AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી

Business Idea: હરિયાણા કૃષિ યુનિવર્સિટી સ્થિત ABIC એ બેરોજગાર યુવાનો અને ખેડૂતો પાસેથી બિઝનેસ આઈડિયા મંગાવ્યા છે. 27 સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે સહાયની રકમની ચૂકવણી કરવામાં આવી છે.

કૃષિ ક્ષેત્રમાં બિઝનેસ આઈડિયા આપી સ્ટાર્ટઅપ્સ શરૂ કરવા માટે તમે મેળવી શકો છો 25 લાખ રૂપિયા, આ રીતે કરો અરજી
Agriculture Startup
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 24, 2021 | 5:20 PM
Share

બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો (Farmers) અને ઉદ્યોગ સાહસિકો ચૌધરી ચરણ સિંહ હરિયાણા કૃષિ યુનિવર્સિટી (HAU) સ્થિત ABIC માં જોડાઈને કૃષિ અને સંબંધિત વ્યવસાયમાં અપાર શક્યતાઓ શોધી શકે છે. આ માટે, જો તમારી પાસે બિઝનેસ આઈડિયા (Business Idea) હોય, તો તમે 5 થી 25 લાખ રૂપિયાની ગ્રાન્ટની રકમ મેળવી શકો છો.

આ માહિતી યુનિવર્સિટીના કુલપતિ પ્રો. બી.આર. કંબોજે આપી છે. કુલપતિએ કહ્યું કે આ યોજના યુવાનો માટે કૃષિ ક્ષેત્રે પોતાનો વ્યવસાય સ્થાપિત કરવાની સુવર્ણ તક છે. આ યોજના હેઠળ, યુવાઓ ABIC પાસેથી તાલીમ અને નાણાકીય સહાય લઈને નોકરી શોધવાની જગ્યાએ નોકરી આપનારા બની શકે છે. બે મહિનાની તાલીમ દરમિયાન પસંદ કરેલ એગ્રી સ્ટાર્ટઅપ્સને વ્યવસાય, તકનીકી અને ઉદ્યોગ સાહસિક નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવશે. આ દ્વારા, યુવાનો કૃષિ ક્ષેત્રમાં પ્રોસેસિંગ, વેલ્યુ એડિશન, સર્વિસિંગ, પેકેજિંગ અને બ્રાન્ડિંગ દ્વારા વ્યાપારિક તકો શોધી શકે છે.

આ કેન્દ્રનો મુખ્ય ઉદ્દેશ યુવાનો અને ખેડૂતોની કૃષિ અને કૃષિ સંબંધિત કૌશલ્યો અને નવીનતાઓ સુધારવાનો છે. આ માટે, તમારે HAU અને ABIC ની વેબસાઇટ (www.hau.ac.in) અને (www.abichauhisar.com) પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર 2021 નક્કી કરવામાં આવી છે. આ માટે ભારત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા અનુદાનની રકમ આપવામાં આવશે. આ માટે, તમારે નાબાર્ડની રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના (રફ્તાર) અને કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ એચએયુમાં સ્થાપિત એબિક કેન્દ્ર દ્વારા અરજી કરવી પડશે.

આ કેન્દ્ર દ્વારા, બેરોજગાર યુવાનો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો, માર્કેટિંગ, નેટવર્કિંગ, લાઇસન્સિંગ, ટ્રેડમાર્ક અને પેટન્ટ, ટેકનોલોજી અને ભંડોળ સંબંધિત તાલીમ લઈને કૃષિ ક્ષેત્રમાં તેમના સ્ટાર્ટઅપને એક નવું પરિમાણ આપી શકે છે. આ માટે ‘પહેલ’ અને ‘સફલ’ નામના બે કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ‘પહેલ’ કાર્યક્રમમાં રૂ. 5 લાખ રૂપિયા અને ‘સફલ’ કાર્યક્રમમાં રૂ. 25 લાખ રૂપિયાની જોગવાઇ છે.

ABIC (Raftaar) હેઠળ અત્યાર સુધીમાં કૃષિ કલ્યાણ મંત્રાલય દ્વારા 27 એગ્રી સ્ટાર્ટઅપની રકમ મંજૂર કરવામાં આવી છે. તેમણે માત્ર પોતાનો વ્યવસાય જ શરૂ કર્યો ન હતો પરંતુ અન્ય લોકોને રોજગારી પણ આપી હતી. અરજી પ્રક્રિયા મફત રહેશે. અરજદારનો બિઝનેસ આઈડિયા કૃષિ-બાયોટેક, બાગાયત, સજીવ ખેતી, પશુપાલન અને મત્સ્યપાલન સાથે સંબંધિત હોવો જોઈએ. આ સિવાય સૂક્ષ્મ સિંચાઈ, કૃષિ ઇજનેરી, ખેતી યાંત્રિકરણ, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, કાપણી પછીની પ્રક્રિયા, મૂલ્યવર્ધન વગેરે પર વિશેષ ધ્યાન આપવું પડશે.

આ પણ વાંચો : Agriculture : ICAR ના ‘કૃતજ્ઞ’ હેકાથોનમાં તમે જીતી શકો છો 5 લાખ રૂપિયાનું ઈનામ

આ પણ વાંચો : દરેક ખેડૂતનું બનશે એક યુનિક આઈડી, જાણો તેનાથી ખેડૂતોને શું ફાયદો થશે

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">