Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન
Lily-Flower (PS : DD kisan )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:54 AM

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુશોભિત ફૂલોની માંગ સતત વધી રહી છે. દેશમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની (Farmers) સામે સુશોભન ફૂલો એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ માત્ર જોવામાં જ આકર્ષક નથી, પરંતુ ખેડૂતો તેમાંથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. આવું જ એક ફૂલ છે લીલી (Lily Flower).  તે એક વિદેશી સુશોભન ફૂલ છે અને ઘણા રંગોમાં આવે છે. ભારતના ખેડૂતો ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે.

લીલી એક વિદેશી ફૂલ હોવા છતાં તે ભારતમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખેડૂતો આખું વર્ષ પોલી હાઉસમાં તેનું ઉત્પાદન કરતા હોય છે. આપણા દેશમાં તેની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. હાલમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશના ખેડૂતો જ લીલીના ફૂલો ઉગાડે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેની ખેતી થઈ રહી છે.

લીલી ફૂલની ખેતીને લગતી માહિતી

લીલીની ખેતી ત્રણ તબક્કામાં થાય છે. પ્રથમ ચરણમાં ટીશ્યુ કલ્ચર પ્રક્રિયા દ્વારા નર્સરી તૈયાર કરવામાં આવે છે. આ કામ મોટી લેબોરેટરી કે કંપનીઓમાં થાય છે. બીજા તબક્કામાં નર્સરી એટલે કે રોપા વાવવામાં આવે છે. છોડ ફૂલો નહીં પણ કંદ પેદા કરે છે. ત્રીજા તબક્કામાં તે કંદ કુંડામાં વાવવામાં આવે છે. આ રીતે ખેડૂતોને ફૂલો મળે છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

પહાડી રાજ્યોમાં આબોહવા લીલી માટે અનુકૂળ છે. આવા વિસ્તારોમાં રહેતા ખેડૂતો ખુલ્લામાં લીલીની ખેતી પણ કરી શકે છે. મેદાનોમાં લીલીની ખેતી માટે પોલી હાઉસની જરૂર પડે છે. પોલી હાઉસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 2.5 કિલો કોકોપીટ, 2.5 કિલો અળસિયાનું ખાતર, 2.5 કિલો ભૂંસુ અને 5 કિલો કોલસાની રાખની જરૂર પડે છે. આ પછી આ મિશ્રણમાં રોપાઓ વાવવામાં આવે છે અને ખેડૂતોને કંદ મળે છે.

કંદના વિકાસમાં ત્રણ મહિના લાગે છે. આ સમય દરમિયાન સારી કાળજી જરૂરી છે અને ટપક સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. ત્રણ મહિના પછી કંદ તૈયાર થાય છે. કંદ મૂળની સાથે જ ઉખડી જાય છે.

લીલીના કંદ વેચીને પણ ખેડૂતો કમાણી કરે છે

ખેડૂતો ઈચ્છે તો કંદ વેચીને પણ મોટી કમાણી કરી શકે છે. જો તમે કંદ વેચવા માંગતા ન હોય તો તેને કુંડામાં વાવો અને સીધા ફૂલો ઉગાડીને વેચો. ત્રણ-ત્રણ કંદ પહેલાથી તૈયાર મિશ્રણ ભરીને કુંડામાં વાવવામાં આવે છે. પછી કંદ મિશ્રણ સાથે આવરી લેવામાં આવે છે.

રોપણી પછી તરત જ પાણીનો છંટકાવ કરવો જરૂરી છે. 7 દિવસ પછી પોલી હાઉસનું તાપમાન 20થી 25 ડિગ્રી પર ઠીક કરવાની સલાહ આપવામાં આવે છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ થયાના 30 દિવસ પછી લીલી કળીઓ દેખાય છે અને તરત જ ફૂલો ખીલે છે.

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

આ પણ વાંચો : Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર

આ પણ વાંચો : સંકટ ચતુર્થીએ કરો આ ગણેશ મંત્રનો જાપ, વિઘ્નહર્તા હરી લેશે જીવનના સઘળા સંતાપ !

Latest News Updates

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળશે
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
તમારા જિલ્લામાં આજે કાળઝળ ગરમીથી પડશે કે ગરમીથી મળશે રાહત ?
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
g clip-path="url(#clip0_868_265)">