PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

અત્યાર સુધી ખેડૂતોને આઠ હપ્તા મળ્યા છે. છેલ્લો હપ્તો મે મહિનામાં આવ્યો હતો, જે દરમિયાન લગભગ 9 કરોડ 50 લાખ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી
Pradhan Mantri Kisan Samman Nidhi Yojna
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:44 PM

દેશના ખેડૂતોને (Farmers) આર્થિક મદદ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojna) અમલમાં મુકવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી માટે સમયસર પૈસા મળે. કારણ કે ઘણી વખત એવું બને છે કે ખેડૂતો પૈસાના અભાવે ખેતી કરી શકતા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

પરંતુ આજે પણ ઘણા ખેડૂતો એવા છે જેમને આ યોજનાનો લાભ મળ્યો નથી. આ સ્થિતિમાં, જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા છે, તેમના માટે યોજના હેઠળ લાભ લેવાની તક કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે બાકી રહી ગયેલા ખેડૂતોને યોજનાના દાયરામાં લાવવા માટે રાજ્યોને અનેક માર્ગદર્શિકા આપી છે.

કૃષિ મંત્રીએ લોકસભામાં આ માહિતી આપી છે. જ્યારે કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યું કે જે ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ હજુ સુધી લાભ લઈ શક્યા નથી તેમના માટે સરકાર પાસે શું યોજના છે. તેના જવાબમાં કૃષિ મંત્રીએ કહ્યું કે રાજ્યોને આ માટે જાગૃતિ અભિયાન અને નોંધણી શિબિરો યોજવાની સલાહ આપવામાં આવી છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

આ રીતે ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકે છે

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે જો ખેડૂતો યોજનાનો લાભ લઈ શકતા નથી, તો તેઓ PM-Kisan પોર્ટલ https://pmkisan.gov.in પર જઈને ફાર્મર્સ કોર્નર દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે, જો ખેડૂત ડેટાબેઝમાં પોતાનું નામ સુધારવા માંગે છે, તો આ માટે પણ એક વિકલ્પ છે. તેમણે કહ્યું કે તેમની ચુકવણીની વિગતો પણ કિસાન પોર્ટલમાં જોઈ શકાય છે.

CSC માં સંપર્ક કરો

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે પોતાની નોંધણી માટે સીએસસીનો સંપર્ક કરી શકે છે. આ સુવિધાઓ ફાર્મર્સ કોર્નર પર ઉપલબ્ધ છે, જેથી ખેડૂતો CSC ના VLEs દ્વારા લાભ મેળવી શકે છે.

મોબાઇલ એપમાંથી મળશે માહિતી

ખેડૂતોને વધુ માહિતી જાણવા માટે એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે જે ખેડૂતોને PM કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં ઉપલબ્ધ સુવિધાઓ પૂરી પાડે છે.

યોજના 2019 માં શરૂ થઈ હતી

પીએમ કિસાન સન્માન યોજના 2019 માં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તેના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને તેના આઠ હપ્તા મળ્યા છે. છેલ્લો હપ્તો મે મહિનામાં આવ્યો હતો, જે દરમિયાન લગભગ 9 કરોડ 50 લાખ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">