ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

ખેડૂતો પાસે હવે બીજા કાર્યો કરવા માટે સમય છે. તેઓ આ સમયનો ઉપયોગ કેટલીક શાકભાજી ઉગાડીને વધારાના પૈસા કમાવવા માટે કરી શકે છે. આ ઉપરાંત પશુઓ માટે લીલા ઘાસચારાની અછતને દૂર કરવા માટે પણ કરી શકાય છે.

ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે
Kharif Season
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 11:36 AM

ખરીફ પાકની (Kharif Season) રોપણી-વાવણી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અથવા તેના અંતિમ તબક્કામાં છે. આ સ્થિતિમાં ખેડૂતો (Farmers) પાસે હવે બીજા કાર્યો કરવા માટે સમય છે. તેઓ આ સમયનો ઉપયોગ કેટલીક શાકભાજી ઉગાડીને વધારાના પૈસા કમાવવા માટે કરી શકે છે. આ ઉપરાંત પશુઓ માટે લીલા ઘાસચારાની અછતને દૂર કરવા માટે પણ વ્યવસ્થા કરી શકાય છે. તેનાથી પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

રીંગણની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ બે છોડ વચ્ચેના અંતરની ખાસ કાળજી રાખવી પડે છે. બે છોડ અને બે હાર વચ્ચે અંતર 60 સે.મી. રાખવું. ખાતરનો ઉપયોગ જમીનના પરીક્ષણ મુજબ કરવો જોઇએ. જો માટીની ચકાસણી ન થઈ હોય, તો ખેતર તૈયાર કરતી વખતે, 25 થી 30 ટન ગાયનું છાણ જમીનમાં સારી રીતે ભળવું જોઈએ, જેથી સારી ઉપજ આવે છે.

ખેડૂતો 200 કિલો યુરિયા, 370 કિલો સુપર ફોસ્ફેટ અને 100 કિલો પોટેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકે છે. યુરીયાની ત્રીજી માત્રા અને સુપર ફોસ્ફેટની સંપૂર્ણ માત્રાનો ઉપયોગ અંતિમ ક્ષેત્રની તૈયારી સમયે થવો જોઈએ. ખેડૂતોને રોપણીના બે સપ્તાહ બાદ 0.04 મિલી પ્રતિ લિટર પાણીમાં મિશ્રિત મોનોક્રોટોફોસ છાંટવાની સલાહ આપવામાં આવે છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ટામેટાની ખેતી માટે પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે પ્રકારની જમીન જરૂરી છે. પાણી ભરાયેલા ખેતરમાં ટામેટાની ખેતી ન કરવી જોઈએ. ખેતરમાં પાણી ભરાવાને કારણે છોડ બરબાદ થઈ જાય છે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સ્થિતિમાં ખેડૂતોએ ઉંચી જમીનમાં ટમેટાની ખેતી કરવી જોઈએ, તે તેમના માટે ફાયદાકારક છે.

ટામેટાની ખેતી માટે, જો જમીનનું પીએચ 6-7 હોય, તો તે યોગ્ય છે. ટામેટાની ખેતી માટે, જમીનને ત્રણથી ચાર વખત ઉંડી ખેડાણ કર્યા પછી, એક હેકટરના ખેતરમાં 25-30 ટન ગાયનું છાણ નાખવું જોઈએ. વાવણી બાદ ગાયના છાણનો પાતળો સ્તર ટોચની સપાટી પર ફેલાવો જોઈએ.

ટામેટાની ખેતી દરમિયાન સિંચાઈની ખાસ કાળજી રાખવી પડે છે. પ્રથમ સિંચાઈ વાવેતર પછી કરવામાં આવે છે. આ પછી, જરૂરી મુજબ 20 થી 25 દિવસના અંતરે સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. સારી ઉપજ મેળવવા માટે સમયાંતરે નીંદણ પણ જરૂરી છે. જો પાકને જંતુનાશકોની અસર થાય તો ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે.

આ પણ વાંચો : પશુપાલકો જો આ ખાસ જાતિની ગાયનું પાલન કરશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને મળશે આર્થિક લાભ

આ પણ વાંચો : ઓર્ગેનિક ઉત્પાદનોની માગ વધી છે, પરંતુ ખેડૂતો સજીવ ખેતી માટે ઉત્સાહી નથી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">