AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શેરડીના પાકની સિંચાઈમાં પાણીની બચત કરવા માંગો છો ? તો આ મોબાઇલ એપ્લિકેશન મદદ કરશે

આ મોબાઈલ એપની મદદથી શેરડીના પાકમાં આગામી સિંચાઈની તારીખ જાણી શકાય છે જેથી બિનજરૂરી સિંચાઈને વારંવાર ટાળી શકાય. આ એપ શેરડીની ખેતીની સામાન્ય સ્થિતિમાં હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.

શેરડીના પાકની સિંચાઈમાં પાણીની બચત કરવા માંગો છો ? તો આ મોબાઇલ એપ્લિકેશન મદદ કરશે
Sugarcane Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 11, 2021 | 7:25 PM
Share

શેરડીની ખેતી (Sugarcane Farming) આપણા ગ્રામીણ અર્થતંત્રને આધાર પૂરો પાડે છે. આ માટે, દરેક ક્ષેત્રમાંથી શેરડીનું મહત્તમ ઉત્પાદન મેળવવા માટે અન્ય પગલાંની સાથે પર્યાપ્ત અને સમયસર સિંચાઈ જરૂરી છે.

મોટાભાગના વિસ્તારોમાં શેરડીના ઉત્પાદન પર સિંચાઈની (Irrigation) ફાયદાકારક અસર જોઈને, ખેડૂતો (Farmers) મોટા પ્રમાણમાં વારંવાર અને વધુ માત્રામાં પાણીનો ઉપયોગ કરતા રહે છે. તેનાથી પાણી અને સિંચાઈ ખર્ચ બંનેનું નુકશાન થાય છે.

શેરડીની ખેતીમાં પાણીની બચત કરીને, પર્યાવરણીય સંરક્ષણ ઉપરાંત, અન્ય આર્થિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાની તક છે. આ હેતુ માટે, આઈસીએઆર-ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનૌ દ્વારા આ મોબાઈલ એપ “ઈક્ષુ કેદાર” વિકસિત કરવામાં આવી છે, જે વૈજ્ઞાનિક ગણતરીના આધારે શેરડીના પાકમાં લાભદાયક ઉપજને લક્ષ્યાંકિત કરે છે. તેના ઉપયોગથી, શેરડીના પાકમાં આગામી સિંચાઈની તારીખ જાણી શકાય છે, જે વારંવાર બિનજરૂરી સિંચાઈ બચાવે છે.

જુદી જુદી ઋતુઓમાં વાવેલા શેરડીના પાક માટે બે સિંચાઈ વચ્ચેનું અંતર અલગ હશે, તેથી શેરડીની વાવણીની તારીખ અને છેલ્લી સિંચાઈની તારીખનો ઉલ્લેખ કરવો જરૂરી છે. શેરડીની ખેતીની સામાન્ય સ્થિતિમાં હવામાન પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ એપ તૈયાર કરવામાં આવી છે. ખાસ પરિસ્થિતિઓમાં તેનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવતી નથી જેમ કે ખારા અથવા આલ્કલાઇન જમીન, પાણી ભરાયેલા વિસ્તારો અને ખૂબ ભારે અથવા રેતાળ જમીન ધરાવતા વિસ્તારો.

ભારતીય શેરડી સંશોધન સંસ્થા વિશે પણ જાણો વર્ષ 1920 માં, ભારત સરકાર દ્વારા નિયુક્ત પ્રથમ ‘ભારતીય ખાંડ સમિતિ’ એ ‘ઈંપીરિયલ શુગર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ’ ની સ્થાપનાની ભલામણ કરી હતી, જેમાં શેરડી અને ખાંડ સંબંધિત કૃષિ, તકનીકી, રાસાયણિક અને ઇજનેરી સંશોધન સંકલન પર થઈ શકે. શેરડી કૃષિ સંશોધન અને વિકાસના કાર્યનું સંકલન કરવા માટે 29 નવેમ્બર 1944 ના રોજ ભારતીય કેન્દ્રીય શેરડી સમિતિ (ICSC) ની સ્થાપના કરવામાં આવી હતી. ભારતીય શેરડી સંશોધન સંસ્થા, લખનઉની સ્થાપના ‘ભારતીય કેન્દ્રીય શેરડી સમિતિ’ હેઠળ કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ખેડૂતોની આવક બમણી કરવા કૃષિ સ્ટાર્ટઅપ્સને વિશેષ પ્રોત્સાહન આપી રહી છે સરકાર: કેન્દ્રીય મંત્રી જીતેન્દ્ર સિંહ

આ પણ વાંચો : આ યુવાન ટાટા કંપનીમાંથી એન્જિનિયરની નોકરી છોડી ખેડૂત બન્યો, ખેતીના વ્યવસાયથી કરે છે લાખોની કમાણી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">