લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી

|

Mar 01, 2024 | 8:30 AM

મોદી સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. આગામી ખરીફ વાવણી નિમિત્તે સરકાર ખાતર પર 24,420 કરોડ રૂપિયાની સબસિડી આપશે. આખરે, કયા ખાતરોને મળશે સબસિડીનો લાભ, જાણો અહીં...

લોકસભા ચૂંટણી પહેલા ખેડૂતો પર મોદી સરકાર મહેરબાન, ખાતર પર આપશે 24,420 કરોડની સબસિડી

Follow us on

પંજાબ-હરિયાણાની બોર્ડર પર ખેડૂતો પોતાની માગ પર અડગ છે. આ દરમિયાન સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડ રૂપિયાના બજેટને પણ મંજૂરી આપવામાં આવી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં ખરીફ પાક માટે ફોસ્ફેટિક અને પોટાશ (P&K) ખાતરો પર કુલ રૂ. 24,420 કરોડની સબસિડી અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તે જ સમયે, સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

ખાતરના ભાવ રહેશે સ્થિર

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ડીએપી (ડી-એમોનિયમ ફોસ્ફેટ) અને પી એન્ડ કે ખાતરની છૂટક કિંમતો સ્થિર રહેશે. 1લી એપ્રિલથી 30મી સપ્ટેમ્બર સુધી P&K ખાતરો પર સબસિડી ઉપલબ્ધ રહેશે. આ માટે, ‘પોષક-આધારિત સબસિડી’ (NBS) ના દરો નક્કી કરવા ખાતર વિભાગની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.

આ ભાવે મળશે ખાતર

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે સરકારના આ નિર્ણય વિશે માહિતી આપી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ખરીફ પાક માટે નાઈટ્રોજન (N) પર પ્રતિ કિલોગ્રામ રૂ. 47.02, ફોસ્ફેટ (P) પ્રતિ કિલોગ્રામ રૂ. 28.72, પોટાશ (K) રૂ. 2.38 પ્રતિ કિલો અને સલ્ફર (S) પર સબસિડી આપવામાં આવી છે. જે 1.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.

2023માં રવિ પાક માટે ફોસ્ફેટિક ખાતરો પરની સબસિડી 20.82 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારીને 2024ની ખરીફ સિઝન માટે 28.72 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. જોકે, ખરીફ પાક 2024 માટે નાઈટ્રોજન (N), પોટાશ (K) અને સલ્ફર (S) પરની સબસિડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

એટલું જ નહીં, આ સબસિડી સિવાય ડીએપી (ડી-એમોનિયમ ફોસ્ફેટ)ની કિંમત 1,350 રૂપિયા પ્રતિ થેલી (50 કિલો)ના ભાવે વેચાઈ રહી છે તે આગામી ખરીફ પાકમાં પણ સ્થિર રહેશે. મ્યુરિએટ ઓફ પોટાશ (MOP) પણ 1,670 રૂપિયા પ્રતિ થેલીના દરે અને NPK 1,470 રૂપિયા પ્રતિ થેલીના દરે ઉપલબ્ધ થશે.

કેબિનેટે DAP પર આયાત નિર્ભરતા ઘટાડવા માટે એનબીએસ યોજના હેઠળ ત્રણ નવા ખાતર ગ્રેડના સમાવેશને પણ મંજૂરી આપી હતી. ખેડૂતોને પોષણક્ષમ ભાવે ખાતર ઉપલબ્ધ કરાવી શકાય તે માટે નિર્ધારિત દર મુજબ ખાતર કંપનીઓને સબસિડી આપવામાં આવશે.

Next Article