AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો

કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો
Sugarcane FRP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 5:26 PM
Share

શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો: સમાન નાગરિક ધારાના અમલ કરવામાં કલમ 371A અને 371G કેવી રીતે અવરોધરૂપ બની શકે ? આ બન્ને કલમ હેઠળ શુ છે જોગવાઈ ?

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે એફઆરપીમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે શેરડીની એફઆરપી 305 રૂપિયાથી વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ઓક્ટોબરથી નવું ખાંડ વર્ષ શરૂ થઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. ત્યારે કેટલાક લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજકારણ સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકો કહે છે કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આવી એફઆરપી વધારવાથી ઉત્તર પ્રદેશની સાથે ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો થશે.

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું

જણાવી દઈએ કે શેરડીના ઉત્પાદનના મામલે ઉત્તર પ્રદેશ નંબર વન રાજ્ય છે. અહીં લાખો ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે. પાક સીઝન 2022-23 દરમિયાન, યુપીમાં 28.53 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું. જ્યારે સમગ્ર ભારતમાં શેરડીનો વાવેતર વિસ્તાર 62 લાખ હેક્ટર છે. આવી સ્થિતિમાં, આપણે કહી શકીએ કે દેશમાં શેરડીના કુલ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 46 ટકા છે.

ખાંડનું ઉત્પાદન ઘટીને 32.8 મિલિયન થયું છે

ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોની સંખ્યા 119 છે અને 50 લાખથી વધુ ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ વર્ષે યુપીમાં 1102.49 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું છે. સુગર મિલોએ 1,099.49 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું. આ સાથે મિલોએ 105 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે, ઉત્તર પ્રદેશનો શામલી જિલ્લો સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં શેરડીની સરેરાશ ઉપજ 962.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ વર્ષે સમગ્ર દેશમાં ખાંડનું ઉત્પાદન 35.76 મિલિયન ટનથી ઘટીને 32.8 મિલિયન ટન થયું છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">