RAJKOTના કોટડા સાંગાણીના ખેડુતોને ડુંગળીએ રડાવ્યા
રાજકોટના(RAJKOT) કોટડાસાંગાણી પંથકમાં ચોમાસાની (MONSON) સીઝનમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલ મગફળી કપાસ સહીતના પાકને સતત વરસાદી પાણી લાગી જવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું.
રાજકોટના(RAJKOT) કોટડાસાંગાણી પંથકમાં ચોમાસાની (MONSON) સીઝનમાં પડેલા રેકોર્ડ બ્રેક વરસાદના કારણે ખેતરોમાં વાવેતર કરેલ મગફળી કપાસ સહીતના પાકને સતત વરસાદી પાણી લાગી જવાથી વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું. ત્યારબાદ સારા ભાવની આશાએ ખેડુતોએ(FARMERS) મગફળી કપાસનો પાક કાઢી ડુંગળીનું(ONION) વાવેતર કર્યું હતું. પરંતુ એમાં પણ પુરતા ભાવ નહી મળતા ખેડુતોની સ્થિતિ પડ્યા પાટૂ જેવી થઈ છે.
ગત વર્ષની સરખામણીમા આ વર્ષે ડુંગળીનો ભાવ ઓછો મળવાથી રાજકોટના કોટડાસાંગાણીના ખેડુતોને ડુંગળીએ રોવડાવ્યા છે. તેમાં પણ માવઠાઓને કારણે બે વખત ડુંગળીનો પાક નીષ્ફળ ગયેલ અને ત્રીજી વખત બીયારણ વાવ્યા બાદ ડુંગળીનો પાક થયો હતો. પરંતુ યોગ્ય ભાવ નહી મળવાથી ખેડુતોને નુકશાન ગયું છે.
એક તરફ ખાતર અને જંતુનાશક દવાઓના ઉંચા ભાવથી ખેડુતોને વીઘા દીઠ પંદરથી વીસ હજારનો ખર્ચો આવે છે. તેમા પણ રાત દિવસની મહેનત કરી પાક તૈયાર કરવા છતા યોગ્ય ભાવ નહી મળતા આખરે જગતનો તાત ચીંતામા મુકાયો છે.