AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pulses Price Hike: કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે દાળના વધતા ભાવ પર લાગશે બ્રેક

કેન્દ્ર સરકાર હરાજી દ્વારા બજારમાં તુવેર દાળનું વેચાણ કરશે. આ માટે ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા છે. નાફેડ અને એનસીસીએફ ઓનલાઈન હરાજી દ્વારા મિલ માલિકોને કઠોળ વેચશે, જેથી બજારમાં તુવેર દાળનો સ્ટોક વધારી શકાય.

Pulses Price Hike: કેન્દ્રએ લીધો મોટો નિર્ણય, હવે દાળના વધતા ભાવ પર લાગશે બ્રેક
Pulses Price
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 4:37 PM
Share

દાળની વધતી કિંમતોને (Pulses Price Hike) રોકવા માટે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (Narendra Modi) સરકાર હવે ઘઉંની જેમ બફર સ્ટોકમાંથી કઠોળ વેચશે. સરકારને આશા છે કે બજારમાં તુવેર દાળની આવક વધવાને કારણે કિંમતોમાં થોડીક અંશે ઘટાડો આવી શકે છે. હાલ દેશના ઘણા રાજ્યોમાં તુવેર દાળ પહેલા કરતા ઘણી મોંઘી વેચાઈ રહી છે. એક કિલો તુવેર દાળ માટે લોકોને 160 થી 170 રૂપિયા ખર્ચવા પડે છે.

ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા

મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર હરાજી દ્વારા બજારમાં તુવેર દાળનું વેચાણ કરશે. આ માટે ખાદ્ય મંત્રાલયે NAFED અને NCCF ને આદેશો આપ્યા છે. નાફેડ અને એનસીસીએફ ઓનલાઈન હરાજી દ્વારા મિલ માલિકોને કઠોળ વેચશે, જેથી બજારમાં તુવેર દાળનો સ્ટોક વધારી શકાય. બજારમાં દાળનો સ્ટોક વધતા તેની અસર ભાવ પર પણ પડશે.

કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આવો જ નિર્ણય લીધો હતો

મોંઘવારીને કાબૂમાં લેવા માટે અને લોટની વધતી કિંમતોને રોકવા માટે કેન્દ્ર સરકારે જાન્યુઆરીમાં આવો જ નિર્ણય લીધો હતો. તે સમયે કેન્દ્ર સરકારે બફર સ્ટોકમાંથી હરાજી દ્વારા લાખો ટન ઘઉં બજારમાં વેચ્યા હતા. લોટના ભાવમાં પ્રતિ કિલો 5 થી 7 રૂપિયાનો ઘટાડો થયો હતો. હાલમાં દિલ્હીમાં લોટ 30 થી 35 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો છે, જ્યારે જાન્યુઆરીમાં તે 35 થી 42 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહ્યો હતો.

કઠોળની સ્ટોક લિમિટ 31 ઓક્ટોબર 2023 સુધી નક્કી કરવામાં આવી

2 જૂને કેન્દ્રની ભાજપ સરકારે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ 1955 લાગુ કરીને દાળના સંગ્રહને રોકવા માટે સ્ટોક લિમિટ નક્કી કરી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો હતો કે કઠોળની સ્ટોક લિમિટ 31 ઓક્ટોબર 2023 સુધી નક્કી કરવામાં આવી છે. જથ્થાબંધ વેપારીઓ 200 મેટ્રિક ટનથી વધુ દાળનો સંગ્રહ કરી શકશે નહીં.

આ પણ વાંચો : Mousambi Farming: મોસંબીથી કરી શકાય છે વધારે કમાણી, આ પદ્ધતિથી ખેતી કરવાથી મળશે બમ્પર ઉત્પાદન

છૂટક વેપારીઓ અને દુકાનદારો માટે સ્ટોક લિમિટ 5 મેટ્રિક ટન છે. મિલ માલિકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ તેમની કુલ ક્ષમતાના 25 ટકાથી વધુ કઠોળનો સ્ટોક કરી શકતા નથી. જો કોઈ વેપારી નિયત મર્યાદા કરતા વધુ દાળનો સંગ્રહ કરતા ઝડપાશે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
અલનીનોની ગંભીર અસર, ગુજરાતમાં આ વર્ષે વરસાદની 78% ઘટ
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
સિંહ બાળ હત્યા કેસમાં આરોપીની ધરપકડ, જુઓ Video
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
₹6 લાખનું અદ્યતન પેડેસ્ટ્રિયન સિગ્નલ અસામાજિક તત્વોએ તોડી પાડ્યું
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
વડોદરામાં પોલીસ સ્ટેશન નજીક 3 મહિલાએ બ્યુટી પાર્લર સંચાલકને લૂંટી
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
રાજકોટમાં ડિમોલેશન કે ખર્ચનો ખેલ? પાણી પાછળ 12.40 લાખનો ખર્ચ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
દાહોદમાં એકસાથે બે દીપડાના ધામા, સીંગાપુર ગામમાં ભયનો માહોલ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
આજનું રાશિફળ: કામકાજમાં બદલાવથી થશે ફાયદો, મળશે ધનપ્રાપ્તિ
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
g clip-path="url(#clip0_868_265)">