AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પ્રકૃતિની સંભાળ રાખીને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ : કેન્દ્રીય કૃષિ મંત્રી

Agro Chemicals Conference: ફિક્કીની 10 મી એગ્રો કેમિકલ્સ કોન્ફરન્સમાં નકલી જંતુનાશકોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેનાથી ખેડૂતો, કંપનીઓ અને દેશને નુકસાન થયું.

પ્રકૃતિની સંભાળ રાખીને ખેડૂતોને વધુમાં વધુ લાભ મળે તેવા પ્રયાસો કરવા જોઇએ : કેન્દ્રીય કૃષિ મંત્રી
Agro Chemicals Conference
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 5:59 PM
Share

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહ્યું છે કે કેમિકલ ઉદ્યોગને નકારી શકાય નહીં, પરંતુ પ્રકૃતિની સંભાળ રાખીને, ખેડૂતો કેવી રીતે વધુ લાભ મેળવી શકે છે, તેના પર ધ્યાન આપવું જોઈએ.

ઓર્ગેનિક (Organic) કે કુદરતી ખેતી કરવાના પ્રયત્નો કરવા જોઈએ અને આ સિવાય, ખેતીમાં સંતુલન જાળવવું જરૂરી છે. જો કોઈ વ્યક્તિ કે વર્ગ પ્રકૃતિની વિરુદ્ધ જાય તો તેના પરિણામો પણ જોવા મળે છે. તેથી, તે દિશામાં જવાના પ્રયત્નો કરવા જોઈએ જેમાં ખેડૂતોને (Farmers) વધુ લાભ મળે.

કૃષિ મંત્રી ગુરુવારે ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (ફિક્કી) દ્વારા આયોજિત 10 એગ્રો કેમિકલ્સ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા. તોમરે જણાવ્યું હતું કે દેશમાં નવી ટેકનોલોજી અને સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. આ સંદર્ભે, તેમણે કાશ્મીરના કેસરનો ઉલ્લેખ કર્યો, જ્યાં કેસર પાર્કમાં આધુનિક સુવિધાઓના વિકાસને કારણે ખેડૂતો માટે કેસરની કિંમત 1 લાખ રૂપિયા પ્રતિ કિલોથી વધીને 2 લાખ રૂપિયા પ્રતિ કિલો થઈ છે.

કૃષિ ક્ષેત્રે તેની સુસંગતતા સાબિત કરી છે

તોમરે કહ્યું કે કૃષિ ક્ષેત્ર દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ મહત્વનું છે, જેણે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ તેની સુસંગતતા સાબિત કરી છે. કોવિડ કટોકટીના સમયમાં પણ કૃષિ ક્ષેત્ર સારું પ્રદર્શન કરી રહ્યું છે. કૃષિ આધારિત ઉદ્યોગોની સ્થિતિ પણ સંતોષકારક રહી છે. એટલા માટે સરકાર દ્વારા આ ક્ષેત્રને સતત પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યું છે. સરકાર ઈચ્છે છે કે કૃષિ ક્ષેત્ર મજબૂત રીતે વિકસિત થાય અને ભારત વિશ્વ માટે પુરવઠો પૂરો પાડી શકે તેમજ દેશની જરૂરિયાતો પણ પૂરી કરી શકે. આપણી વિચારસરણી “વસુધૈવ કુટુમ્બકમ” પર આધારિત છે. આ ભાવના સાથે દેશ આગળ વધી રહ્યો છે અને આગળ વધતો રહેશે.

નકલી જંતુનાશકનો મુદ્દો

ફિક્કીની પાક સંરક્ષણ સમિતિના અધ્યક્ષ આર.જી. અગ્રવાલે નકલી જંતુનાશકોથી ખેડૂતો, કંપનીઓ અને દેશને જે નુકશાન થઈ રહ્યું છે તે અંગેની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે કંપનીઓને ડેટા પ્રોટેક્શન મળવું જોઈએ, જેથી ખેડૂતોને યોગ્ય રસાયણો મળી શકે જેથી કૃષિ પેદાશોની ગુણવત્તા નિકાસ યોગ્ય બને. ટકાઉ વિકાસના લક્ષ્યને હાંસલ કરવા માટે, ખેડૂતોના હિતમાં નિયમનમાં ફેરફાર કરવા માટે તમામ હિસ્સેદારોને એક મંચ પર લાવવાની જરૂર છે.

કૃષિ નિકાસની બાબતમાં ટોપ -10 માં છીએ

કૃષિ મંત્રી તોમરે કહ્યું કે, ભારત મોટા ભાગની કૃષિ પેદાશોની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ કે બીજા સ્થાને છે અને અમારો પ્રયાસ છે કે દેશ આ દિશામાં આગળ વધતો રહે. કૃષિ પેદાશોની નિકાસમાં ભારત વિશ્વના પ્રથમ 10 સ્થાનોમાં પણ જોડાઈ ગયું છે. ખેડૂતો અને દેશની ઈચ્છા છે કે આ સ્થિતિને વધુ આગળ લઈ જવામાં આવે. વડાપ્રધાન મોદી ઈચ્છે છે કે કૃષિમાં રસ વધવો જોઈએ અને ખેડૂતોની આવક બમણી કરવી જોઈએ. અનેક યોજનાઓ દ્વારા આ દિશામાં કામ કરવામાં આવી રહ્યું છે.

કૃષિ કાયદાની હિમાયત

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે ખેડૂતોને એગ્રીકલ્ચર રિફોર્મ એક્ટ દ્વારા બજારની આઝાદી મળી છે. કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્ર સરકારનું આ મહત્વનું પગલું છે. સરકારે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન પણ શરૂ કર્યું છે. જેમાં અત્યાર સુધીમાં સાડા પાંચ કરોડ ખેડૂતોનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે ડિસેમ્બર સુધીમાં 8 કરોડ ખેડૂતોનો ડેટાબેઝ પૂર્ણ થશે.

આ પણ વાંચો : દરેક ખેડૂતનું બનશે એક યુનિક આઈડી, જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે

આ પણ વાંચો : RAJKOT : હળદરની ખેતી કરીને વાર્ષિક 8 લાખની કમાણી કરે છે આ ખેડૂત

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
g clip-path="url(#clip0_868_265)">