ચોખાના નિકાસકારોને રાહત, કેન્દ્રએ નિયંત્રણોને લઈને ભર્યું આ મોટું પગલું

8 સપ્ટેમ્બરના રોજ સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, વિવિધ ગ્રેડની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી, જેથી સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.

ચોખાના નિકાસકારોને રાહત, કેન્દ્રએ નિયંત્રણોને લઈને ભર્યું આ મોટું પગલું
Symbolic Image Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2022 | 6:22 PM

કેન્દ્ર સરકારે સફેદ અને બ્રાઉન ચોખાની નિકાસને લઈને મોટો નિર્ણય લીધો છે. સરકારે કહ્યું છે કે તે 9 સપ્ટેમ્બર પહેલા જાહેર કરાયેલા લેટર્સ ઓફ ક્રેડિટ દ્વારા સમર્થિત સફેદ અને બ્રાઉન રાઇસના કાર્ગોને મંજૂરી આપશે. સાથે જ સરકારના આ નિર્ણયથી નિકાસકારોને તાત્કાલિક રાહત મળી છે. હકીકતમાં, 8 સપ્ટેમ્બરના રોજ સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ઉપરાંત, વિવિધ ગ્રેડની નિકાસ પર 20% ડ્યુટી લાદવામાં આવી હતી, જેથી સ્થાનિક પુરવઠો વધારવા અને છૂટક કિંમતોને નિયંત્રિત કરી શકાય.

આ વર્ષે ઘણા રાજ્યોમાં મોનસુનનું આગમન મોડું થયું હતું. ઉપરાંત, ઘણા રાજ્યોમાં સરેરાશથી ઓછા વરસાદને કારણે ડાંગરના વાવેતરમાં પણ ઘટાડો થયો હતો. આવી સ્થિતિમાં 8 સપ્ટેમ્બરે સરકારે બ્રોકન ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ખાસ વાત એ છે કે સરકારના આ પગલાને કારણે લગભગ 10 લાખ ટન ચોખા બંદરો પર અટવાઈ પડ્યા હતા અથવા જે સરકારની જાહેરાત પહેલા વિદેશ જવાના હતા.

નેપાળને 6,00,000 ટન ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપશે

રાઇસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ બીવી કૃષ્ણા રાવે કહ્યું કે આ એક મોટી રાહત છે, જેની અમે છેલ્લા કેટલાક અઠવાડિયાથી માગ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે 9 સપ્ટેમ્બરથી ભારતીય સફેદ ચોખાના નિકાસ મૂલ્યમાં 12%નો વધારો થયો છે. ત્યારે સરકારે સોમવારે મોડી રાત્રે જાહેર કરેલી તેની નોટિસમાં એમ પણ કહ્યું હતું કે તે નેપાળને 6,00,000 ટન અનપોલિશ્ડ ચોખાની નિકાસ કરવાની મંજૂરી આપશે, જે પરંપરાગત રીતે તેની ખાદ્યાન્ન જરૂરિયાતોને પહોંચી વળવા માટે ભારત પર નિર્ભર છે. વૈશ્વિક ચોખાના શિપમેન્ટમાં ભારતનો હિસ્સો 40% છે. ભારત ચોખામાં થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને મ્યાનમાર સાથે સ્પર્ધા કરે છે. ત્યારે નવી દિલ્હીએ ગયા મહિને 397,267 ટન તૂટેલા ચોખાની નિકાસને મંજૂરી આપી હતી.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

બ્રોકન રાઇસનો હિસ્સો 22.78 ટકા

આપને જણાવી દઈએ કે ભારતમાંથી નિકાસ કરવામાં આવતા આખા ચોખામાં ટુકડાઓનો મોટો હિસ્સો સામેલ છે. 2022માં કુલ 93.53 લાખ મેટ્રિક ટન ચોખાની નિકાસ કરવામાં આવી છે, જેમાં બ્રોકન ચોખાનો હિસ્સો 21.31 લાખ મેટ્રિક ટન છે. આ મુજબ ભારતમાંથી કુલ ચોખાની નિકાસમાં બ્રોકન ચોખાનો હિસ્સો 22.78 ટકા છે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">