AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કેવી રીતે શરૂ કરવી ? જાણો પ્રમાણપત્રથી લઈ બજાર સુધીની જાણકારી

જૈવિક ખેતી માટે સૌથી મહત્વનો ઘટક ગાયનું છાણ છે. તેથી જૈવિક ખેતી માટે ખેતર તૈયાર કરતી વખતે તેમાં વધુને વધુ ગાયનું છાણ ભેળવવામાં આવે છે. જંતુઓથી પાકને બચાવવા માટે ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.

ખેડૂતોએ ઓર્ગેનિક ખેતી કેવી રીતે શરૂ કરવી ? જાણો પ્રમાણપત્રથી લઈ બજાર સુધીની જાણકારી
Organic Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 5:38 PM
Share

આજકાલ ઓર્ગેનિક ખેતીની (Organic Farming) ખૂબ ચર્ચા થઈ રહી છે. ઘણા ખેડૂતો (Farmers) ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યા છે. આ ખેતીમાં કુદરત દ્વારા આપવામાં આવેલી વસ્તુઓનો સંપૂર્ણપણે ઉપયોગ થાય છે. આ ખેતી લાંબા સમય સુધી કરી શકાય છે, તેની કિંમત ઓછી છે તેમજ તેની પ્રોડક્ટ્સ પણ મોંઘી છે. જેથી ખેડૂતોને તેમાં ફાયદો થશે.

સજીવ ખેતીને ટકાઉ બિઝનેસ મોડલ તરીકે વિકસાવી શકાય છે. ઘણા ખેડૂતો આ કરવા માટે આગળ આવી રહ્યા છે. અત્યારે ભારતમાં ઓર્ગેનિક માટે પણ ઘણી મુશ્કેલીઓ છે. તેથી જૈવિક ખેતી કરતા પહેલા આ બાબતો જાણવી ખૂબ જ જરૂરી છે.

ઓર્ગેનિક ખેતીનો હેતુ

ભારતમાં ઓર્ગેનિક ખેતી કરવાનો હેતુ બિઝનેસ મોડલને જન્મ આપવાનો છે જે પર્યાવરણને કોઈ પણ રીતે નુકસાન ન પહોંચાડે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખો. તેમજ લોકો સુધી પહોંચતો ખોરાક રાસાયણિક મુક્ત હોવો જોઈએ. આ સાથે ખેડૂતોની આવક વધારવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે.

ઓર્ગેનિક ખેતીના ફાયદા

1. લોકોને ઓર્ગેનિક પ્રોડક્ટ્સથી ફાયદો થશે તેમજ પર્યાવરણને કોઈ નુકસાન નહીં થાય.

2. કૃષિ ચક્ર અનુસરવામાં આવશે, ખેડૂતોને પણ તેનો લાભ મળશે. રોગ અને જંતુ નિયંત્રણ.

3. જંતુનાશકો અને અન્ય પ્રકારના ખાતરોની આયાતમાં ઘટાડો થશે.

4. આ રોજગારીની નવી તકો પૂરી પાડવામાં મદદ કરશે.

ખોરાક પૌષ્ટિક હોય છે

સજીવ ખેતી મુખ્યત્વે રાસાયણિક ખાતરોના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે. પાકના અવશેષો અને પશુ ખાતરનો ઉપયોગ થાય છે. આ સાથે, ખાદ્ય પદાર્થોમાં વિપુલ પ્રમાણમાં પોષક તત્વો હોય છે, જે ખોરાક દ્વારા આપણા શરીર સુધી પહોંચે છે અને આપણને સ્વસ્થ રાખે છે. આ દ્વારા, તે ઇકો સિસ્ટમને મજબૂત રાખવામાં મદદ કરે છે.

ઓર્ગેનિક ખેતી માટે ખેતરની તૈયારી

જૈવિક ખેતી માટે સૌથી મહત્વનો ઘટક ગાયનું છાણ છે. તેથી જૈવિક ખેતી માટે ખેતર તૈયાર કરતી વખતે તેમાં વધુને વધુ ગાયનું છાણ ભેળવવામાં આવે છે. પાકનું વાવેતર કર્યા બાદ નીંદણ અને જીવાતનું ધ્યાન રાખવું પડે છે. ગાયના છાણનું દ્રાવણ અને કુદરતી રીતે તૈયાર કરેલું ખાતર પાણી દ્વારા છોડને આપવામાં આવે છે. જંતુઓથી પાકને બચાવવા માટે ઓર્ગેનિક પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય છે.

સજીવ ખેતી માટે પ્રમાણપત્ર

ભારતમાં ઓર્ગેનિક ખેતી માટે પ્રમાણપત્રની જરૂર છે. આ માટે સંબંધિત રાજ્ય સરકારના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને માહિતી મેળવવામાં આવે છે. તેનાથી ફાયદો એ છે કે તમને તમારી પ્રોડક્ટ વેચવામાં તકલીફ પડતી નથી. પ્રમાણપત્ર પછી, તમે તમારા ઉત્પાદનને ઓર્ગેનિક બજારમાં વેચી શકો છો. સજીવ ખેતીનું પ્રમાણપત્ર જમીન સંબંધિત માહિતીના આધારે આપવામાં આવે છે. જો કે, હવેથી તમે ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છો, તમારે બજાર શોધવાનું શરૂ કરવું જોઈએ.

ભારતમાં ઓર્ગેનિક ખેતીનો ખર્ચ

નવું કૃષિ કાર્ય શરૂ કરવા માટે તમારે લોનની જરૂર છે. ઘણા ઉદ્યોગો માટે લોન મેળવવી થોડી મુશ્કેલ બની જાય છે. પરંતુ ઓર્ગેનિક ખેતી માટે લોન સરળતાથી ઉપલબ્ધ છે. આ માટે, તમારી પાસે ઓછામાં ઓછી પાંચ એકર જમીન હોવી જોઈએ અને સજીવ ખેતી કરવાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ લોન ઓછામાં ઓછા ત્રણ વર્ષ માટે ઉપલબ્ધ છે. પાંચ એકર માટે એક લાખ રૂપિયાની લોન ઉપલબ્ધ છે. જેમાં 40 ટકા ઓર્ગેનિક ઇનપુટ માટે અને બાકીનું તાલીમ માટે ઉપલબ્ધ છે. આ લોનમાં ખેડૂત મહત્તમ 20 ટકા સબસિડી મેળવી શકે છે.

આ પણ વાંચો : બ્રોકોલીની ખેતીથી ખેડૂતોની આવકમાં થશે વધારો, આ બાબતોનું ધ્યાન રાખી કરો બ્રોકોલીની સફળ ખેતી

આ પણ વાંચો : સજીવ ખેતીથી વાર્ષિક 40 લાખ રૂપિયા કમાય છે આ ખેડૂત, 2000 ખેડૂતોને પણ કરાવે છે સજીવ ખેતી

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">