AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા, આ તારીખથી લોકો કરી શકશે મુસાફરી, જાણો નવા નિયમો

Singapore Airlines Travel Rules: સિંગાપુરે શનિવારે જાહેરાત કરી હતી કે, તે કોરોનાવાયરસના વધતા જતા કેસો છતાં દક્ષિણ એશિયાના દેશો માટે તેના દરવાજા ખોલી રહ્યું છે.

સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા, આ તારીખથી લોકો કરી શકશે મુસાફરી, જાણો નવા નિયમો
Singapore opens its doors to many countries
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:04 PM
Share

Singapore Airlines Travel Rules: સિંગાપુરે શનિવારે જાહેરાત કરી હતી કે, તે કોરોનાવાયરસના વધતા જતા કેસો છતાં દક્ષિણ એશિયાના દેશો માટે તેના દરવાજા ખોલી રહ્યું છે. આ દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જે લોકો છેલ્લા 14 દિવસથી ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં રહે છે તેઓ 26 ઓક્ટોબર, 2021થી સિંગાપોરમાં પ્રવેશ કરી શકે છે અથવા ઉડાન ભરી શકે છે. આ દેશોના પ્રવાસીઓને અગાઉ સિંગાપોરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો.

હવે કોવિડ-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, કોરોના વાયરસના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોને ધ્યાનમાં રાખીને, સરહદ પર કડક નિયમો હજુ પણ ચાલુ રહેશે (Latest Update on Travel Rules). સિંગાપુરના સ્ટ્રેટ્સ ટાઈમ્સે આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા માટે યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. 14 દિવસો માટે આ દેશોમાં રહેતા લોકોને 26 ઓક્ટોબર 2021, 12 વાગ્યાથી સિંગાપોરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

હજારોની સંખ્યામાં આવી રહ્યા છે કોવિડના કેસ

સિંગાપુરમાં દૈનિક 3000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે 3637 કેસોનો વધારો જોવા મળ્યો છે. અગાઉ બુધવારે, સિંગાપુરે વિસ્તૃત ક્વોરન્ટાઈન-મુક્ત કાર્યક્રમ હેઠળ પ્રથમ થોડા મુસાફરોનું સ્વાગત કર્યું, જે તેના ઉડ્ડયન હબને આંતરરાષ્ટ્રીય મુસાફરી (Coronavirus in Singapore) પુનઃસ્થાપિત કરવા તરફનું એક મોટું પગલું છે. આ સપ્તાહથી, રસીકરણ યાત્રા લેન (VTL) ને કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન, યુકે અને યુએસએ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. એટલે કે જે લોકોને રસી મળી છે તેઓ અહીંથી આવી શકશે.

ક્વારન્ટાઈનની જરૂર રહેશે નહીં

કોવિડ-19 ટેસ્ટ પાસ કર્યા બાદ અહીંના લોકોને ક્વોરન્ટાઈન રહેવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, સિંગાપોર 15 વધુ સંપૂર્ણ રસીવાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન (Singapore Travel Rules Covid) વિના પ્રવેશવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">