AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી

અત્યાર સુધી ખેડૂતોને આઠ હપ્તા મળ્યા છે. છેલ્લો હપ્તો મે મહિનામાં આવ્યો હતો, જે દરમિયાન લગભગ 9 કરોડ 50 લાખ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

PM Kisan : ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયા કેમ ટ્રાન્સફર નથી થઈ રહ્યા ? કૃષિ મંત્રીએ આપી સંપૂર્ણ માહિતી
Pradhan Mantri Kisan Samman Nidhi Yojna
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 1:44 PM
Share

દેશના ખેડૂતોને (Farmers) આર્થિક મદદ આપવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (Pradhan Mantri Kisan Samman Nidhi Yojna) અમલમાં મુકવામાં આવી છે. જેથી ખેડૂતોને ખેતી માટે સમયસર પૈસા મળે. કારણ કે ઘણી વખત એવું બને છે કે ખેડૂતો પૈસાના અભાવે ખેતી કરી શકતા નથી. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે. દેશના કરોડો ખેડૂતો આ યોજનાનો લાભ લઈ રહ્યા છે.

પરંતુ આજે પણ ઘણા ખેડૂતો એવા છે જેમને આ યોજનાનો લાભ મળ્યો નથી. આ સ્થિતિમાં, જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવાથી વંચિત રહ્યા છે, તેમના માટે યોજના હેઠળ લાભ લેવાની તક કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે બાકી રહી ગયેલા ખેડૂતોને યોજનાના દાયરામાં લાવવા માટે રાજ્યોને અનેક માર્ગદર્શિકા આપી છે.

કૃષિ મંત્રીએ લોકસભામાં આ માહિતી આપી છે. જ્યારે કૃષિ મંત્રીને પૂછવામાં આવ્યું કે જે ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ હજુ સુધી લાભ લઈ શક્યા નથી તેમના માટે સરકાર પાસે શું યોજના છે. તેના જવાબમાં કૃષિ મંત્રીએ કહ્યું કે રાજ્યોને આ માટે જાગૃતિ અભિયાન અને નોંધણી શિબિરો યોજવાની સલાહ આપવામાં આવી છે.

આ રીતે ખેડૂતો પોતાની નોંધણી કરાવી શકે છે

કૃષિ મંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે જો ખેડૂતો યોજનાનો લાભ લઈ શકતા નથી, તો તેઓ PM-Kisan પોર્ટલ https://pmkisan.gov.in પર જઈને ફાર્મર્સ કોર્નર દ્વારા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. આ સાથે, જો ખેડૂત ડેટાબેઝમાં પોતાનું નામ સુધારવા માંગે છે, તો આ માટે પણ એક વિકલ્પ છે. તેમણે કહ્યું કે તેમની ચુકવણીની વિગતો પણ કિસાન પોર્ટલમાં જોઈ શકાય છે.

CSC માં સંપર્ક કરો

કેન્દ્રીય કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માટે પોતાની નોંધણી માટે સીએસસીનો સંપર્ક કરી શકે છે. આ સુવિધાઓ ફાર્મર્સ કોર્નર પર ઉપલબ્ધ છે, જેથી ખેડૂતો CSC ના VLEs દ્વારા લાભ મેળવી શકે છે.

મોબાઇલ એપમાંથી મળશે માહિતી

ખેડૂતોને વધુ માહિતી જાણવા માટે એક એપ પણ લોન્ચ કરવામાં આવી છે જે ખેડૂતોને PM કિસાન પોર્ટલ પર ફાર્મર્સ કોર્નરમાં ઉપલબ્ધ સુવિધાઓ પૂરી પાડે છે.

યોજના 2019 માં શરૂ થઈ હતી

પીએમ કિસાન સન્માન યોજના 2019 માં ખેડૂતોને આર્થિક લાભ આપવા માટે શરૂ કરવામાં આવી હતી. તેના દ્વારા ખેડૂતોને તેમના ખાતામાં સીધા પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી ખેડૂતોને તેના આઠ હપ્તા મળ્યા છે. છેલ્લો હપ્તો મે મહિનામાં આવ્યો હતો, જે દરમિયાન લગભગ 9 કરોડ 50 લાખ ખેડૂતોના ખાતામાં રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો : ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

આ પણ વાંચો : ડાંગરના પાકને વધુ ઉપજ મેળવવા માટે જીવાતો અને રોગોથી બચાવવો જરૂરી, ખેડૂતોએ કરવું પડશે આ કામ

Follow Us
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
હવે સાગર રબારીએ પણ આમ આદમી પાર્ટી છોડી
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
ઘરને તાત્કાલિક સફાઈની જરૂર છે, થોડો તણાવ પેદા થઈ શકે છે
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
અમદાવાદ: ઈમરાન ખેડાવાલાની 'બુલડોઝરનો બદલો' લેવા મતદારોને અપીલ
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
વડોદરામાં TMC સાંસદ યુસુફ પઠાણનું મોટું નિવેદન, જુઓ Video
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ગુજરાતના આદિવાસી પટ્ટામાં ભારે ગરમી વચ્ચે ઊંચુ મતદાન
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
ચૂંટણીઓ ક્યારેય ધર્મ આધારિત ન હોઈ શકે... હર્ષ સંઘવીએ આવું કેમ કહ્યું?
g clip-path="url(#clip0_868_265)">