Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ

આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાં, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ
Symbolic Image (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 20, 2022 | 8:58 AM

પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojana)શું છે અને તે કેવી રીતે કાર્ય કરે છે તે વિશે બધાને પહેલેથી જ માહિતી હશે અને એવી પણ અપેક્ષા છે કે અત્યાર સુધીમાં મોટાભાગના ખેડૂતોએ તેનો લાભ લીધો હશે. આવી સ્થિતિમાં આજે અમે વાત કરીશું કે તમે સન્માન નિધિ એકાઉન્ટને તમારા આધાર કાર્ડ (Aadhaar Card) સાથે લિંક કરીને કેવી રીતે ખાતરી કરી શકો છો. આધાર કાર્ડને આજકાલ તમામ મહત્વની બાબતો સાથે લિંક કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બેંક ખાતામાંથી, જેથી સામાન્ય નાગરિકો અને ખેડૂતોના પૈસા સુરક્ષિત રહે.

આપને જણાવી દઈએ કે આ યોજના દેશભરના તમામ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે શરૂ કરવામાં આવી હતી. યોજના હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા તમામ ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયાની આવક સહાય ત્રણ હપ્તામાં આપવામાં આવે છે.

યોજનાનો લાભ નહીં મળે

કોઈપણ ખેડૂત કે જેઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે અને તેઓ પાત્રતા ધરાવતા ખેડૂતો છે તો તેમણે તેમના ખાતા સાથે આધાર લિંક કરવાનું રહેશે. આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે અત્યાર સુધી તમારું આધાર કાર્ડ લિંક નથી કર્યું તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. એટલે કે તમને PM કિસાન (PM Kisan Yojana Installment)ના આગામી હપ્તા માટે પૈસા મળશે નહીં. આવી સ્થિતિમાં જો તમે નથી જાણતા કે તમે તમારા એકાઉન્ટને આધાર કાર્ડ સાથે કેવી રીતે લિંક કરી શકો છો. ત્યારે અમે જણાવીશું.

Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ
IPL 2025 : દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલની પત્ની છે સુંદર, જુઓ ફોટો
સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી થાય છે આ 9 ચમત્કારિક ફાયદા

આધાર વિગતો કેવી રીતે અપડેટ કરવી

  • સૌથી પહેલા તમારે ઓફિશિયલ વેબસાઈટ www.pmkisan.gov.in પર જવું પડશે.
  • હોમ પેજ પર, ‘Farmer Corner’ પર ક્લિક કરો.
  • હવે ‘Edit Aadhaar Failure Records’નો વિકલ્પ પસંદ કરો.
  • હવે તમને ત્યાં આધાર કાર્ડ નંબર, મોબાઈલ નંબર, બેંક એકાઉન્ટ નંબર, ખેડૂત નંબર જેવા વિકલ્પો જોવા મળશે.
  • આધાર નંબર પર ક્લિક કરો.
  • બધી જરૂરી માહિતી દાખલ કરો અને ‘અપડેટ’ પર ક્લિક કરો.

લાભો મેળવવા માટે PM કિસાનમાં eKYC કેવી રીતે અપડેટ કરવું

  • આ માટે સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ pmkisan.gov.in પર જાઓ.
  • પેજની જમણી બાજુએ ઉપલબ્ધ eKYC વિકલ્પ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ નંબર, કેપ્ચા કોડ દાખલ કરો અને સર્ચ પર ક્લિક કરો.
  • આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર દાખલ કરો.
  • ‘ગેટ OTP’ પર ક્લિક કરો અને તમારો OTP અહીં દાખલ કરો.

આ સંપૂર્ણ પ્રક્રિયાને અનુસરીને તમે તમારું આધાર લિંક કરીને તમારું એકાઉન્ટ અપડેટ કરી શકો છો. જો દાખલ કરેલા OTPમાં કોઈ ભૂલ જોવા મળે છે તો તેઓ તેમના બાયોમેટ્રિક્સને અપડેટ કરવા માટે CSC કેન્દ્રોની મુલાકાત લઈ શકે છે. ઉપરાંત, આ સંબંધિત અન્ય માહિતી માટે તમે નજીકના આધાર કાર્ડ કેન્દ્રની મુલાકાત લઈને માહિતી એકત્રિત કરી શકો છો.

આ પણ વાંચો: Viral: કપડા સુકવવામાં કૂતરાએ કરી મદદ, વીડિયો જોઈ લોકોએ કહ્યું ‘આવો હેલ્પર અમારે પણ જોઈએ’

આ પણ વાંચો: Mandi: ભરૂચની જંબુસર APMCમાં ચોખાના મહત્તમ ભાવ રૂપિયા 3,500 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ

g clip-path="url(#clip0_868_265)">