AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર 10 લાખ હેક્ટર વિસ્તારમાં હર્બલ ખેતીની યોજના પર કરી રહી છે કામ, ખેડૂતોની આવક 5,000 કરોડ રૂપિયા સુધી વધશે

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ અહીં લગભગ 8000 વૃક્ષો અને છોડ છે, જેનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે. તેમાંથી બનાવેલ પ્રોડક્ટ અને દવાઓની વિદેશમાં સારી માગ છે.

સરકાર 10 લાખ હેક્ટર વિસ્તારમાં હર્બલ ખેતીની યોજના પર કરી રહી છે કામ, ખેડૂતોની આવક 5,000 કરોડ રૂપિયા સુધી વધશે
Herbal Farming
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:09 PM
Share

આપણો દેશ જૈવ વિવિધતાની દ્રષ્ટિએ ખૂબ સમૃદ્ધ છે. અહીં ઉગાડવામાં આવેલા વૃક્ષો, છોડ અને પાક આપણી ખાદ્ય જરૂરિયાતો પૂરી કરે છે સાથે જ તે ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. જો ખેડૂતો (Farmers) ખાસ કરીને હર્બલ ખેતી (Herbal Cultivation) સાથે જોડાયેલા હોય, તો તેઓ તેમાંથી સારો નફો પણ લઈ શકે છે કારણ કે બજારમાં તેમની ઘણી માગ છે.

ભારતમાં વૃક્ષોનાં છોડના વિવિધ ભાગોનો ઉપયોગ કરીને લાંબા સમયથી રોગો અને બીમારીઓ માટે ઉપયોગ કરવામાં આવે છે. ભારત વિશ્વના એવા કેટલાક દેશોમાંનો એક છે, જેને ઉચ્ચ જૈવિક વિવિધતા ધરાવતા દેશનો દરજ્જો આપવામાં આવે છે. છોડની ઘણી જાતો ફક્ત ભારતમાં જ જોવા મળે છે.

8000 વૃક્ષો અને છોડનો ઔષધીય સ્વરૂપમાં ઉપયોગ થાય છે

ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે મુજબ અહીં લગભગ 8000 વૃક્ષો અને છોડ છે, જેનો ઔષધીય રીતે ઉપયોગ થાય છે. તેમાંથી બનાવેલ પ્રોડક્ટ અને દવાઓની વિદેશમાં સારી માગ છે. આ માગ ખેડૂતો માટે હર્બલ ખેતીના દ્વાર ખોલે છે. ખેડૂતો ખેતી કરીને સારી આવક મેળવી શકે છે.

હાલ કોરોનાને કારણે લોકો ફરી એકવાર કુદરતી દવાઓ તરફ વળ્યા છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવાથી લઈને સારા સ્વાસ્થ્ય માટે લોકો ઔષધીય છોડનો આશરો લઈ રહ્યા છે. ભારતીય ઔષધીય છોડની વધતી માગને ધ્યાનમાં રાખીને, ઔષધીય છોડની ખેતી ખેડૂતો માટે આર્થિક રીતે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ રહી છે.

ઔષધીય ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર ખેડૂતોને તમામ શક્ય સહકાર પણ આપી રહી છે. આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આપવામાં આવેલા આર્થિક પેકેજમાં હર્બલ ખેતીને પ્રોત્સાહન આપવા માટે 4,000 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

ખેડૂતોની આવક 5,000 કરોડ રૂપિયા થશે

નેશનલ મેડિસિનલ પ્લાન્ટ્સ બોર્ડે આશરે 2.25 લાખ હેક્ટર વિસ્તારમાં હર્બલ છોડની ખેતીમાં મદદ કરી છે. આગામી વર્ષોમાં રૂ. 4,000 કરોડના ખર્ચે 10 લાખ હેક્ટર વિસ્તારને હર્બલ વાવેતર હેઠળ આવરી લેવામાં આવશે. આ સાથે ખેડૂતોને લગભગ 5,000 કરોડ રૂપિયાની આવક થશે.

હર્બલ પ્લાન્ટ્સ માટે પ્રાદેશિક બજારોનું નેટવર્ક પણ હશે. હર્બલ ખેતી પણ ખેડૂતોની આવક બમણી કરવામાં મદદરૂપ સાબિત થશે. અશ્વગંધા, ગિલોય, ભૃંગરાજ, સતાવર, ફુદીનો, મોગરા, તુલસી, કુંવારપાઠું, બ્રાહ્મી, શંખપુષ્પી અને ગુલાર વગેરે જેવા અનેક હર્બલ પાક છે, જેની ખેતી ખેડૂતો કરી શકે છે. ખેડૂતો પાક વૈવિધ્યતા અપનાવે છે અને ખેતર ખાલી થયા બાદ જો તેઓ તેમાં હર્બલ છોડની ખેતી કરે તો તેઓ સારો નફો મેળવી શકે છે.

આ પાકને વધારે કાળજી અને પાણીની જરૂર પડતી નથી. કેટલાક હર્બલ છોડ છે, જે ખૂબ જ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે અને એકવાર વાવ્યા પછી ખેડૂતોને ઘણી વખત ઉપજ મળે છે. આ સ્થિતિમાં તેમની આવક ખૂબ ઝડપથી વધે છે જ્યારે ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. આ સંભાવનાઓને જોતા સરકાર ખેડૂતોને ઔષધીય પાકોની ખેતી માટે પ્રોત્સાહિત કરી રહી છે.

આ પણ વાંચો : સિંચાઈની આ ટેકનીક ખેતી માટે છે ખૂબ જ ઉપયોગી, ખેડૂતોને મળશે મબલખ ઉત્પાદન

આ પણ વાંચો : ખેતીની સાથે થઈ શકે તેવા 7 વ્યવસાય, ઓછા ખર્ચમાં થશે બમ્પર નફો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">