Sugarcane Price: શેરડીના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો ખેડૂતોને થશે કેટલો ફાયદો

સરકાર શેરડીના ટેકાના ભાવમાં 30 થી 35 રૂપિયાનો વધારો કરી શકે છે. શેરડીના ભાવમાં વધારો થવાથી 45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે. રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં શેરડી મુખ્ય રોકડિયા પાક તરીકે ખેતી કરવામાં આવે છે.

Sugarcane Price: શેરડીના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો ખેડૂતોને થશે કેટલો ફાયદો
Sugarcane Farming
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 8:45 PM

લોકસભાની ચૂંટણી વર્ષ 2024માં યોજાનારી છે. તે પહેલા ઉત્તર પ્રદેશ સરકાર ખેડૂતોને (Farmers) મોટી ભેટ આપવાની તૈયારી કરી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકારે શેરડીના ભાવમાં (Sugarcane Price) વધારો કરવાની તૈયારી શરૂ કરી છે. થોડા દિવસ પહેલા ભારતીય કિસાન યુનિયનના પ્રતિનિધિ મંડળે યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરી હતી. કિસાન યુનિયન રાષ્ટ્રીય પ્રવક્તા ધર્મેન્દ્ર મલિક અને પ્રદેશ અધ્યક્ષ હરિનામ સિંહ વર્માની આગેવાની હેઠળના પ્રતિનિધિ મંડળે યોગી આદિત્યનાથને 11 મુદ્દાની માગ અંગે પત્ર આપ્યો હતો.

શેરડીના ભાવ વધારવાની માગ કરવામાં આવી

આ પત્રમાં શેરડીના ભાવ વધારવાની પણ માગ કરવામાં આવી હતી, જેના પર સીએમ યોગીએ સહમતિ દર્શાવી હતી. ઉત્તર પ્રદેશ દેશમાં શેરડીનું ઉત્પાદન કરતું સૌથી મોટુ રાજ્ય છે. ધર્મેન્દ્ર મલિકે કિસાન તક સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં ગયા વર્ષે પણ શેરડીના ભાવમાં કોઈ વધારો થયો નથી. ખેડૂતોના ઉત્પાદન ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને શેરડીના ભાવ 450 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવા માગ કરી હતી.

બાકી રકમની તાત્કાલિક ચૂકવણી કરો

તેમણે કહ્યું કે, ઉત્તર પ્રદેશના શેરડીની બાકી રકમની ચૂકવણી તાત્કાલિક કરવી જોઈએ. આગામી 14 દિવસમાં ચુકવણી કરવામાં આવશે નહીં તો, તેના પર નિયમ મૂજબ વ્યાજ આપવાનું રહેશે. મલિકે કહ્યું કે, વર્ષ 2022-23માં શેરડીના ભાવમાં કોઈ વધારો થયો નથી. તેથી ખેડૂતોને સીએમ યોગી પાસેથી આશાઓ છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે

એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, યુપી સરકાર શેરડીના ટેકાના ભાવમાં 30 થી 35 રૂપિયાનો વધારો કરી શકે છે. શેરડીના ભાવમાં વધારો થવાથી ઉત્તર પ્રદેશના 45 લાખથી વધુ ખેડૂતોને તેનો ફાયદો થશે. રાજ્યના પશ્ચિમ વિસ્તારોમાં શેરડી મુખ્ય રોકડિયા પાક તરીકે ખેતી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Carrot Farming: ગાજરની આ સુધારેલી જાતો આપશે વધારે ઉત્પાદન, પુસા સંસ્થાએ ખેડૂતોને આપી સલાહ

તાજેતરમાં રાજધાની લખનૌના ઈકો ગાર્ડનમાં ભારતીય કિસાન યુનિયનના બેનર હેઠળ એક મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમગ્ર રાજ્યના અનેક ખેડૂતોએ ભાગ લીધો હતો.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">