ખેડૂતો માટે સારા સમાચાર છે. તેમને પહેલાની જેમ સબસિડી પર ખાતર મળતું રહેશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાનો કોઈ પ્રસ્તાવ નથી. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્ય મંત્રી ભગવંત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું હતું કે તેમની સરકારની દેશમાં P&K ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી.
આ પણ વાંચો: દ્વારકામાં તંત્રનું મેગા ડિમોલેશન ડ્રાઇવ, જુઓ હરસિધ્ધિ માતા મંદિરની આસપાસથી દૂર કરાયેલા દબાણનો Viral Video
હકીકતમાં, કેન્દ્ર સરકારે P&K ફર્ટિલાઇઝર્સ પર સબસિડી ઘટાડવાની જરૂરિયાતને સમજવા માટે હજુ સુધી કોઈ અભ્યાસ કર્યો નથી. આ જ કારણ છે કે તેણે ખાતર પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના બનાવી નથી. જાણકારી માટે આપને જણાવી દઈએ કે ભારત સરકાર ખેડૂતોને સસ્તા દરે ખાતર આપવા માટે દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે.
આ પછી, ખાતરની બોરી ખેડૂત સુધી પહોંચતા સુધીમાં સસ્તી થઈ જાય છે. જો સરકાર ખાતર પરની સબસિડી હટાવી દે તો યુરિયાની એક થેલીની કિંમત ઘણી મોંઘી થઈ જશે. આવી સ્થિતિમાં ખેડૂતો ખાતરનો ઉપયોગ કરી શકશે નહીં.
દેશમાં ખાતરની માગને પહોંચી વળવા કેન્દ્ર સરકાર વિદેશમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70 ટકા સબસિડી આપે છે. આ જ કારણ છે કે ખેડૂતો યુરિયાની એક બોરી રૂ. 266.50માં ખરીદે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલી માટે 2450 રૂપિયા ખર્ચવા પડશે.
તેવી જ રીતે ડીએપી ખાતરની એક બોરીની કિંમત 1350 રૂપિયા છે. જો સબસિડી દૂર કરવામાં આવે તો તેની કિંમત રૂ.4073 થશે. આવી સ્થિતિમાં ખેડૂતો તેની ખરીદી કરી શકશે નહીં. જો ખેડૂતો આ દરે ખાતર ખરીદીને ખેતી કરે તો ખેતી પાછળ વધુ ખર્ચ કરવો પડશે.
ભારતની જેમ અન્ય દેશોની સરકારો ખાતર પર એટલી સબસિડી આપતી નથી. વર્ષ 2022માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં યુરિયાની એક બોરીની કિંમત 791 રૂપિયા હતી. એટલે કે ભારતમાંથી બમણાથી વધુ કિંમત. એ જ રીતે બાંગ્લાદેશમાં યુરિયાની એક બોરીની કિંમત 719 રૂપિયા છે. ત્યારે ખાતરની સૌથી વધુ કિંમત ચીનમાં છે. અહીં ખેડૂતોએ યુરિયાની એક બોરી માટે ભારત કરતાં 8 ગણી વધુ રકમ ખર્ચવી પડે છે.