Saffron Farming: લાલ સોનું કહેવાય છે આ પાક, એકવાર તૈયાર થઈ જાય પછી નફો જ નફો!

બજારોમાં કેસરની ખેતીની માગ હંમેશા રહે છે. આ જ કારણ છે કે તેના ભાવ ક્યારેય ઘટતા નથી. આ જ કારણ છે કે તેને લાલ સોનું પણ કહેવામાં આવે છે. આ ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો મેળવી શકે છે.

Saffron Farming: લાલ સોનું કહેવાય છે આ પાક, એકવાર તૈયાર થઈ જાય પછી નફો જ નફો!
Saffron Farming (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 09, 2022 | 11:45 AM

છેલ્લા ઘણા વર્ષોમાં, ભારતમાં નવા અને નફાકારક પાકની ખેતી વિશે ખેડૂતો (Farmers)માં જાગૃતિ વધી છે. આ જ કારણ છે કે દેશના ઘણા ભાગોમાં કેસરની ખેતી (Saffron Farming)શરૂ થઈ ગઈ છે. જોકે કેસરની સૌથી વધુ ખેતી ઈરાનમાં થાય છે. જ્યારે ભારતમાં તેની ખેતી કાશ્મીરમાં થાય છે. જોકે હવે તેની ખેતી અન્ય રાજ્યોમાં પણ શરૂ થઈ ગઈ છે. આપને જણાવી દઈએ કે બજારોમાં કેસરની ખેતીની માગ હંમેશા રહે છે. આ જ કારણ છે કે તેના ભાવ ક્યારેય ઘટતા નથી. આ જ કારણ છે કે તેને લાલ સોનું પણ કહેવામાં આવે છે.

હાલ બજારોમાં કેસર એકથી દોઢ લાખ રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યું છે. આ ખેતી દ્વારા ખેડૂતો કરોડો રૂપિયાનો નફો મેળવી શકે છે. જો કે કેસરના પાકને ખૂબ કાળજીની જરૂર રહે છે. આ બધું હોવા છતાં, આ પાકના બીજ 15 વર્ષમાં માત્ર એક જ વાર વાવવામાં આવે છે. દર વર્ષે તેમાં ફૂલો આવે છે અને આ ફૂલોમાંથી કેસર કાઢવામાં આવે છે.

કેસરનું બીજ કોઈ વૃક્ષ વગેરેમાં ઉગતું નથી. તેમાં એક ફૂલ લાગે છે અને એક ફૂલની અંદર, પાંદડાની વચ્ચે 6 વધુ પાંદડા નીકળે છે. તેમાં કેસરના બે-ત્રણ પાન હોય છે, જે લાલ રંગના હોય છે. ત્યારે ત્રણ પાંદડા પીળા રંગના હોય છે, જે કોઈ કામના હોતા નથી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

આ પાકની ખેતી માટે પુષ્કળ સૂર્યપ્રકાશની જરૂર પડે છે. તેના પાકને ઠંડા અને ભીના હવામાનમાં નુકસાન થઈ શકે છે. આ જ કારણ છે કે ગરમ હવામાનવાળા સ્થળોએ તેની ખેતી શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેની ખેતી માટે એસિડિક થી તટસ્થ, કાંકરી, લોમી અને રેતાળ જમીનનો ઉપયોગ થાય છે. કેસરની ખેતી માટે જમીનનું pH લેવલ 6 થી 8 હોવું જોઈએ. જો તેનો પાક જુલાઈમાં રોપવામાં આવે તો લગભગ 3 મહિનામાં તે પાકીને તૈયાર થઈ જાય છે. ત્યારબાદ ખેડૂત ફૂલોમાંથી કેસર કાઢીને બજારમાં વેચી શકે છે.

પહેલાના સમયમાં કેસર માટે બજાર મળવું મુશ્કેલ હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં, સરકારે ખેડૂતો માટે રસ્તાઓ સરળ બનાવ્યા છે અને તેના સ્તરના ખેડૂતોને બજાર પૂરું પાડ્યું છે. આ ઉપરાંત તેની ખેતી માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ખેડૂતોને સબસિડી પણ આપવામાં આવે છે.

આ પણ વાંચો: Technology: વન-સ્ટોપ ડેસ્ટિનેશન બનશે WhatsApp, લોકો તેમના ઓફિશિયલ દસ્તાવેજો પણ કરી શકશે ડાઉનલોડ

આ પણ વાંચો: Success Story: રાસાયણિક ખેતી છોડી શરૂ કરી જૈવિક ખેતી, બાદ ચમકી ગયુ ખેડૂતનુ નસીબ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">