AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાગકામનો શોખ પૂરો કરવા માટે ઘરની અગાસી પર જ ખેતી શરૂ કરી, 10 વર્ષથી પરિવાર તેમાં ઉગાડેલા ફળો અને શાકભાજી ખાય છે

તેઓએ જણાવ્યું કે ટેરેસ ગાર્ડન બનાવવા માટે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જો ગણતરી કરવી હોય તો 10 વર્ષમાં ટેરેસ ગાર્ડનમાં 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.

બાગકામનો શોખ પૂરો કરવા માટે ઘરની અગાસી પર જ ખેતી શરૂ કરી, 10 વર્ષથી પરિવાર તેમાં ઉગાડેલા ફળો અને શાકભાજી ખાય છે
Rooftop Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 3:55 PM
Share

વ્યક્તિનો શોખ તેને નવી ઓળખ આપી શકે છે, પરંતુ જો ખેતીનો શોખ છે, તો આ શોખના ઘણા ફાયદા પણ છે. તમે તેની સાથે પર્યાવરણનું પણ રક્ષણ કરો છો. રઘોત્તમ રેડ્ડી, જે તેલંગાણાના છે, તેમની પણ આવી જ કહાની છે. તેને બાગકામ કરવાનો શોખ છે. તેઓ છેલ્લા ઘણા વર્ષોથી તેના ઘરની અગાસી પર બાગકામ કરી રહ્યા છે.

ખેડૂત પરિવાર સાથે સંકળાયેલા રઘોત્તમ માટે ખેતી મુશ્કેલ નહોતી. પરંતુ તેણે તેમાં નવી પદ્ધતિઓ અપનાવી અને તેના ઘરની છત અને બાલ્કનીમાં શાકભાજી ઉગાડવાનું શરૂ કર્યું. આજે તેના બગીચામાં શાકભાજી સિવાય ફળ, ફૂલ અને ઔષધીય છોડ પણ છે.

બાગકામના અનુભવો પર આધારિત પુસ્તક લખ્યુ રઘોત્તમને શરૂઆતથી ખેતીનો શોખ હતો, પરંતુ અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેમને નોકરી શરૂ કરી હતી. તેથી હવે નિવૃત્તિ પછી તે ખેતી કરે છે. તેમણે બાગાયતમાં તેમના અનુભવો પર આધારિત પુસ્તક પણ પ્રકાશિત કર્યું છે, જેનું નામ છે- ‘Terrace Garden: Midde Thota’. આ સિવાય તેમના દ્વારા લખાયેલા ઘણા તેલુગુ પુસ્તકો પ્રકાશિત થયા છે. રઘોત્તમ રેડ્ડી છેલ્લા 10 વર્ષથી કિચન ગાર્ડનિંગ કરે છે. આજે તેની પાસે 1230 ચોરસ ફૂટમાં ફેલાયેલો બગીચો છે, જ્યાં તે શાકભાજી અને ફળો ઉગાડે છે.

હવે શાકભાજી ખરીદવા માટે બજારમાં જવાની જરૂર નથી ટેરેસ પર ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે રઘોત્તમને શાકભાજી ખરીદવા માટે બજારમાં જવું પડતું નથી. તે પોતાના બગીચામાં ઉગાડવામાં આવતા કેમિકલ મુક્ત શાકભાજી ખાય છે. તેણે કહ્યું કે આ વિચાર સાથે તેણે ખેતી શરૂ કરી છે, તેને બહારથી શાકભાજી ખરીદવાની જરૂર નથી. તેઓ બગીચામાં ભીંડા, કોબી, ટામેટા, લીલા મરચાં, કઠોળ, કારેલા, રીંગણ વગેરે શકાભાજી સિઝન પ્રમાણે ઉગાડે છે. ઉપરાંત ફળમાં તેઓ લીંબુ, ડ્રેગન ફળ, જામફળ, સીતાફળ, દાડમ, ચીકુ ઉગાડે છે.

ટેરેસ ગાર્ડનથી 10 વર્ષમાં 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા તેઓએ જણાવ્યું કે ટેરેસ ગાર્ડન બનાવવા માટે લગભગ 20 હજાર રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. જોકે તેણે એક જ વખતમાં બધું રોકાણ કર્યું નથી. હવે તેમને બહારથી શાકભાજી ખરીદવાની જરૂર નથી. તેમણે કહ્યું કે જો ગણતરી કરવી હોય તો 10 વર્ષમાં ટેરેસ ગાર્ડનથી 25 ક્વિન્ટલ શાકભાજી ઉગાડવામાં આવ્યા છે.

ટેરેસ ગાર્ડન માટે તેણે રોકાયેલા નાણાંની વસૂલાત થઈ ગયા છે. તેમની મહેનતના બદલામાં આખું કુટુંબ ઓર્ગેનિક શાકભાજી ખાય છે. તેણે પોતાના ટેરેસ ગાર્ડનમાં રોપાઓની રોપણી માટે મોટા પ્લાસ્ટિક ડ્રમ, ડોલ અને કન્ટેનરનો ઉપયોગ કર્યો છે. તે પોતાના બગીચામાં માટી અને છાણીયા ખાતરનો ઉપયોગ કરે છે.

આજે, બાગકામ કરતી વખતે તેમની એક અલગ ઓળખ બની છે, રઘોત્તમ માત્ર હૈદરાબાદમાં જ નહીં પરંતુ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં પણ પ્રખ્યાત છે. તેમનો દાવો છે કે માત્ર છેલ્લા બે વર્ષમાં 500 જેટલા લોકોએ તેમના બગીચાની મુલાકાત લીધી છે. ઘણા લોકો ફેસબુક દ્વારા તેમની સાથે જોડાઈને બાગકામ કરી રહ્યા છે.

આ પણ વાંચો : ખેડૂતોએ ઓક્ટોબર માસમાં જુદા-જુદા ફળ પાકોમાં કરવાના થતા ખેતી કાર્યો અને રોગ-જીવાત નિયંત્રણ માટેના ઉપાયોની માહિતી

આ પણ વાંચો : શેરડીના પાકની સિંચાઈમાં પાણીની બચત કરવા માંગો છો ? તો આ મોબાઇલ એપ્લિકેશન મદદ કરશે

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">