AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nano Urea liquid: ગામે-ગામ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદાની જાણકારી આપશે IFFCO જાગૃતિ રથ

આ વર્ષે 26 જાન્યુઆરીએ IFFCOએ નેનો યુરિયા લિક્વિડની 20 મિલિયન બોટલનું ઉત્પાદન કર્યું હતું. નેનો યુરિયા પરંપરાગત યુરિયા કરતાં સસ્તું અને વધુ ફાયદાકારક છે.

Nano Urea liquid: ગામે-ગામ નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદાની જાણકારી આપશે IFFCO જાગૃતિ રથ
IFFCO Nano urea liquid benefits (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 22, 2022 | 7:34 AM
Share

પરંપરાગત યુરિયા કરતાં નેનો યુરિયા પ્રવાહી પાક માટે વધુ ફાયદાકારક છે. પરંપરાગત યુરિયા છોડના મૂળમાં નાખવામાં આવે છે, જ્યારે નેનો યુરિયા પ્રવાહી સીધું પાંદડા પર છાંટવામાં આવે છે, તેથી નેનો યુરિયા (Nano Urea liquid)વધુ અસરકારક છે. ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કો-ઓપરેટિવ લિમિટેડ (IFFCO) એ આ માહિતી ગામ-ગામના ખેડૂતો સુધી પહોંચાડવા માટે જાગૃતિ રથ શરૂ કર્યો છે. તેના દ્વારા તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જણાવવામાં આવશે. નેનો યુરિયાની જાગૃતિ માટે IFFCO દ્વારા વિકસાવવામાં આવેલ જાગૃતિ રથને મધ્યપ્રદેશના શિવપુરીથી ફ્લેગ ઓફ કરવામાં આવ્યો હતો. કલેક્ટર અક્ષય કુમાર સિંહે રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રથ જિલ્લાના દરેક ગામમાં પહોંચશે.

તેના લોકાર્પણ માટે યોજાયેલા કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક, જિલ્લા સહકારી મધ્યસ્થ બેંકના જનરલ મેનેજર, માર્કફેડના જિલ્લા માર્કેટિંગ અધિકારી અને મદદનીશ બાગાયત નિયામક સહિત અનેક લોકો ઉપસ્થિત રહ્યા હતા. IFFCO ના પ્રાદેશિક અધિકારી આર.કે. મહોલિયાએ જણાવ્યું કે આ નેનો યુરિયા રથ 30 દિવસ સુધી જિલ્લાનો પ્રવાસ કરશે અને ખેડૂતોને નેનો યુરિયાના ઉપયોગ અને ફાયદાઓ વિશે માહિતગાર કરશે. રથ દ્વારા ખેડૂતોને જણાવવામાં આવશે કે IFFCO નેનો યુરિયા લિક્વિડ સામાન્ય યુરિયા કરતાં વધુ સારું અને સસ્તું છે.

નેનો યુરિયાના ઉપયોગથી ઉત્પાદન વધવાના દાવા

નેનો યુરિયા નાઈટ્રોજનનો મુખ્ય સ્ત્રોત છે. તે છોડની રચના અને વૃદ્ધિ માટે ઉપયોગી છે. IFFCO અધિકારીઓએ ફિલ્ડ ટ્રાયલના આધારે દાવો કર્યો છે કે પરંપરાગત યુરિયાની સરખામણીમાં નેનો યુરિયાના ઉપયોગથી ઉત્પાદનમાં સરેરાશ 8 ટકાનો વધારો થાય છે. આ વર્ષે 26 જાન્યુઆરી સુધીમાં, IFFCOએ નેનો યુરિયાની 20 મિલિયન બોટલનું ઉત્પાદન કર્યું હતું.

સરકારનો ઈરાદો પરંપરાગત યુરિયાને નેનો યુરિયાથી બદલવાનો છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી બે-ત્રણ વર્ષમાં ખેડૂતો પરંપરાગત યુરિયાનો ઉપયોગ નોંધપાત્ર રીતે ઘટાડશે. IFFCO મેનેજમેન્ટ નેનો યુરિયાની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા વધારીને 32 કરોડ બોટલ કરવા માગે છે.

પરિવહન, જાળવણી ખર્ચ ખૂબ ઓછો છે

નેનો યુરિયા ખેડૂતોને 240 રૂપિયા પ્રતિ બોટલના ભાવે ઉપલબ્ધ થશે અને નેનો યુરિયાની એક બોટલ એક થેલી સમાન છે. નેનો યુરિયાનો પરિવહન અને જાળવણી ખર્ચ પણ ઓછો છે. અનેક સ્થળોએ ખેડૂતોની હાજરીમાં નેનો લિક્વિડ યુરિયાના ડ્રોન છંટકાવની પ્રેક્ટિકલ ફિલ્ડ ટ્રાયલ કરવામાં આવી રહી છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે 100 લીટર પાણી માટે 500 mlની બોટલ પૂરતી છે. સ્પ્રેના કારણે, આ યુરિયાનો સંતુલિત ઉપયોગ થાય છે, જે પર્યાવરણ માટે સારું છે. યુરિયાના સંતુલિત ઉપયોગને કારણે છોડમાં રોગો અને જીવાતોનું જોખમ વધારે નથી હોતું.

આ પણ વાંચો: Child care: આ ફુડ વિશેની ગેરમાન્યતાનાં કારણે બાળકો બની શકે છે સ્થુળતાનો શિકાર, જાણો સમગ્ર અહેવાલ

આ પણ વાંચો: Assembly Election: ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન, ઉત્તર પ્રદેશમાં બસપાનું અસ્તિત્વ ખતમ નથી થયું, મુસ્લિમો પણ તેમને વોટ આપશે

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">