AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને રાહત આપવા માટે સરકાર 58,430 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જાણો સમગ્ર વિગત

અહેવાલ મુજબ, સરકારે ખાતર પર વધારાની રાહત આપવા માટે 58,430 કરોડ રૂપિયાના ખર્ચ માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ દેશભરમાં ખાતર સસ્તું થશે.

ખેડૂતોને રાહત આપવા માટે સરકાર 58,430 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જાણો સમગ્ર વિગત
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 6:53 PM
Share

ભારત સરકાર (Government OF India) ખાતર કંપનીઓ (Fertilizer Companies)ની સાથે સાથે દેશના ખેડૂતો(Farmers)ને પણ મોટી રાહત આપવાની તૈયારી કરી રહી છે. આગામી સમયમાં સરકાર ખાતર કંપનીઓને વધારાની સબસિડીની જાહેરાત કરી શકે છે. એક અહેવાલ અનુસાર, ભારત સરકારે ખાતર પર વધારાની સબસિડી (Subsidy) આપવા માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે.

અહેવાલ મુજબ, સરકારે ખાતર પર વધારાની રાહત આપવા માટે 58,430 કરોડ રૂપિયાના ખર્ચ માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ દેશભરમાં ખાતર સસ્તું થશે.

સબસિડીમાં વધારો થવાથી ખાતર કંપનીઓના નફામાં વધારો થશે

રિપોર્ટ અનુસાર, સરકાર ખાતર કંપનીઓને વધારાની સબસિડી આપશે, જેનાથી તેમનો નફો વધશે. જો નફો વધશે, તો તેઓ તેમની પેદાશોના ભાવમાં વધારો કરશે નહીં અને ખેડૂતોને ખાતર ખરીદવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે નહીં.

આપને જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ખાતરો (Fertilizers)માં ઉપયોગમાં લેવાતા કાચા માલની કિંમતોમાં નોંધપાત્ર વધારો થયો છે. સરકારે બજેટમાં ખાતર પર સબસિડી આપવાની જાહેરાત કરી હતી ત્યારે તે સમયે જે ભાવ હતા અને આજે જે છે તે વચ્ચેનો તફાવત બમણો થઈ ગયો છે.

P&K અને યુરિયા પર વધારાની સબસિડી માટે 58,430 કરોડ ખર્ચવામાં આવશે

એક રિપોર્ટ અનુસાર, સરકારે P&K ફર્ટિલાઇઝર પર 43,403 કરોડ રૂપિયાની સબસિડી આપવાની યોજના તૈયાર કરી છે. તેમાં સ્થાનિક P&K પર રૂ. 26,602 કરોડ અને આયાતી P&K પર રૂ. 16,827 કરોડની સબસિડી આપવાની યોજના છે.

આ સિવાય યુરિયા પર 15 હજાર કરોડ રૂપિયા આપવામાં આવશે. આ રીતે, P&K અને યુરિયા પર પ્રસ્તાવિત વધારાની સબસિડીનો કુલ ખર્ચ રૂ. 58,430 કરોડ થઈ રહ્યો છે. આ માટે સરકારે ઔપચારિકતા પૂર્ણ કરવા માટે સંસદ પાસેથી મંજૂરી માંગી છે. સંસદમાંથી મંજૂરી મળ્યા બાદ તેને બહાર પાડવામાં આવશે.

કાચા માલના વધતા ભાવથી ખાતર કંપનીઓ ચિંતિત હતી

આપને જણાવી દઈએ કે ખાતર બનાવતી તમામ કંપનીઓ ઝડપથી વધી રહેલી કિંમત અને ઘટતા નફાને લઈને ચિંતિત હતી. ફર્ટિલાઇઝર કંપનીઓનું કહેવું છે કે તેમને જે સબસિડી મળી રહી છે તે જૂની કિંમતોના આધારે જ મળી રહી છે, જ્યારે હાલમાં ખાતર બનાવવામાં વપરાતા કાચા માલના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આથી કંપનીઓની માગ હતી કે તેમને જે સબસીડી આપવામાં આવે છે તે નવા ભાવના આધારે આપવામાં આવે જેથી તેમનો નફો વધે અને તેઓ અવિરત રીતે ખાતરનું ઉત્પાદન કરી શકે.

આ પણ વાંચો: જાણો પોલી હાઉસ અને ગ્રીન હાઉસ વચ્ચે અંતર અને તેના ફાયદા, તેમજ સરકાર કેટલી આપે છે સહાય

આ પણ વાંચો: નાળિયેરના પાકમાં સફેદ માખીનો પ્રકોપ વધતા યુવાને સોશિયલ મીડિયામાંથી શોધ્યો રામબાણ ઈલાજ

Follow Us
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
g clip-path="url(#clip0_868_265)">