Kisan Credit Card : માછીમારો અને પશુપાલકોને પણ 1.60 લાખ રૂપિયા સુધીની મળશે ગેરંટી ફ્રી લોન
જો તમે KCC હેઠળ માત્ર 1.6 લાખ રૂપિયાની લોન માટે અરજી કરો છો, તો ગેરંટીની જરૂર રહેશે નહીં. માછીમારો અને પશુપાલકો (Pastoralists)ને પણ આ સુવિધા આપવામાં આવી છે.
કેન્દ્ર સરકાર ખેડૂતો, પશુપાલકો અને માછીમારો માટે કિસાન ક્રેડિટ કાર્ડ (Kisan Credit Card)એટલે કે KCC શક્ય તેટલા વધુ લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. પરંતુ, જ્યારે તેઓ તેને કઢાવવા માટે બેંકમાં પહોંચે છે, ત્યારે તેમની પાસેથી ગેરંટી તરીકે જમીનના કાગળો માંગવામાં આવે છે. તેથી કોલેટરલ ફ્રી લોન માટે અરજી કરવી. જો તમે KCC હેઠળ માત્ર 1.6 લાખ રૂપિયાની લોન માટે અરજી કરો છો, તો ગેરંટીની જરૂર રહેશે નહીં. માછીમારો અને પશુપાલકો (Pastoralists)ને પણ આ સુવિધા આપવામાં આવી છે.
નાણા મંત્રાલયે 24 સપ્ટેમ્બર 2021ના રોજ જાહેર કરેલી માર્ગદર્શિકામાં જણાવ્યું હતું કે 1.6 લાખ રૂપિયા સુધીની કોલેટરલ ફ્રી KCC લોન માછીમારો સહિત તમામ કાર્ડ ધારકો મેળવી શકે છે. આ સુવિધા પ્રાણીઓ, પક્ષીઓ, માછલી, ઝીંગા, જળચર જીવન અને મત્સ્ય ઉછેર માટે ટૂંકા ગાળાની લોનની જરૂરિયાતોને પૂર્ણ કરશે. અગાઉ KCC ની સુવિધા માત્ર ખેડૂતો માટે જ ઉપલબ્ધ હતી અને તેમની કોલેટરલ ફ્રી લિમિટ માત્ર 1 લાખ રૂપિયા હતી. અગાઉ ખેડૂતો માટે તે વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી હતી. જે બાદ પશુપાલકો અને માછીમારો માટે પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો.
કેટલા પશુપાલકો અને માછીમારોને લાભ મળ્યો
KCCનો લાભ લેવામાં ખેડૂતોની સરખામણીમાં પશુપાલન અને માછીમારો ઘણા પાછળ છે. તેની પાછળ જાગૃતિનો અભાવ અને બેંકોની ઉદાસીનતા મુખ્ય કારણો છે. કેન્દ્ર સરકારની કડકાઈ છતાં બેંકોની માનસિકતા ખેતી, પશુપાલન અને મત્સ્યોદ્યોગ માટે લોન આપવાની નથી. બેંકોમાં ફેલાયેલા ભ્રષ્ટાચારને કારણે કેટલાક લોકો બહારથી પૈસા લેવાનું પણ પસંદ કરે છે.
સત્ય એ છે કે મોટાભાગની બેંકો KCC બનાવવા માટે ગેરકાયદેસર રીતે નાણાં વસૂલે છે. કેન્દ્ર સરકારે આદેશ આપ્યો છે કે અરજી પૂર્ણ થયાના બે અઠવાડિયામાં KCC જાહેર કરવાની રહેશે. પણ એવું થતું નથી. બેંક મેનેજરોની મનમાની ચાલુ છે. હાલમાં 22 જુલાઈ સુધી દેશમાં 3,33,164 પશુપાલકો અને માછીમારોના કિસાન ક્રેડિટ કાર્ડ બનાવવામાં આવ્યા છે.
KCC પર કેટલું વ્યાજ લેવામાં આવે છે
કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ, 3 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માટે વ્યાજ દર સામાન્ય રીતે 9 ટકા હોય છે. પરંતુ, કેન્દ્ર સરકાર આમાં 2 ટકા છૂટ આપે છે. જો તમે સમયસર લોનના પૈસા ચૂકવો છો, તો તમને 3% છૂટ મળશે. આ રીતે માત્ર 4% વ્યાજ ચૂકવવું પડશે. આ સૌથી સસ્તી લોન છે. તેથી, ખેતી, પશુપાલન અને માછલી ઉછેરના કામ માટે શાહુકાર પાસેથી પૈસા લેવાને બદલે, KCCનો લાભ લેવો એ વધુ નફાકારક સોદો છે.