AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે

ખેડૂતો પાસે હવે બીજા કાર્યો કરવા માટે સમય છે. તેઓ આ સમયનો ઉપયોગ કેટલીક શાકભાજી ઉગાડીને વધારાના પૈસા કમાવવા માટે કરી શકે છે. આ ઉપરાંત પશુઓ માટે લીલા ઘાસચારાની અછતને દૂર કરવા માટે પણ કરી શકાય છે.

ખરીફ સીઝનના પાકની સાથે ખેડૂતો આ શાકભાજી ઉગાડશે, તો વધારાની આવક મેળવી શકશે
Kharif Season
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 11:36 AM
Share

ખરીફ પાકની (Kharif Season) રોપણી-વાવણી લગભગ સમાપ્ત થઈ ગઈ છે અથવા તેના અંતિમ તબક્કામાં છે. આ સ્થિતિમાં ખેડૂતો (Farmers) પાસે હવે બીજા કાર્યો કરવા માટે સમય છે. તેઓ આ સમયનો ઉપયોગ કેટલીક શાકભાજી ઉગાડીને વધારાના પૈસા કમાવવા માટે કરી શકે છે. આ ઉપરાંત પશુઓ માટે લીલા ઘાસચારાની અછતને દૂર કરવા માટે પણ વ્યવસ્થા કરી શકાય છે. તેનાથી પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં પણ વધારો થશે.

રીંગણની ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેડૂતોએ બે છોડ વચ્ચેના અંતરની ખાસ કાળજી રાખવી પડે છે. બે છોડ અને બે હાર વચ્ચે અંતર 60 સે.મી. રાખવું. ખાતરનો ઉપયોગ જમીનના પરીક્ષણ મુજબ કરવો જોઇએ. જો માટીની ચકાસણી ન થઈ હોય, તો ખેતર તૈયાર કરતી વખતે, 25 થી 30 ટન ગાયનું છાણ જમીનમાં સારી રીતે ભળવું જોઈએ, જેથી સારી ઉપજ આવે છે.

ખેડૂતો 200 કિલો યુરિયા, 370 કિલો સુપર ફોસ્ફેટ અને 100 કિલો પોટેશિયમ સલ્ફેટનો ઉપયોગ કરી શકે છે. યુરીયાની ત્રીજી માત્રા અને સુપર ફોસ્ફેટની સંપૂર્ણ માત્રાનો ઉપયોગ અંતિમ ક્ષેત્રની તૈયારી સમયે થવો જોઈએ. ખેડૂતોને રોપણીના બે સપ્તાહ બાદ 0.04 મિલી પ્રતિ લિટર પાણીમાં મિશ્રિત મોનોક્રોટોફોસ છાંટવાની સલાહ આપવામાં આવે છે.

ટામેટાની ખેતી માટે પાણીનો નિકાલ સરળતાથી થઈ શકે તે પ્રકારની જમીન જરૂરી છે. પાણી ભરાયેલા ખેતરમાં ટામેટાની ખેતી ન કરવી જોઈએ. ખેતરમાં પાણી ભરાવાને કારણે છોડ બરબાદ થઈ જાય છે અને ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડે છે. આ સ્થિતિમાં ખેડૂતોએ ઉંચી જમીનમાં ટમેટાની ખેતી કરવી જોઈએ, તે તેમના માટે ફાયદાકારક છે.

ટામેટાની ખેતી માટે, જો જમીનનું પીએચ 6-7 હોય, તો તે યોગ્ય છે. ટામેટાની ખેતી માટે, જમીનને ત્રણથી ચાર વખત ઉંડી ખેડાણ કર્યા પછી, એક હેકટરના ખેતરમાં 25-30 ટન ગાયનું છાણ નાખવું જોઈએ. વાવણી બાદ ગાયના છાણનો પાતળો સ્તર ટોચની સપાટી પર ફેલાવો જોઈએ.

ટામેટાની ખેતી દરમિયાન સિંચાઈની ખાસ કાળજી રાખવી પડે છે. પ્રથમ સિંચાઈ વાવેતર પછી કરવામાં આવે છે. આ પછી, જરૂરી મુજબ 20 થી 25 દિવસના અંતરે સિંચાઈ કરવાની સલાહ આપવામાં આવે છે. સારી ઉપજ મેળવવા માટે સમયાંતરે નીંદણ પણ જરૂરી છે. જો પાકને જંતુનાશકોની અસર થાય તો ખેડૂતો જંતુનાશક દવાનો છંટકાવ કરી શકે છે.

આ પણ વાંચો : પશુપાલકો જો આ ખાસ જાતિની ગાયનું પાલન કરશે તો દૂધ ઉત્પાદનમાં વધારો થશે અને મળશે આર્થિક લાભ

આ પણ વાંચો : ઓર્ગેનિક ઉત્પાદનોની માગ વધી છે, પરંતુ ખેડૂતો સજીવ ખેતી માટે ઉત્સાહી નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">