AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો

કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે.

Sugarcane FRP: ખેડૂતો માટે સારા સમાચાર, મોદી સરકારે શેરડીના ભાવમાં કર્યો વધારો, લાખો ખેડૂતોને થશે ફાયદો
Sugarcane FRP
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 28, 2023 | 5:26 PM
Share

શેરડીની ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇઝની ભલામણ પર કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવા માટે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને શેરડી ઉત્પાદક ખેડૂતોમાં ખુશીની લહેર ફેલાઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકારના આ નિર્ણયથી લાખો ખેડૂતોને ફાયદો થશે. ખાસ કરીને ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતોને સૌથી વધુ ફાયદો થશે.

આ પણ વાંચો: સમાન નાગરિક ધારાના અમલ કરવામાં કલમ 371A અને 371G કેવી રીતે અવરોધરૂપ બની શકે ? આ બન્ને કલમ હેઠળ શુ છે જોગવાઈ ?

કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્ર સરકારે શેરડીની એફઆરપી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે એફઆરપીમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે શેરડીની એફઆરપી 305 રૂપિયાથી વધીને 315 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગઈ છે. ખાસ વાત એ છે કે ઓક્ટોબરથી નવું ખાંડ વર્ષ શરૂ થઈ રહ્યું છે.

આવી સ્થિતિમાં સરકારનો આ નિર્ણય ખેડૂતો માટે ઘણો ફાયદાકારક સાબિત થશે. ત્યારે કેટલાક લોકો કેન્દ્ર સરકારના આ નિર્ણયને રાજકારણ સાથે જોડીને જોઈ રહ્યા છે. લોકો કહે છે કે આવતા વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. આવી એફઆરપી વધારવાથી ઉત્તર પ્રદેશની સાથે ઘણા રાજ્યોના ખેડૂતોને સીધો ફાયદો થશે.

મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું

જણાવી દઈએ કે શેરડીના ઉત્પાદનના મામલે ઉત્તર પ્રદેશ નંબર વન રાજ્ય છે. અહીં લાખો ખેડૂતો શેરડીની ખેતી સાથે સંકળાયેલા છે. પાક સીઝન 2022-23 દરમિયાન, યુપીમાં 28.53 લાખ હેક્ટરમાં શેરડીની ખેતી કરવામાં આવી હતી. જ્યારે મહારાષ્ટ્રમાં ખેડૂતોએ 14.9 લાખ હેક્ટરમાં શેરડીનું વાવેતર કર્યું હતું. જ્યારે સમગ્ર ભારતમાં શેરડીનો વાવેતર વિસ્તાર 62 લાખ હેક્ટર છે. આવી સ્થિતિમાં, આપણે કહી શકીએ કે દેશમાં શેરડીના કુલ ક્ષેત્રમાં ઉત્તર પ્રદેશનો હિસ્સો 46 ટકા છે.

ખાંડનું ઉત્પાદન ઘટીને 32.8 મિલિયન થયું છે

ઉત્તર પ્રદેશમાં ખાંડ મિલોની સંખ્યા 119 છે અને 50 લાખથી વધુ ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ વર્ષે યુપીમાં 1102.49 લાખ ટન શેરડીનું ઉત્પાદન થયું છે. સુગર મિલોએ 1,099.49 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું હતું. આ સાથે મિલોએ 105 લાખ ટન ખાંડનું ઉત્પાદન કર્યું હતું. આ રીતે, ઉત્તર પ્રદેશનો શામલી જિલ્લો સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કરે છે. આ જિલ્લામાં શેરડીની સરેરાશ ઉપજ 962.12 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર છે. આ વર્ષે સમગ્ર દેશમાં ખાંડનું ઉત્પાદન 35.76 મિલિયન ટનથી ઘટીને 32.8 મિલિયન ટન થયું છે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ પતંગબાજો સાથે પેચ લડાવતા જોવા મળ્યા
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : હજારો કિલો ઊંધિયુ-જલેબી ઝાપટી જશે ગુજરાતીઓ, જુઓ Video
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
Breaking news : પંચમહાલમાં ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
અમદાવાદમાં ઉત્તરાયણ પર્વની ઉલ્લાસભેર ઉજવણી, જુઓ VIDEO
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
તમારું સ્વાસ્થ્ય એકંદરે સારું રહેશે, વ્યવસાયિક સંપર્કોમાં સુધારો થશે
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
g clip-path="url(#clip0_868_265)">