AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો

કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો
Sugarcane FRP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 5:26 PM
Share

શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો: સમાન નાગરિક ધારાના અમલ કરવામાં કલમ 371A અને 371G કેવી રીતે અવરોધરૂપ બની શકે ? આ બન્ને કલમ હેઠળ શુ છે જોગવાઈ ?

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે એફઆરપીમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે શેરડીની એફઆરપી 305 રૂપિયાથી વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ઓક્ટોબરથી નવું ખાંડ વર્ષ શરૂ થઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. ત્યારે કેટલાક લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજકારણ સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકો કહે છે કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આવી એફઆરપી વધારવાથી ઉત્તર પ્રદેશની સાથે ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો થશે.

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું

જણાવી દઈએ કે શેરડીના ઉત્પાદનના મામલે ઉત્તર પ્રદેશ નંબર વન રાજ્ય છે. અહીં લાખો ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે. પાક સીઝન 2022-23 દરમિયાન, યુપીમાં 28.53 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું. જ્યારે સમગ્ર ભારતમાં શેરડીનો વાવેતર વિસ્તાર 62 લાખ હેક્ટર છે. આવી સ્થિતિમાં, આપણે કહી શકીએ કે દેશમાં શેરડીના કુલ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 46 ટકા છે.

ખાંડનું ઉત્પાદન ઘટીને 32.8 મિલિયન થયું છે

ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોની સંખ્યા 119 છે અને 50 લાખથી વધુ ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ વર્ષે યુપીમાં 1102.49 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું છે. સુગર મિલોએ 1,099.49 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું. આ સાથે મિલોએ 105 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે, ઉત્તર પ્રદેશનો શામલી જિલ્લો સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં શેરડીની સરેરાશ ઉપજ 962.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ વર્ષે સમગ્ર દેશમાં ખાંડનું ઉત્પાદન 35.76 મિલિયન ટનથી ઘટીને 32.8 મિલિયન ટન થયું છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">