AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા, આ તારીખથી લોકો કરી શકશે મુસાફરી, જાણો નવા નિયમો

Singapore Airlines Travel Rules: સિંગાપુરે શનિવારે જાહેરાત કરી હતી કે, તે કોરોનાવાયરસના વધતા જતા કેસો છતાં દક્ષિણ એશિયાના દેશો માટે તેના દરવાજા ખોલી રહ્યું છે.

સિંગાપુરે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા દેશો માટે પોતાના દરવાજા ખોલ્યા, આ તારીખથી લોકો કરી શકશે મુસાફરી, જાણો નવા નિયમો
Singapore opens its doors to many countries
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 23, 2021 | 7:04 PM
Share

Singapore Airlines Travel Rules: સિંગાપુરે શનિવારે જાહેરાત કરી હતી કે, તે કોરોનાવાયરસના વધતા જતા કેસો છતાં દક્ષિણ એશિયાના દેશો માટે તેના દરવાજા ખોલી રહ્યું છે. આ દેશોમાં ભારત, નેપાળ, બાંગ્લાદેશ અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. એક નિવેદનમાં, દેશના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, જે લોકો છેલ્લા 14 દિવસથી ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં રહે છે તેઓ 26 ઓક્ટોબર, 2021થી સિંગાપોરમાં પ્રવેશ કરી શકે છે અથવા ઉડાન ભરી શકે છે. આ દેશોના પ્રવાસીઓને અગાઉ સિંગાપોરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો.

હવે કોવિડ-19ની વર્તમાન સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવો આદેશ જાહેર કરવામાં આવ્યો છે. જો કે, કોરોના વાયરસના ઉચ્ચ જોખમવાળા વિસ્તારોને ધ્યાનમાં રાખીને, સરહદ પર કડક નિયમો હજુ પણ ચાલુ રહેશે (Latest Update on Travel Rules). સિંગાપુરના સ્ટ્રેટ્સ ટાઈમ્સે આરોગ્ય મંત્રાલયને ટાંકીને કહ્યું કે ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકા માટે યાત્રા ફરી શરૂ કરવામાં આવી છે. 14 દિવસો માટે આ દેશોમાં રહેતા લોકોને 26 ઓક્ટોબર 2021, 12 વાગ્યાથી સિંગાપોરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે.

હજારોની સંખ્યામાં આવી રહ્યા છે કોવિડના કેસ

સિંગાપુરમાં દૈનિક 3000 થી વધુ કોવિડ-19 કેસ નોંધાઈ રહ્યા છે. શુક્રવારે 3637 કેસોનો વધારો જોવા મળ્યો છે. અગાઉ બુધવારે, સિંગાપુરે વિસ્તૃત ક્વોરન્ટાઈન-મુક્ત કાર્યક્રમ હેઠળ પ્રથમ થોડા મુસાફરોનું સ્વાગત કર્યું, જે તેના ઉડ્ડયન હબને આંતરરાષ્ટ્રીય મુસાફરી (Coronavirus in Singapore) પુનઃસ્થાપિત કરવા તરફનું એક મોટું પગલું છે. આ સપ્તાહથી, રસીકરણ યાત્રા લેન (VTL) ને કેનેડા, ડેનમાર્ક, ફ્રાન્સ, ઇટાલી, નેધરલેન્ડ, સ્પેન, યુકે અને યુએસએ સુધી વિસ્તૃત કરવામાં આવી છે. એટલે કે જે લોકોને રસી મળી છે તેઓ અહીંથી આવી શકશે.

ક્વારન્ટાઈનની જરૂર રહેશે નહીં

કોવિડ-19 ટેસ્ટ પાસ કર્યા બાદ અહીંના લોકોને ક્વોરન્ટાઈન રહેવાની જરૂર રહેશે નહીં. આ ઉપરાંત, સિંગાપોર 15 વધુ સંપૂર્ણ રસીવાળા દેશોના પ્રવાસીઓને ક્વોરેન્ટાઇન (Singapore Travel Rules Covid) વિના પ્રવેશવાની મંજૂરી આપવાનું વિચારી રહ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર તેમાં ઈન્ડોનેશિયા, મલેશિયા, વિયેતનામ અને સંયુક્ત આરબ અમીરાતનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: ICSE ISC Date Sheet 2021 : ICSE અને ISC સેમેસ્ટર 1 પરીક્ષાની રિવાઈઝ્ડ ડેટ શીટ થઈ જાહેર, શું આ વર્ષે મેરિટ લિસ્ટ જાહેર થશે ?

આ પણ વાંચો: NEET MDS Exam 2022 Postponed: NEET MDSની પરીક્ષા મુલતવી રાખવામાં આવી, હવે આ તારીખે લેવાશે પરીક્ષા

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">