Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

Lily Flower Farming: લીલીના ફૂલથી થશે સારી કમાણી, આવો જાણીએ કેવી રીતે ખેતી કરવામાં આવે છે અને શું રાખવું પડે છે ધ્યાન
Lily-Flower (PS : DD kisan )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:54 AM

ભારત સહિત સમગ્ર વિશ્વમાં સુશોભિત ફૂલોની માંગ સતત વધી રહી છે. દેશમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતોની (Farmers) સામે સુશોભન ફૂલો એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યા છે. આ માત્ર જોવામાં જ આકર્ષક નથી, પરંતુ ખેડૂતો તેમાંથી ઘણી કમાણી પણ કરી રહ્યા છે. આવું જ એક ફૂલ છે લીલી (Lily Flower).  તે એક વિદેશી સુશોભન ફૂલ છે અને ઘણા રંગોમાં આવે છે. ભારતના ખેડૂતો ખેતી કરીને અઢળક કમાણી કરી રહ્યા છે.

લીલી એક વિદેશી ફૂલ હોવા છતાં તે ભારતમાં વધુને વધુ લોકપ્રિય બની રહ્યું છે. ખેડૂતો આખું વર્ષ પોલી હાઉસમાં તેનું ઉત્પાદન કરતા હોય છે. આપણા દેશમાં તેની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં થાય છે. હાલમાં આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને અરુણાચલ પ્રદેશના ખેડૂતો જ લીલીના ફૂલો ઉગાડે છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેની ખેતી થઈ રહી છે.

લીલી ફૂલની ખેતીને લગતી માહિતી

લીલીની ખેતી ત્રણ તબક્કામાં થાય છે. પ્રથમ ચરણમાં ટીશ્યુ કલ્ચર પ્રક્રિયા દ્વારા નર્સરી તૈયાર કરવામાં આવે છે. આ કામ મોટી લેબોરેટરી કે કંપનીઓમાં થાય છે. બીજા તબક્કામાં નર્સરી એટલે કે રોપા વાવવામાં આવે છે. છોડ ફૂલો નહીં પણ કંદ પેદા કરે છે. ત્રીજા તબક્કામાં તે કંદ કુંડામાં વાવવામાં આવે છે. આ રીતે ખેડૂતોને ફૂલો મળે છે.

જાણો શું છે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક ? કાચું કે ઉકાળેલું દૂધ
સુંદરતાનું બીજું નામ 'એન્ટિલિયા', કોણે બનાવ્યું છે મુકેશ અંબાણીનું 27 માળનું ઘર?
એલ્વિશ યાદવ સહિત Bigg Bossના કન્ટેસ્ટન્ટ જઈ ચૂક્યા જેલ,જાણો કોણ છે સામેલ
ઘરમાં જ ઉગાડો સ્વાદિષ્ટ લીચી, અપનાવો આ સરળ ટીપ્સ
કઈ ઉંમરે ગર્ભધારણની શક્યતાઓ વધારે ?
ડ્રોન દીદી બનવા માટે શું લાયકાત હોવી જોઇએ ? જાણો કેટલુ વેતન મળશે

પહાડી રાજ્યોમાં આબોહવા લીલી માટે અનુકૂળ છે. આવા વિસ્તારોમાં રહેતા ખેડૂતો ખુલ્લામાં લીલીની ખેતી પણ કરી શકે છે. મેદાનોમાં લીલીની ખેતી માટે પોલી હાઉસની જરૂર પડે છે. પોલી હાઉસમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે 2.5 કિલો કોકોપીટ, 2.5 કિલો અળસિયાનું ખાતર, 2.5 કિલો ભૂંસુ અને 5 કિલો કોલસાની રાખની જરૂર પડે છે. આ પછી આ મિશ્રણમાં રોપાઓ વાવવામાં આવે છે અને ખેડૂતોને કંદ મળે છે.

કંદના વિકાસમાં ત્રણ મહિના લાગે છે. આ સમય દરમિયાન સારી કાળજી જરૂરી છે અને ટપક સિંચાઈની ભલામણ કરવામાં આવે છે. ત્રણ મહિના પછી કંદ તૈયાર થાય છે. કંદ મૂળની સાથે જ ઉખડી જાય છે.

લીલીના કંદ વેચીને પણ ખેડૂતો કમાણી કરે છે

ખેડૂતો ઈચ્છે તો કંદ વેચીને પણ મોટી કમાણી કરી શકે છે. જો તમે કંદ વેચવા માંગતા ન હોય તો તેને કુંડામાં વાવો અને સીધા ફૂલો ઉગાડીને વેચો. ત્રણ-ત્રણ કંદ પહેલાથી તૈયાર મિશ્રણ ભરીને કુંડામાં વાવવામાં આવે છે. પછી કંદ મિશ્રણ સાથે આવરી લેવામાં આવે છે.

રોપણી પછી તરત જ પાણીનો છંટકાવ કરવો જરૂરી છે. 7 દિવસ પછી પોલી હાઉસનું તાપમાન 20થી 25 ડિગ્રી પર ઠીક કરવાની સલાહ આપવામાં આવે છે. કંદ ટ્રાન્સપ્લાન્ટ થયાના 30 દિવસ પછી લીલી કળીઓ દેખાય છે અને તરત જ ફૂલો ખીલે છે.

ભારતમાં લીલીની ખેતી ખૂબ જ ઓછી માત્રામાં કરવામાં આવે છે. જેના કારણે કંપનીઓ ખેડૂતો સાથે અગાઉથી સોદા કરે છે. આનો ફાયદો ખેડૂતોને એ થશે કે તેમને બજારમાં જવું પડતું નથી.

આ પણ વાંચો : Covid Guidelines: 5 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે જરૂરી નથી માસ્ક, કેન્દ્રએ નવી કોરોના માર્ગદર્શિકા પાડી બહાર

આ પણ વાંચો : સંકટ ચતુર્થીએ કરો આ ગણેશ મંત્રનો જાપ, વિઘ્નહર્તા હરી લેશે જીવનના સઘળા સંતાપ !

Latest News Updates

દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
g clip-path="url(#clip0_868_265)">