PM Kisan Yojana: ખેડૂતો માટે મોટા સમાચાર, નવમા હપ્તાના 2000 રૂપિયા આ તારીખે ખેડૂતોના ખાતામાં પહોંચશે
PM Kisan Yojana 9th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 9માં હપ્તા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે.
PM Kisan Yojana 9th Installment: પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 9માં હપ્તા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. પીએમ મોદીએ માહિતી આપી છે કે સરકાર 9 ઓગસ્ટે પીએમ કિસાન સન્માન નિધિનો 9મો હપ્તો ખેડૂતોના ખાતામાં મોકલવા જઈ રહી છે. આ આગામી હપ્તો 9 ઓગસ્ટ 2021 ના રોજ સવારે 11 વાગ્યે ખેડૂતોને મળશે.
પીએમ કિસાન સન્માન નિધિ યોજના ભારત સરકાર તરફથી 100 ટકા ભંડોળ ધરાવતી સરકારી યોજના છે. 1 ડિસેમ્બર 2018થી શરૂ થયેલી આ યોજના નાના અને સીમાંત ખેડૂત પરિવારોને 3 હેકટરમાં વાર્ષિક રૂ. 6,000ની આવક સહાયનું વચન આપે છે. જેમાની પાસે 2 હેક્ટર સુધીની સંયુક્ત જમીન/માલિકી છે.
જો તમે હજી સુધી આ યોજનામાં નોંધણી કરાવી નથી, તો વિલંબ કરશો નહીં. જો તમે આ અઠવાડિયે નોંધણી કરાવી લો તો શક્ય છે કે ચકાસણી પછી તમે 9મા હપ્તાનો લાભ પણ મેળવી શકો. તેના માટેનું ઓફલાઈન અને ઓનલાઈન (Online Registration) નોંધણી ઓપન છે. છેલ્લા બે મહિનામાં જ ખેતી માટે 21 હજાર કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં મોકલવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે ખેડૂતોને ટેકો આપવા માટે 14 મે 2021ના રોજ પીએમ કિસાન સન્માન હપ્તો ચૂકવ્યો હતો. 14 મેના રોજ સરકારે જાહેરાત કરી હતી કે લગભગ 19,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. તેનાથી લગભગ 10 કરોડ ખેડૂતોને સીધો ફાયદો થશે.
આ અઘરા સંજોગોમાં આ રકમ આ ખેડૂત પરિવારો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ રહી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં લગભગ 1,35,000 કરોડ રૂપિયા દેશના લગભગ 11 કરોડ ખેડૂતો સુધી પહોંચ્યા છે. તે સીધા ખેડૂતોના ખાતામાં અને કોઈપણ વચેટિયા વગર 1,25,000 કરોડ રૂપિયાથી વધુ છે. આમાંથી માત્ર કોરોના સમયગાળામાં ખેડૂતોના ખાતામાં 60,000 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે.