AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashwagandha Farming: ઔષધીય છોડ અશ્વગંધાની ખેતી વિશે જાણો સંપૂર્ણ માહિતી

અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદય માટે સારી છે.

Ashwagandha Farming: ઔષધીય છોડ અશ્વગંધાની ખેતી વિશે જાણો સંપૂર્ણ માહિતી
Farmer (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 01, 2022 | 3:31 PM
Share

કોરોના મહામારી બાદ ઔષધીય છોડની માગ વધી છે અને તેની ખેતી કરતા ખેડૂતોને ઘણો નફો મળી રહ્યો છે. જો તમે પણ ઔષધીય છોડ (Medicinal Plants) ઉગાડવા માંગતા હોવ અને સારું વળતર મેળવવા માંગતા હોવ તો તમે અશ્વગંધાની ખેતી કરીને લાખોની કમાણી (Ashwagandha Cultivation in India) કરી શકો છો. અશ્વગંધા (Ashwagandha Commercial Farming)ની વ્યવસાયિક ખેતી સારો નફો આપે છે. જો સારી કૃષિ વ્યવસ્થાપન પ્રથાઓ અમલમાં હોય અને યોગ્ય માર્કેટિંગ મોડલ મૂકવામાં આવે.

અશ્વગંધા શું છે

અશ્વગંધા સખત અને દુષ્કાળ સહન કરનાર છોડ છે. તેને “ભારતીય જિનસેંગ” અથવા “શિયાળુ ચેરી” તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે ભારતના ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભાગોમાં ઉગાડવામાં આવતો દેશી ઔષધીય છોડ છે. અશ્વગંધા ઔષધી એ એક મહત્વપૂર્ણ પ્રાચીન છોડ છે જેના મૂળનો ઉપયોગ આયુર્વેદ અને યુનાની જેવી ભારતીય પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે. અશ્વગંધા જડીબુટ્ટી “સોલાનેસી” અને ‘વિથાનિયા’ જાતિના પરિવારની છે અને તેનું વૈજ્ઞાનિક નામ “વિથેનિયા સોમ્નિફેરા” છે.

અશ્વગંધાના સામાન્ય નામો

અશ્વગંધા, નાગોરી અશ્વગંધા, પુનીર, વિન્ટર ચેરી, અને ભારતીય જીન્સેંગ

અશ્વગંધાની ખેતી

માટી

અશ્વગંધા 7.5થી 8.0ની વચ્ચે પીએચ સાથે સારી રીતે પાણી નિકાલવાળી રેતાળ લોમ અથવા હળવા લાલ માટીમાં ઉગાડવામાં આવે ત્યારે શ્રેષ્ઠ પરિણામો આપે છે. એવી જમીનમાં અશ્વગંધા ઉગાડવી શક્ય નથી કે જે ભેજ જાળવી રાખે અને પાણી ભરાયેલી રહે. જમીન ઢીલી, ઊંડી અને સારી હોવી જોઈએ. સારી ડ્રેનેજવાળી કાળી અથવા ભારે જમીન પણ અશ્વગંધા ખેતી માટે યોગ્ય છે.

વાવણીનો સમયગાળો

જૂન-જુલાઈ મહિનામાં અશ્વગંધાની ખેતી માટે નર્સરી તૈયાર કરવામાં આવે છે.

અંતર

વૃદ્ધિ અને અંકુરણની ટકાવારીના આધારે, 20થી 25 સેમી લાઇન-ટુ-લાઇન અંતર 10 સેમી છોડથી છોડનું અંતર રાખવામાં આવે છે.

વાવણી અને પ્રક્રિયા

બીજ સામાન્ય રીતે લગભગ 1થી 3 સેમી ઊંડા વાવવામાં આવે છે. મુખ્ય રીતે ચોપવાની પદ્ધતિથી થાય છે.

અશ્વગંધા છોડની પાણીની જરૂરિયાત

અશ્વગંધાની ખેતી અતિશય સિંચાઈ અથવા પાણી ભરાયેલી પરિસ્થિતિઓને સહન કરતી નથી. રોપણી વખતે હળવા સિંચાઈથી છોડની જમીનમાં સારી વૃદ્ધિ થાય છે. સારી મૂળ ઉપજ માટે પાકને 8થી 10 દિવસના અંતરે એકવાર પિયત આપવું જોઈએ.

અશ્વગંધા પાકમાં જીવાતો અને રોગો

અશ્વગંધા ખેતીમાં જોવા મળતા સામાન્ય જીવાતો અને રોગોમાં એફિડ, જીવાત અને જંતુઓના હુમલાનો સમાવેશ થાય છે. જો કે આ પાકમાં કોઈ ગંભીર જીવાત જોવા મળતી નથી. આ રોગને ઘટાડવા માટે રોગમુક્ત બીજ પસંદ કરવા અને વાવણી પહેલા બીજની માવજત કરવી જરૂરી છે. રોગોથી બચવા માટે લીમડો, ચિત્રમૂલ, દાતુરા, ગૌમૂત્ર વગેરેમાંથી જૈવિક જંતુનાશકો તૈયાર કરી શકાય છે. આ સિવાય પાક ફેરબદલ અને જમીનના યોગ્ય નિકાલને અપનાવવાથી કોઈપણ રોગની અસર ઓછી થશે.

અશ્વગંધાની લણણી ક્યારે અને કેવી રીતે કરવી

સૂકાં પાંદડાં અને લાલ-નારંગી બેરી પરિપક્વતા લણણીનો સમય દર્શાવે છે. અશ્વગંધાનો પાક વાવણી પછી 160-180 દિવસે લણણી માટે તૈયાર થઈ જાય છે. મૂળ માટે આખો છોડ ઉપડાવો જોઈએ. અને પછી સૂકવવાની સુવિધા માટે તેને 8 થી 10 સે.મી.ના નાના ટુકડાઓમાં કાપવા જોઈએ.

અશ્વગંધાના સ્વાસ્થ્ય લાભો

અશ્વગંધા રોગપ્રતિકારક શક્તિ વધારે છે, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે, બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, હૃદય માટે સારી છે, કોલેજનને ઉત્તેજિત કરે છે અને ઘા જલ્દી મટી જાય છે, ડિપ્રેશન, તણાવ અને ચિંતા ઘટાડે વગેરે જેવા અનેક સ્વાસ્થ્ય લાભો છે.

ભારતમાં અશ્વગંધાનાં મુખ્ય ઉત્પાદન રાજ્યો

ભારતમાં આ પાકના મુખ્ય ઉત્પાદક રાજ્યો મધ્ય પ્રદેશ, ગુજરાત, હરિયાણા, મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: Marigold Farming: આ બાબતોનું ધ્યાન રાખી ગલગોટાની ખેતીમાં ખેડૂતો મેળવી શકે છે સારો નફો

આ પણ વાંચો: Viral: શખ્સે સ્કૂટીના સાઈલેન્સરમાં તૈયાર કર્યા પોપકોર્ન, યુઝર્સ બોલ્યા ‘આજ જોવાનું બાકી રહી ગયું હતું’

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
ગુજરાતમાં પડશે ગાત્રો થીજવતી ઠંડી
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
તમારો આત્મવિશ્વાસ જાળવી રાખો, થાક અને તણાવમાંથી રાહત અનુભવશો
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
વડોદરા નંદેસરી બ્રિજ પર કાળમુખો અકસ્માત, યુવકનો 'ફિલ્મી' બચાવ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
લાખાજીરાજ રોડ પર વેપારીઓ અને ફેરિયાઓ વચ્ચે ફરી રસ્તા પર આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">