PMFBY : ખેડૂતોની સુવિધા માટે પાક વીમા યોજનામાં થયા ફેરફાર, જાણો શું મળશે લાભ

|

Jul 20, 2021 | 5:39 PM

PMFBY : આ યોજના ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. અત્યાર સુધી વીમા કંપનીઓ એવા ખેડૂતોના બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ કાપી લેતી હતી કે જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ હોય.

PMFBY : ખેડૂતોની સુવિધા માટે પાક વીમા યોજનામાં થયા ફેરફાર, જાણો શું મળશે લાભ
File Photo

Follow us on

પીએમ ફસલ બિમા યોજનામાં (PM Fasal Bima Yojana) ખેડૂતને વધારે લાભ મળે તે માટે તેમાં ફેરફારો કરવામાં આવ્યા છે. જેથી તે ખેડૂતોને યોજનાનો ઝડપથી લાભ મળે જેમના પાકને નુકસાન થયું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરના જણાવ્યા મુજબ, શરૂઆતથી આ યોજના હેઠળ 29.16 કરોડથી વધુ ખેડૂતો દ્વારા વીમો લેવામાં આવ્યો છે. દર વર્ષે લગભગ 5.5 કરોડ ખેડૂતોની અરજીઓ આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં 8.3 કરોડથી વધુ ખેડૂતોને લાભ મળ્યો છે. આ ઉપરાંત રૂ.20,000 કરોડના ખેડૂતોની ભાગીદારી સામે 95,000 કરોડ રૂપિયાના દાવાની ચૂકવણી કરવામાં આવી છે. તેથી વધુમાં વધુ ખેડૂતોએ તેમાં સામેલ થવું જોઇએ અને જોખમ મુક્ત ખેતીનો લાભ લેવો જોઇએ. ચાલો આપણે જાણીએ કે ખેડૂતોની માગને લઇને આ યોજનામાં કયા ફેરફારો થયા છે.

યોજનાને સ્વૈચ્છિક કરવામાં આવી

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

આ યોજના ખેડૂતો માટે સ્વૈચ્છિક બનાવવામાં આવી છે. અત્યાર સુધી વીમા કંપનીઓ એવા ખેડૂતોના બેંક ખાતામાંથી પ્રીમિયમની રકમ કાપી લેતી હતી કે જેમની પાસે કિસાન ક્રેડિટ કાર્ડ (KCC-Kisan Credit Card) હોય. પહેલેથી જ સરકારી દેવાના બોજારૂપ ખેડૂતોને એ પણ ખબર નહોતી કે તેમના પાકનો વીમો લેવામાં આવ્યો છે. તેથી ખેડૂત સંગઠનોની માગ પર સરકારે આ નિયમનો અંત લાવ્યો છે.

ખેડૂત જો આ યોજનામાં જોડાવા માંગતા ન હોય તો, અરજીની તારીખના 7 દિવસ પહેલાં, તે સંબંધિત બેંક શાખામાં ઓપ્ટ-આઉટ ફોર્મ અથવા સ્વ-ઘોષણા ફોર્મ સબમિટ કરીને તે વિકલ્પ પસંદ કરી શકે છે. ત્યારબાદ પાક વીમા પ્રીમિયમ તેના ખાતામાંથી કાપવામાં આવશે નહીં. 31 જુલાઇ, એ આ યોજનામાં જોડાવાની છેલ્લી તારીખ છે, તેથી આ કામ ખેડૂતોએ 24 જુલાઇ સુધીમાં કરવાનું રહેશે.

પાક વીમા કંપનીઓ એક વર્ષને બદલે ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે ટેન્ડર ભરશે. એટલે કે, હવે વીમાનું કાર્ય ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે આપવામાં આવશે, જે ખેડૂતો પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા અને જવાબદારી પૂર્ણ કરશે. એટલે કે, કોઈ એક કંપની ફક્ત એક જ વર્ષમાં કોઈ પણ ક્ષેત્રથી ભાગવામાં સમર્થ નહીં રહે.

પાક નુકસાનની આકારણી હવે સેટેલાઇટ દ્વારા કરવામાં આવશે. તેના દ્વારા સ્માર્ટ સેમ્પલિંગ કરવામાં આવશે. આ સાથે ખેડૂતોને વીમાના દાવાની ચુકવણી પહેલા કરતા ઝડપથી થશે. તેનો પાયલોટ પ્રોજેક્ટ દેશના 10 રાજ્યોના 96 જિલ્લાઓમાં ચાલી રહ્યો છે.

પાક વીમા એપ્લિકેશન, કૃષક કલ્યાણ કેન્દ્ર, સીએસસી કેન્દ્ર અથવા નજીકના કૃષિ અધિકારી દ્વારા પાકના નુકસાનની માહિતી 72 કલાકની અંદર આપી શકાય છે. જો તમે પહેલાથી જ પ્લાન કરેલા પાકને બદલવા માંગતા હોવ તો તે પણ શક્ય છે. ખેડૂતે પાકની બદલી માટે બેંકને છેલ્લી તારીખના ઓછામાં ઓછા બે દિવસ પહેલાં એટલે કે 29 જુલાઇ સુધીમાં જાણ કરવાની રહેશે.

Next Article