પારિવારિક વ્યવસાય છોડી શરૂ કર્યું હર્બલ ફાર્મિંગ, અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ વેચીને કરે છે કરોડોની કમાણી આ વ્યક્તિ

Success Story: કહાની છે જોધપુરના શ્રવણ ડાગાની, તેઓએ પોતાના વ્યવસાય તરીકે ખેતી પસંદ કરવાનું નક્કી કર્યું. શ્રવણે પારંપરીક ખેતીના બદલે હર્બલ ફાર્મિંગને અપનાવી અને આજે તેઓ પોતાના ખેત ઉત્પાદનથી બનેલા પ્રોડક્ટનું વેચાણ કરી દર વર્ષ કરોડોની કમાણી કરી રહ્યા છે.

પારિવારિક વ્યવસાય છોડી શરૂ કર્યું હર્બલ ફાર્મિંગ, અત્યારે આયુર્વેદિક પ્રોડક્ટ વેચીને કરે છે કરોડોની કમાણી આ વ્યક્તિ
Shrawan Dgaga
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 8:32 PM

કૃષિ ક્ષેત્ર અપાર સંભાવનાઓથી ભરેલું છે. જો તમે મહેનત અને લગનથી કામ કરો તો સફળતા નક્કી છે. આ જ કારણ છે કે દરેક ક્ષેત્રના લોકો ખેતીમાં નસીબ અજમાવી રહ્યા છે અને સફળ પણ થઈ રહ્યા છે. એવી જ કહાની છે જોધપુરના શ્રવણ ડાગાની, તેઓએ પોતાના વ્યવસાય તરીકે ખેતી પસંદ કરવાનું નક્કી કર્યું.

શ્રવણે પારંપરીક ખેતીના બદલે હર્બલ ફાર્મિંગ (Herbal farming)ને અપનાવી અને આજે તેઓ પોતાના ખેત ઉત્પાદનથી બનેલા પ્રોડક્ટનું વેચાણ કરી દર વર્ષે કરોડોની કમાણી કરી રહ્યા છે. જોધપુરના રહેવાસી શ્રવણ ડાગાનો પરિવાર ધાતુના વ્યાપાર સાથે જોડાયેલ હતો. પરિજનો ઈચ્છતા હતા કે શ્રવણ આ જ વ્યવસાયને આગળ વધારે, પરંતુ તેઓ કંઈક અલગ કરવા માગતા હતા. એટલા માટે તેઓએ હર્બલ ફાર્મિંગને પોતાનો વ્યવસાય તરીકે પસંદ કર્યો. શ્રવણ ડાગા આજે પોતાના ખેતરમાં આમળા, એલોવેરા અને અન્ય આ પ્રકારના છોડની મોટાપાયે ખેતી કરે છે. શ્રવણ ડાગા જણાવે છે કે હર્બલ ફાર્મિંગ કરનાર ખેડૂતો પાસેથી પણ તેમનું ઉત્પાદન ખરીદે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

કોરોના બાદ ટર્નઓવર થયું બમણું

શ્રવણ ડાગા કૃષ્ણા આયુર્વેદ હર્બલ નામથી પોતાની પ્રોડક્ટ બજારમાં વેચે છે. તેમની કંપની આયુર્વેદિક જ્યુસ, દવાઓ, ચૂરણ અને હર્બલ બ્યૂટી પ્રોડક્ટ બનાવે છે. તેઓ કહે છે કે આખા દેશમાં તેમની કંપનીની પ્રોડક્ટની માંગ છે અને કોરોના બાદ તેમાં ઘણી તેજી જોવા મળી છે. 2007માં 23 વર્ષની ઉંમરમાં આ હર્બલ ફાર્મિંગની શરૂઆત કરનાર શ્રવણ ડાગા કહે છે કે કોરોનાકાળ પહેલા કંપનીનું ટર્નઓવર દર મહિને લગભગ 1 કરોડ રૂપિયા હતું.

કોરોના બાદ આયુર્વેદિક પ્રોડક્ટ (Ayurvedic Products)ની માંગમાં ઘણી તેજી જોવા મળી છે. ત્યારબાદ તેમનું ટર્નઓવર 2 કરોડથી વધી ગયું છે. નાણાકીય વર્ષ 2020-21માં 12 કરોડનું ટર્નઓવર મેળવનાર શ્રવણ ડાગાની કંપની આ નાણકીય વર્ષમાં 30 કરોડ સુધી પહોંચવાના લક્ષ્ય સાથે ચાલી રહી છે.

અન્ય ખેડૂતો માટે બની રહ્યા છે પ્રેરણાસ્ત્રોત

ટીવી9 સાથે વાત કરતા કૃષ્ણા ડાગાએ જણાવ્યું કે તેઓએ પોતાની બચતમાંથી આ કામની શરૂઆત કરી હતી. પહેલા ઘણા નાના સ્તરે આ કામને કરતા હતા. ધીરે-ધીરે લોકોમાં જાગરૂકતા વધી અને હર્બલ પ્રોડક્ટનો ઉપયોગ વધવા લાગ્યો. સ્વાસ્થ્ય પ્રત્યે જાગરૂક લોકો હર્બલ પ્રોડક્ટને બેસ્ટ માને છે.

માંગને પૂરી કરવા અને વધુ પ્રોડક્ટની ગુણવતા બનાવી રાખવા કૃષ્ણા ડાગા ખુદ જ આમળા, એલોવેરા અને લીમડા જેવી ઔષધીય ગુણો ધરાવતા છોડની ખેતી કરે છે. તેમના સફળ પ્રયત્નને જોઈ અન્ય ખેડૂતો પણ હર્બલ ફાર્મિંગ કરી રહ્યા છે અને તેમની આવકમાં પણ વધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: રાહુલ ગાંધીએ ખેડૂતો અને મોંઘવારી મુદ્દે કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન, કહ્યું- ‘સરકાર નાકામ હતી અને નાકામ છે’

આ પણ વાંચો: સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા, આ તારીખથી લોકો કરી શકશે મુસાફરી, જાણો નવા નિયમો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">