાઈલ નંબર અથવા આધાર નંબર દાખલ કરો. અહીં ‘Get Data’ પર ક્લિક કરો. તમને ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી મળશે.

આ પણ વાંચો: Viral: વહેતી નદી પર કસરત કરતા યુવતીનું બગડ્યું બેલેન્સ, જુઓ પછી શું થયું

આ પણ વાંચો: Technology News: હિન્દી સહિત કોઈ પણ તમારી પસંદગીની ભાષામાં ચલાવી શકાય છે WhatsApp, જાણો કઈ રીતે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">